SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૨૫ નવા જનપદમાં સ્થાયી થવા આવનારાઓને “અનુગ્રહ' (ધન/સાધન-દાન) અને પરિહાર' (કરમુક્તિ) સરવાળે કોશમાં વૃદ્ધિ થાય તેવી યોજનાથી આપવા; કોશ પર ગંભીર ફટકો પડે તેવા ટાળવા. 6'' સદા-સર્વત્ર સંયમપાલન કરવાથી જ રાજ્યતંત્ર અને પ્રજાનો પરસ્પર-લાભકારક અને ઉન્નતિકારક રચનાત્મક સંબંધ બંધાય છે એ વાત મુખ્ય છે. અહીં પ્રસ્તુત ચર્ચામાં કોશવૃદ્ધિકર લક્ષણ તરીકે, ગમે તે કારણે, પરિહારનો જ ક્ષય કહ્યો છે, સાથે “અનુગ્રહનો ઉલ્લેખ નથી કર્યો. તેમ છતાં તાત્પર્યની દૃષ્ટિએ તેનો પણ સમાવેશ અભિપ્રેત માની શકાય. અનુગ્રહનું સ્વરૂપ થોડું જુદું અને રચનાત્મક હોઈને પણ કદાચ એનો ઉલ્લેખ અહીં ન થયો હોય. મનુષ્ય જયારે કશા સાધન વગરનો હોવા છતાં શરીર-મનથી નરવો હોય અને એકલો કે સપરિવાર નવી વસ્તીમાં આવવા તૈયાર થયો હોય, ત્યારે તેનામાં પડેલી ઉત્પાદનક્ષમતા બહાર લાવવા માટે પહેલાં તેની જીવનયાત્રાને અન્ન-વસ્ત્ર-નિવાસનો પ્રાથમિક આધાર તો આપવો જ પડે તે સાવ વહેવાર, રચનાત્મક અને સરવાળે દેનાર-લેનાર બંનેને લાભ કરનાર ધર્મમાર્ગ છે. વળી આવું અનુદાન રાજયતંત્ર દ્વારા વાજબી એવી ચોક્કસ અપેક્ષા સામે અપાય છે; આ કાંઈ ખાલી પારલૌકિક પુણ્યપ્રાપ્તિ અર્થે થતું દાન નથી. અલબત્ત, આમાં પ્રજા તરફની વત્સલતા અને વિશ્વાસ મૂકવાની શાણી સૂઝ જરૂર હોય છે; રાજા-પ્રજા વચ્ચેનો એક દઢ સેતુ હોય છે. પણ આખરે તો વ્યક્તિ પોતાના સત્ત્વથી જ તરે છે; કાયમ બીજાનો આશ્રય શોધ્યા કરવાથી નહિ – એ દષ્ટિએ રાજકીય અનુગ્રહ એ આડકતરી રીતે એક જાતનું ઋણદાન (loan) જ બની રહે છે – ભલે તે સ્થૂળરૂપે કદાચ વસૂલ ન કરાય. તે રીતે કરમુક્તિ (પરિહાર) પણ મનુષ્યને કોઈ પણ નવા આર્થિક અભિક્રમના (હિંમતભર્યા કોઈ કાર્યસ્વીકારના) આરંભે, પોતાનું સપરિવાર પોષણ થાય તેવા વાજબી નફાની પાકી ખાતરી કરવા માટેનો સમયગાળો મળી રહે તે માટે હોય છે. એટલે ચોક્કસ તબક્કે રાજ્યતંત્રે જે-તે વ્યક્તિને અપાતો “પરિહાર' પણ બંધ કરવો તે તેને પક્ષે ધર્મરૂપ છે અને એવા ન્યાયી પગલાને સમજણપૂર્વક આવકારવું તે પ્રજાજન માટે ધર્મરૂપ છે. આજની ચૂંટણી-પ્રધાન લોકશાહીમાં સરકારો ચોક્કસ કોમો કે અન્ય ચોક્કસ વલણોવાળાં વ્યાવસાયિક કે અન્ય પ્રકારનાં જૂથોના મત ખરીદવા ખાતર કોના બાપની દિવાળી?” એમ વિચારીને રાજ્યની તિજોરીના ભોગે લાંબા વખત સુધી તેમને લ્હાણીઓ કરે છે. પણ તેથી રાષ્ટ્ર દેવાળિયું બનીને પતનને માર્ગે જ ઝડપથી આગળ વધે છે. આમ ઉપર્યુક્ત બે લક્ષણો કોશનાં સંભવિત મહાછિદ્રો નિવારવાની જોગવાઈરૂપ છે. છેલ્લે એક લક્ષણ છે – રોકડ-નાણાંની પ્રાસંગિક ભેટ (ફિરોપાયનમ્ ; આ ગ્રંથમાં દિગ્ય શબ્દ “રોકડ નાણું' એવા અર્થમાં રૂઢ શબ્દ તરીકે વપરાયો છે). આ લક્ષણ પ્રજાને મોંઘવારીજન્ય નાણા-ભીડથી બચાવતા રહેવાના સમજદારીભર્યા રાજ્યતંત્રીય પગલારૂપ જણાય છે; એક જાતની ‘બૉણી' કહી શકાય. જયારે રાજ્યતંત્રને એમ લાગે છે કે પ્રાસંગિક રૂપે જીવનની પાયાની જરૂરિયાતો સંતોષતી ચીજો બજારમાં આકસ્મિક કારણોથી જ મોંઘી થઈ ગઈ છે અને તેથી પ્રજા તે ગાળો પૂરતી નાણાભીડ વ્યાપકપણે અનુભવતી હોય, ત્યારે પ્રજાનાં આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા ટકાવી રાખવા પ્રાસંગિક રીતે પૂરક નાણાભેટ રાહતવેતન તરીકે આપવી જરૂરી થઈ પડે છે. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે બજારમાં બેફામ રીતે સંગ્રહખોરો વગેરે દ્વારા ભાવો વધારી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy