SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૨૩ વાજબીપણે આગળ મુકાયો છે અને ત્યાર પછી અન્ય જીવનજરૂરિયાતો સંતોષતી ચીજોની છતનો મુદો. અહીં કોઠારની નહિ પણ કોશની સમૃદ્ધિ સાધનારાં પરિબળો પ્રસ્તુત હોવા છતાં દેખીતી રીતે કોઠારની સમૃદ્ધિ સાથે સંકળાયેલાં આ બે લક્ષણોનો ઉલ્લેખ ખૂબ સમજપૂર્વક કરાયો છે. એક તો આ બે બાબતો રાષ્ટ્રના સર્વ પ્રજાસમૂહોના સર્વાગી પોષણરૂપ પાયાની સિદ્ધિ દ્વારા સહજપણે કોશની સમૃદ્ધિનું પ્રબળ નિમિત્ત બને છે એ વાત આમાં ગર્ભિત છે, અને વળી આ બંને પ્રકારની ચીજોનું રાષ્ટ્રીય સ્વાવલંબન પણ આમાં ગર્ભિતપણે સૂચવાયું જણાય છે; કારણ કે આવી સાવ પાયાની ચીજો બાબતનું પરરાષ્ટ્રો પરનું અવલંબન તો કોશને ભોગે જ કોઠારને સમૃદ્ધ કરે અને તે પણ અનિશ્ચિત રીતે અને ખર્ચાળપણે. તેમાં પરરાષ્ટ્રો સાથેના રાજકીય પ્રશ્નો પણ ભારે બાધક બની શકે. આપણા સમયમાં સંયુક્ત-રાષ્ટ્ર-અમેરિકાના અણછાજતા ઘોર વિદ્વેષ અને નાકાબંધીનો ભોગ બનેલું નાનકડું રાષ્ટ્ર ક્યૂબા અન્નાદિ પાયાની ચીજો બાબત પૂર્ણ સ્વાવલંબનનો સંકલ્પબદ્ધ, સમયબદ્ધ, સંપૂર્ણ લોકજાગૃતિ અને લોકસહયોગ પર આધારિત આર્થિક કાર્યક્રમ પાર પાડીને જ આજે આત્મગૌરવથી ટકી રહ્યું છે. એ મોજામાં એ રાષ્ટ્ર દેશી સાધનોવાળી ઉત્તમ સજીવખેતી પણ નમૂનેદાર રીતે ખીલવી છે. કોશસંપત્તિસાધક લક્ષણોની દૃષ્ટિએ તો આ બે મુદ્દા સમસ્ત તળ જનપદના સ્વાધીન અને દેશી ઉદ્યમોથી ધમધમતા – બબ્બે મઘમઘતા – જીવનની આવશ્યકતા સૂચવે છે. આ આખી ચર્ચામાં એ વાત પણ બરાબર ઘૂંટાય છે કે અર્થોત્પાદનોનું સમતોલ, વિવેકી વૈવિધ્ય જ કોશને રાષ્ટ્રોપકારક રીતે સમૃદ્ધ કરતું રહે છે. રાષ્ટ્રની અર્થપ્રવૃત્તિ ઉત્પાદનોના જીવનપોષક સમતોલ વૈવિધ્યથી અને સર્વ કાર્યક્ષમ પ્રજાજનોની સ્વાધીન સામેલગીરીથી સધાતા રાષ્ટ્રરક્ષક સ્વાવલંબનથી ચિરકાળપર્યત કાર્યસાધક અને બહુવિધ રીતે જયવંતી બની રહે છે. આના અનુસંધાનમાં એ ખૂબ મહત્ત્વની વાત પણ અહીં નોંધવી ઘટે કે પ્રાચીનકાલીન ભારતવર્ષમાં દષ્ટિસંપન્ન રાજયતંત્રો દ્વારા કાર્યકરોને રોડ વેતન ઉપરાંત અન્ન જેવી પ્રથમ જરૂરિયાતને પોષતી ચીજો મરૂ (ભાત વગેરે ખોરાકી ચીજો) એવા યથાર્થ નામ સાથે નિયમિત અપાતી હતી. રોકડ નાણું એ માયાવી ધન હોઈ નાણા સામે મળતી વસ્તુના પ્રમાણની કોઈ નક્કી માત્રાની બાંહેધરી જગનું કોઈ રાજ્યતંત્ર આપી શકતું નથી. એથી અન્ન જેવી પાયાની ચીજ તો વેતનના ભાગરૂપે સીધી જ સેવકોને અપાય તો પરિવારોના નિર્વાહમાં પાયાની સ્થિરતા સધાય છે. શરીર-મનને સંયુક્ત રીતે પોષનાર અન્ન જ જીવનનો ખરો આધાર હોઈ ભારતમાં બે સૂત્રો વહેતાં થયાં: (૧) “અન્ન તે સ્વયં પ્રાણ છે” (બન્ને વૈ પ્રાણા:) અને (૨) “અન્ન સ્વયં બ્રહ્મ છે” (બન્ને વૈ બ્રહ્મ). આના જ પડઘારૂપે ઉપનિષદૂ જેવા આધ્યાત્મિક ગ્રંથે પણ આખા રાષ્ટ્રમાં અને વિશ્વમાં દયાનું રાજય સ્થપાય એવું વ્યવહારુ સૂત્ર આપ્યું : “પુષ્કળ અન્ન ઉગાડવું; આ તો વ્રત છે” (અન્ન વ૬ ર્વીત | ઉતર્ વ્રતમ્ I). આજે તો મસ્ત શબ્દ પરથી ઊતરી આવેલો ‘ભથ્થુ' શબ્દ જ રહ્યો, પણ એની સ્થૂળ પ્રથા બદલાતાં એ નામ પાછળની પ્રજાહિતરક્ષક સાર્થકતા નાશ પામી. ‘ભળ્યું કે વળી નવા વિચિત્ર નામે અપાતું “મોંઘવારી-ભથ્થુ પણ વેતનની જેમ રોકડ નાણામાં જ અપાતાં એ હકીકતે પ્રજાની મશ્કરી કે જબરી છેતરપિંડી બની રહ્યું છે. એ રકમ વધે તેમ-તેમ બજારમાં મોંઘવારી તો તેનાથી પણ વધુ ઊંચા પ્રમાણમાં વધે છે ! એટલે હકીકતે મોંઘવારીનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy