SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ બે લક્ષણોમાંના નિગ્રહકાર્યમાં પ્રયોજાતી રક્ષાપુરુષોની અને ન્યાયતંત્રની સંયુક્ત કામગીરીનું સાંસ્કૃતિક મૂલ્ય પણ સમજી લેવું ઘટે. મનુષ્યને માત્ર સ્થળ બળજોરી પરની મુસ્તાકી દ્વારા હીનતર બનાવતી જતી અને સરવાળે તો જીવનને કલંકિત, તિરસ્કારપાત્ર અને નિષ્ફળ જ બનાવતી મનુષ્યની આ બે અસામાજિક વૃત્તિ-પ્રવૃત્તિઓનો પ્રસાર-માર્ગ પાકે પાયે રોકી દઈને તેને પ્રામાણિક અને ગૌરવયુક્ત જીવન તરફ પ્રેરવામાં એવી રાજયતંત્રપ્રેરિત કામગીરીઓ નિમિત્ત બની રહે છે – જો એ પ્રમાદ વિના વિધિસર અમલી બનાવાય તો. એ પણ ન ભુલાય કે ચોરોને અને ખાઉકણિયાઓને વધુ ને વધુ ફાવતા જોઈને દેખાદેખી દ્વારા ગતાનુગતિકતા(સાચી-ખોટી ગમે તે બાબતના અનુકરણ)માં રાચતા પ્રજાજનોની સંખ્યા પણ વધતી જ જાય છે અને પ્રામાણિક નાગરિકોની નીતિનિષ્ઠા (morale) પણ તૂટતી જાય છે. સરવાળે, જીવનને સર્વાગી પ્રફુલ્લતા બક્ષતી પ્રજાકીય ધિંગી કર્મનિષ્ઠા ઘટી અન્યની સંપત્તિ પર તરાપ મારવાની નરી અનુત્પાદક-પ્રવૃત્તિ જ વધતી જાય છે – ખાસ કરીને અસામાજિકતાને ઉશ્કેરતી જોખમી નાણાપ્રથાવાળા અને કીમતી દ્રવ્યોના અતિસંચયમાં રાચતા શોષણખોર વરણાગી પ્રજાજનોવાળા સમાજમાં. આનાથી દેખીતી રીતે જ કોશને વધુ ને વધુ માનિ જ થતી જાય છે. એવા રાષ્ટ્રને સાચી અને કલ્યાણકારી પરિશ્રમજન્ય લક્ષ્મી ત્યજી જાય છે. જામેલી દુવૃત્તિઓ અને તજ્જન્ય દુષ્કર્મો નાબૂદ કરવાનો તાત્ત્વિક કે અસલ ઉપાય તો છે માનવચિત્તનું શુદ્ધીકરણ – જે સદાચારી પ્રેમમૂર્તિ સંતો જ સફળપણે કરી શકે. પરંતુ ખાસ કરીને કળિયુગમાં તો એવા ખરા સંતો સર્વદા, સર્વત્ર સુલભ હોતા નથી; એ સ્થિતિમાં રાજય-સંસ્થા દ્વારા સત્ય અને ઔચિત્યને મહદ્ અંશે જાળવીને નિશ્ચય અને કાર્યદક્ષતા સાથે બજાવાતી નિગ્રહની કામગીરી પણ માનવસંસ્કૃતિનો આશાસ્પદ બીજો ગઢ છે. તેનાથી દુષ્કર્મોની તીવ્રતા અને વિપુલતા અસરકારક રીતે ઘટીને રાષ્ટ્ર અને સમાજના વિકાસ અને કલ્યાણનો માર્ગ ઠીક-ઠીક પ્રમાણમાં સાફ થાય છે. અલબત્ત, સંતોના અભાવમાં વચલો પણ તાત્ત્વિક ઉપાય છે નાણાસંસ્થા અને પ્રજામાં વધતી જતી પરિગ્રહવૃત્તિ – એ બંને દૂષણો અંગેની પ્રજાકીય અને રાજયમંત્રીય જાગૃતિ અને નિગ્રહદક્ષતા. બાકી ચોરો અને ખાઉકણિયાઓના વ્યાપકપણે થતા કાર્યદક્ષ નિગ્રહની ચીલાચાલુ રાજયતંત્રીય કામગીરી પણ સંસ્કૃતિરક્ષાનું એક પ્રારંભિક કદમ તો અવશ્ય બની રહે છે. સંતોનાં અભાવ કે અછતના સંદર્ભે જો સમાજમાં ને રાષ્ટ્રમાં વ્યાપકપણે ખરેખરા સજ્જનોની હયાતી હોય તો તેમના દ્વારા પ્રમાદિત્યાગપૂર્વક સંગઠિત રૂપે કે અસંગઠિત રૂપે પણ રાષ્ટ્રના પ્રજાસમૂહોમાં થતું સદ્ગુણવિકાસ અને સગુણવૃદ્ધિનું સાતત્યપૂર્ણ કામ પણ એ રાજયમંત્રી નિગ્રહકાર્યને ખાસ્સે સરળ અને હળવું કરી શકે. એ દૃષ્ટિએ એવા રાષ્ટ્રીય સજ્જનવ્યાપારને રાજ્યતંત્રે પણ સક્રિયપણે આવકારીને, ઉત્તેજીને જરૂરી માળખાકીય સગવડો વગેરે દ્વારા વત્સલતાથી પોષવો જોઈએ. ત્યાર પછીનાં બે લક્ષણો કે મુદ્દાઓ રાજ્યતંત્રના સેવકો અને આમપ્રજાની જીવનયાત્રા અંગેની પાયાની સુખાકારી – વિશેષતઃ શરીરમનની સ્વસ્થતા અને સુદઢતા – અર્થે જરૂરી એવી પાયાની જીવનપોષક ચીજોની સુલભતારૂપ છેક પાયાની વાત ઉપસાવે છે. તેમાં અન્નની છતનો મુદ્દો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy