SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ચરિત્રાનુગ્રહ તે પ્રથમ લક્ષણનું પૂરક અને તેના દોષ નિવારતું બીજું લક્ષણ છે. ‘ત્રિ’નો મૂળ અર્થ છે વર્તનપદ્ધતિ કે જીવનશૈલી; તેને ‘ચાલચલગત’ કે ‘તાસીર' પણ કહી શકાય. ‘પ્રચારસમૃદ્ધિ’રૂપ પ્રથમ લક્ષણથી કોઈ વ્યવસાય કે ઉદ્યોગ સ્થૂળ સંપત્તિ ઝડપથી અને ખૂબ વિપુલ માત્રામાં તો સાધી શકે; પણ એવું બને કે માનવજીવન સાથે એટલે કે તળપ્રજાની સ્વાધીન-સ્વયંભૂ જીવનશૈલી સાથે, તેમ જ તેનાં શરીર-મન-બુદ્ધિની સહજ આરોગ્યરક્ષા સાથે એ સિદ્ધિ મેળ ન ખાતી હોય. વળી સિદ્ધ થતી વિપુલ નીપજ સ૨વાળે માનવજીવનને સ્થાયીરૂપે પોષનારી અને ઉન્નત કરનારી ન હોય એમ પણ બને. રિત્ર શબ્દનો એક અર્થ રિવાજ કે રૂઢિ પણ છે. તો અહીં જીવનશૈલીના જ નરવા કે સહજ અંગરૂપ નિર્દોષ રૂઢિઓ પણ ચરિત્ર શબ્દના અર્થરૂપે જરૂર સ્થાન પામે છે. કોઈ આર્થિક પ્રવૃત્તિની સ્થિરતા અને વૃદ્ધિકારકતા માટે એવી રૂઢિઓની જળવાતી આમન્યા પણ એક સહાયક પરિબળ ગણાય. વળી અહીં અર્થવિસ્તાર કરીને વરિત્ર શબ્દ જે-તે સ્થાનના ભૂમિવિસ્તાર અને સમગ્ર પર્યાવરણને પણ લાગુ પાડી શકાય; એટલે કે ભૂપૃષ્ઠનું સ્વરૂપ, ઋતુચર્યા, હવામાન, વન-ઉપવનરૂપ વનસ્પતિજગત્ પણ ચરિત્ર શબ્દથી સમજી શકાય. ટૂંકમાં જનજીવનનું અને સૃષ્ટિનું પરિપોષણ તે ચરિત્રાનુપ્ર. લોભાંધતાના ગુલામ બની અવિચારીપણે થયેલું ‘કીમતી’ લેખાતું વિપુલ ઉત્પાદન પણ સરવાળે પ્રજાજીવનને અને કોશને પણ સમૃદ્ધ ન કરી શકે એ આ પૂરક બીજું લક્ષણ બતાવે છે. આજે તો જનજીવન અને પર્યાવરણ બંનેને વધુ ને વધુ જર્જરિત કરતું જતું, કહેવાતું ‘વૈશ્વિક' અર્થતંત્ર, એવા જ માયાવી ‘ઉદારીકરણ'ના નામે ફાલી રહ્યું છે. અહીં સુજ્ઞજનને તરત એ સમજાયા વગર રહેતું નથી કે અહીં કોશની વૃદ્ધિ કરનારાં પરિબળોની સમગ્ર ગણના રૂપે પરોક્ષપણે નરવા અર્થતંત્રનાં જ લક્ષણો કહેવાઈ રહ્યાં છે. એકંદરે માનવકેન્દ્રી, સૃષ્ટિકેન્દ્રી ધિંગુ અર્થતંત્ર જ કોશની સાચી ચિરંજીવ વૃદ્ધિ કરે છે, જેના આરંભ, મધ્ય, અંત ઉપકારક બની કલ્યાણનું સાતત્ય સર્જે છે. ૨૨૧ ઉપર ગણાવેલાં પ્રથમ બે લક્ષણ કોઈ પણ રાષ્ટ્રના અર્થતંત્રના મોભરૂપ છે. એ જેટલાં બળવત્તર હોય તેટલા પ્રમાણમાં આ પછી ગણાવેલાં બાકી લક્ષણોની સિદ્ધિ સરળ બની રહે. વળી એક બાજુ એ બાકી લક્ષણો પ્રથમ બેને લીધે સરળપણે સિદ્ધ થાય છે, તો બીજી બાજુ તે લક્ષણો એ બેને પ્રબળ અને પરિપૂર્ણ બનાવે છે. પછી ગણાવેલાં બે લક્ષણો, સમાજમાં અલ્પસંખ્યામાં પણ હાનિકારક બની રહે તે રીતે ઠેરઠેર ફેલાયેલાં અસામાજિક તત્ત્વોના ઉચ્છેદરૂપ કે અસરકારક નિયમનરૂપ છે : ચોરોનો નિગ્રહ અને ખાયકી કરનાર નાના-મોટા અધિકારીઓ-ક્રાર્યકરો(યુ)નો નિગ્રહ. ચોરો સંચયસ્થાનોમાંથી બળજોરી અને સાહસ દ્વારા, સંચિત ધન પૈકીનું ઉઠાંતરી કરવામાં સરળ એવું ઓછાં કદ-વજનવાળું પણ ખૂબ કીમતી એવું ધન જ પ્રાયઃ ગુપ્ત કામગીરી દ્વારા ઉઠાવે છે, તો અધિકારીઓ-કર્મચારીઓ પોતપોતાનાં અર્થાત્પાદન-સ્થાનોમાંથી જ ઉત્પન્ન થયેલા માલને યા તેના વેચાણથી આવેલા ધનને બારોબાર અનેક યુક્તિઓથી ઘરભેગાં કે સગેવગે કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy