SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પ્રવારમાં ક્રિયા છે પ્રવર્તન કે પ્રવૃત્તિરૂપ. એ વાચ્યાર્થ પરથી ‘તે ક્રિયાનો આધાર કે તેનું ક્ષેત્ર’ એવો લક્ષણા' નામની શબ્દશક્તિથી સમજાતો અર્થ મળે છે. આ “ક્ષેત્રના જે-તે સ્થળરૂપ અર્થ ઉપરાંત પ્રવૃત્તિનાં આધારભૂત પરિબળોનું જૂથ' એવો વ્યાપક અર્થ પણ લઈ શકાય. ઉપર મુદ્દાની ગણતરીમાં એનો આ વ્યાપક અર્થ આપ્યો છે. અર્થપ્રવૃત્તિમાંનાં જે પરિબળોની અનુકૂળતાને કારણે એ પ્રવૃત્તિને “સારો ધંધો' એ રૂપે વ્યવહારુ દષ્ટિએ ઓળખાવી શકાય એ બધાંનો સમૂહ આ શબ્દ(પુવાર કે “ક્ષેત્ર')થી અહીં સમજી શકાય. આમાંનું કીમતીપણારૂપ પાસું પણ જે-તે ચીજની જીવનગત ઉપયોગિતા અને બજાર મૂલ્યવત્તા એ બંને ય અર્થમાં સમજવું. આ જ “પ્રચારસમૃદ્ધિ'; દા.ત. હીરાની ખાણોના પ્રદેશમાં હીરા-ઉદ્યોગ યા આરબદેશોનો ખનીજ-તેલનો ધંધો. દરેક રાષ્ટ્ર પોતાની પાસે આવી પ્રાકૃતિક સંપત્તિની સગવડવાળા થોડાક ઉદ્યોગો યા એકાદ ખૂબ મોટા પાયે શક્ય ઉદ્યોગ ઝંખે એ સ્વાભાવિક છે; કારણ : તે, પ્રજાની સમૃદ્ધિને સ્વપ્નસિદ્ધિની જેમ વધારે છે અને તે દ્વારા આપોઆપ કોશને પણ સમૃદ્ધ કરે છે. અહીં એ વાત તરફ ખાસ ધ્યાન દોરવાની જરૂર છે કે “પ્રચારસમૃદ્ધિમાં પ્રાકૃતિક સંપત્તિ જેટલું જ, બલ્ક ક્યારેક તેથી ય વધુ મહત્ત્વ, કસાયેલું, પ્રતિભાશીલ માનવબળ ધરાવે છે. આના સંદર્ભે પરસ્પર-પૂરક બે સંસ્કૃત સૂક્તિઓ માર્ગદર્શક છે. “ધરતી અનેક રત્નો શ્રેષ્ઠ વસ્તુઓ) ધરાવે છે” (વદુરના વસુંધરા) અને “ધરતી વીરો દ્વારા ભોગવી શકાય તેવી છે” (વીરમાયા, વસુંધરા). આ બંને સુવચનોનો સંયુક્ત પડઘો જ કૌટિલ્ય આપેલી મર્થની મૌલિક વ્યાખ્યામાં પડ્યો છે : “મનુષ્યવાળી ભૂમિ તે અર્થ.” આ ઉક્તિઓ અને કૌટિલ્યોક્ત વ્યાખ્યા એવી નૈસર્ગિક શુભ રચના સૂચવે છે, જેમાં ધરતીમાં ધરબાયેલી બહુવિધ પ્રાકૃતિક સંપત્તિનું મહત્ત્વ અને તેના નિમિત્તે જાગતી માનવચેતનાની શરીર, મન, બુદ્ધિ થકી પ્રગટતી બહુવિધ જીવનવિધાયક શક્તિઓનો મહિમા – એ બંનેના મિલનનો જ સ્થિર મહા-મહિમા ઊપજી આવે છે. માનવયત્ન વિના ધરતી જીવનવિધાયક બધી સંપત્તિ આપતી નથી એ વસ્તુસ્થિતિ બરાબર તપાસતાં પ્રકૃતિના મહાન આશિષરૂપ જ લાગે છે. આ દૃષ્ટિએ દરેક રાષ્ટ્ર ચિરંજીવ અને ચિરયશસ્વી તો બને છે આખી પ્રજાના મહિમાયુક્ત પુરુષાર્થને ઉત્તેજનાર ઊંચાં સ્વપ્રો વડે, મહેચ્છાઓ વડે. પૂર્વગ્રહમુક્ત, લોભપાશમુક્ત હૈયાઉકલત હોય તો સ્વાવલંબનસાધક ગૃહોદ્યોગોના મંગળકારી યોગમાં કૃષિ અને પશુપાલન શાતાદાયક પરિશ્રમકળાની દૃષ્ટિએ તેમ જ પ્રકૃતિ સાથેના મૈત્રીપૂર્ણ ગાઢ યોગને કારણે, દેશ-કાળની અનેક મર્યાદાઓ અને ઊંચા ખર્ચાળપણાને કારણે અનેક બાધાઓ જન્માવતા અન્ય વ્યવસાયો કરતાં આ પ્રચારસમૃદ્ધિની દષ્ટિએ ઉત્તમ સાર્વભૌમ વ્યવસાયો બની રહે છે. અનેક દેખીતી મર્યાદાઓ વચ્ચે પણ, અનેક પ્રાકૃતિક, સ્થાનિક ઉપાયો વડે ઓછાં સાધનો દ્વારા પણ સામાન્ય કોઠાસૂઝથી ખેતી સાર્વભૌમ વ્યવસાય બની રહે છે અને જીવનપોષક પાયાની જરૂરિયાતો પૂરી પાડી, સાથે મળતા પૂરા ફાજલ સમયને કારણે સ્વાવલંબનચક્ર પૂર્ણ કરતા સ્થાનિક ઉદ્યોગોથી જીવનની પરિપૂર્ણતા સાધીને સંતોષ અને વિશ્વમૈત્રીનાં અમૃત પ્રગટાવે છે. સરવાળે તો સમૃદ્ધિનો અસલ સ્રોત (જન્મસ્થાન) છે સમૃદ્ધ માનવચેતના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy