SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ આપણે આ વાર્તાલાપમાં આગળ ઉપર જોઈશું કે કૌટિલીય ‘અર્થશાસ્ત્ર' શાસ્ત્ર પ્રત્યેનો આવો સર્વાંગી વિવેક જાળવીને જ ગૂંથાયું છે. ,, શાસ્ત્ર અંગેની ઉપર્યુક્ત મર્યાદાઓ જાળવતા બૌદ્ધિકોનો, વિવિધ શાસ્ત્રો સાથે કેવો સંબંધ શક્ય છે તેની પણ એક સુચિંતિત ઉક્તિ ઘણી બોધક છે : “બુદ્ધિયુક્ત મનુષ્યોનો સમય કાવ્ય થકી કે શાસ્ત્ર થકી મળતા વિનોદથી (જીવનપોષક મનોરંજનથી) પસાર થાય છે; જ્યારે મૂર્ખ મનુષ્યોના સમય વ્યસનસેવનમાં, ઊંઘ્યા ક૨વામાં કે ઝધડાઓમાં વીતે છે. અહીં ‘વિનોદ’ શબ્દ [વિ ઉપસર્ગ સહિતના નુર્ (ધકેલવું) ધાતુ પરથી] એના મૂળ અર્થમાં વાપર્યો છે. : ‘વિશિષ્ટ (સચોટ) રીતે દુ:ખ કે કંટાળાને ધકેલે તે વિનોદ'. (આવો ઉપાય બૌદ્ધિક, હાર્દિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિરૂપ એમ ગમે તે સ્વરૂપનો હોઈ શકે.) શાસ્ત્રનું જિજ્ઞાસાપ્રેરિત મનભર અધ્યયન પણ ચૈતન્યસભર બુદ્ધિયુક્તને માટે તો નરવા શોખરૂપ હોઈ અત્યંત જીવંત અને રસપૂર્ણ બની રહે છે તે વાત અનુભવસિદ્ધ છે. એનાથી મનુષ્યચેતના અનેક રૂપની મુક્તતા કે ઊંડી મોકળાશ અનુભવે છે. વળી અહીં કાવ્ય (ગદ્ય-પદ્ય બધું લલિત સાહિત્ય) અને શાસ્ત્ર બંનેને એક કક્ષાએ મૂકીને પણ વિશેષે ભારતીય પરંપરામાં શાસ્ત્ર અને કાવ્ય (સાહિત્ય) સમાન રીતે કેવાં જીવનસ્પર્શી અને પરસ્પરપૂરક છે તે પૂરી સચ્ચાઈથી, અનુભવને આધારે કહેવાયું છે. શાસ્ત્ર અને કાવ્યની આ ગાઢ મૈત્રીની વાત તો ‘કવિ’ શબ્દના આવા બેવડા અર્થથી પણ સિદ્ધ થાય છે : ૧. રસાળ વાણી ઉચ્ચારનાર, ૨. શાણો મનુષ્ય કે ઋષિ. એક પાશ્ચાત્ય ચિંતક દ્વારા પણ ઉચ્ચ કાવ્યને તો બધી જ જ્ઞાનશાખાઓનું સૂક્ષ્મતમ – મધુરતમ રૂપ (finest essence of all knowledge) કહેવામાં આવ્યું છે. - શાસ્ત્રમાત્ર તરફ આવી ભરીભરી આશાયુક્ત શ્રદ્ધા ધારણ કરીને આ વાર્તાલાપમાં ‘અર્થશાસ્ત્ર’ ગ્રંથના વિશ્લેષણ દ્વારા આપણી પ્રજ્ઞાને સમૃદ્ધ ક૨વી છે. કોઈ વિદ્યાને સર્વાંગી રીતે શીખવા-સમજવાના સંકલ્પ સાથે કરાયેલા તે માટેના વ્રતયુક્ત સ્થિર પ્રયત્નને માટે ઉપયોગ' શબ્દ વપરાતો હોવાનું પાણિનિએ નોંધ્યું છે. જૈન ધર્મવ્યવહારોમાં આ શબ્દ કદાચ આ અર્થને આધારે જ ‘પોતાને માટે શ્રદ્ધેય બનેલા જ્ઞાન અનુસાર કરાયેલું પ્રત્યેક વર્તન' એવો એટલે કે ‘જ્ઞાનપૂર્ણ સાવધ પ્રવૃત્તિ’ એવા સુંદર અર્થમાં ચલણી બન્યો છે. તો એક નરવા શાસ્ત્રને જાણીને એના પ્રત્યે પણ આપણો ‘ઉપયોગ’રૂપ ભર્યોભર્યો સંબંધ બંધાય તે માટેનો આ નાનકડો પ્રયત્ન છે. માનવજીવનમાં રાજનીતિનું સ્થાન શ્રી જવાહરલાલ નેહરૂએ એમના એક ગ્રંથમાં માનવ-ઇતિહાસના નિરૂપણનું વિષયવસ્તુ ચીંધતાં એનો હેતુ પણ આ રીતે કહ્યો છે : “બર્બરતામાંથી સંસ્કૃતિ સુધીનો મનુષ્યનો વિકાસ એ ઇતિહાસનું વિષયવસ્તુ છે” (Man's growth from barbarism to civilisation is the theme of History). પૃથ્વીના પોપડાના જીવનપોષક નિર્માણ સાથે ઉદ્ભવેલા જીવોની ઉત્ક્રાંતિના ક્રમે જ્યારે આજનો મનુષ્ય સાકાર થયો, ત્યારે ભૂમિ મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત હતી અને મનુષ્ય કંદ-પાન-ફૂલ-ફળ ઇત્યાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy