SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલીય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અનુમાનશક્તિ (પ્રત્યક્ષ વસ્તુના પુરાવા પરથી તેની સાથે અનિવાર્ય રૂપે સંકળાયેલી પરોક્ષ બાબતનો બોધ પામનાર બુદ્ધિશક્તિ) પણ આપી છે. વળી એનાથી ચઢિયાતી પ્રજ્ઞા (કોઠાસૂઝ) અને અનેક પરોક્ષ વિષયોનો સાક્ષાત્કાર કરાવનારી, ચિત્તશુદ્ધિજન્ય અડીખમ ધ્યાનશક્તિ પણ કુદરતે મનુષ્યને આપેલી છે. કોઈ શાસ્ત્રને ઝીલવા અને ચકાસવા માટે એ બધાંનો ઉપયોગ કરવો જરૂરી છે; નહિતર શાસ્ત્ર બાબત ગેરસમજ થવાને કારણે નુકસાન પણ થઈ શકે. તેથી ધર્મ જેવા પરોક્ષ ગણાતા (ગુપ્ત રહેલા - ખુદાયાં નિતિમ્) વિષય અંગે પણ ‘મનુસ્મૃતિ’માં કહેવાયું છે : “જે, વ્યક્તિ તર્કથી કોઈ પણ વાતનું અનુસંધાન કરે છે, તે જ ધર્મને બરોબર સમજે છે; બીજો નહિ.”ૐ આમ કોઈ પણ શાસ્ત્ર મનુષ્યની સ્વાધીનતાને, સ્વાવલંબનશક્તિને તોડી પાડનાર ન જ હોઈ શકે. શાસ્ત્રનો પ્રાથમિક સ્વીકાર ભલે શ્રદ્ધાશક્તિથી થાય, પણ તેની પ્રતીતિ (આધારભૂત સમજણ) માટે શાસ્ત્ર ઝીલનારે પોતાની વત્તી-ઓછી જે કોઈ સૂઝ-સમજ હોય તે વાપરવી જરૂરી છે. ઘણી વા૨ જ્યારે આખા ને આખા માનવસમુદાયનાં જામી ગયેલાં આળસ અને પ્રમાદ તેમને વિચારવામાત્રમાં પૂરા વિમુખ બનાવી દે છે, ત્યારે તેમની અંધશ્રદ્ધાનો ગેરલાભ લઈ મિથ્યાશાસ્રો દ્વારા તેમનું વધારે ને વધારે શોષણ થયેલું પણ ઇતિહાસમાં વારંવાર નોંધાયું છે. તે દૃષ્ટિએ તો જરૂર કહી શકાય કે કહેવાતા શાસ્ર(indoctrination)નો દુરુપયોગ શસ્ત્ર કરતાં પણ વધુ ઘાતક રીતે વ્યાપકપણે થઈ શકે છે, અને ખરેખર થતો રહ્યો પણ છે. તેથી ઉપર્યુક્ત સુભાષિતની ચેતવણી ખૂબ ખૂબ જરૂરી છે. એનો ભાવાર્થ એ પણ તારવી શકાય કે શાસ્ત્ર પ્રજ્ઞામાંથી જન્મે છે, તેથી પરંપરાપ્રાપ્ત શાસ્ત્રનાં અર્થઘટન અને મુલવણી પણ નવા-નવા મનુષ્યોની પોતપોતાની પ્રજ્ઞા (વિશુદ્ધ જ્ઞાનશક્તિ) દ્વારા થતાં રહેવાં જોઈએ અને એમાં સમયાનુરૂપ પરિવર્તનો પણ એ દ્વારા જ નિર્ભયપણે થતાં રહેવાં ઘટે. અને ખરેખર, સર્વ ભારતીય શાસ્ત્રપરંપરાઓ આવી રીતે જ ઊછરીને, કદાચ ઓછાવત્તા સંઘર્ષ કે ગજગ્રાહોમાંથી ય પસાર થઈને, છેવટે નવા-નવા સોહામણા જન્મો પામતી રહી છે. આ સુભાષિતમાં સુપ્રતિષ્ઠિત ‘પ્રજ્ઞા’ શબ્દ વાપરીને ઉછાંછળા કે છીછરા તર્કને લગામ સોંપી દેવાનો નિષેધ પણ સૂચવાયો છે. ૬ એક સુભાષિત ત્રીજી વાત પણ આની સાથે, જરૂરી પુરવણીરૂપે જોડે છે : “શાસ્ત્રો શીખી-સમજીને પણ મૂર્ખ રહેનારા હોય છે. તો જે પુરુષ ક્રિયામાં ઉદ્યમી હોય છે, તે જ શાસ્ત્રનો સાચો જાણકાર કે શાસ્ત્રમર્મજ્ઞ ઠરે છે.’૪ આ જ વાત ઊલટી રીતે, એટલે કે શાસ્ત્ર કોને ન કહેવું તે દૃષ્ટિએ આમ કહેવાઈ છે : “ગમે તેવાને ઉપદેશ ન દેવો; જુઓ ને [સાચું શિખવાડતી] ‘સુગૃહી’(સુધરી)ને મૂર્ખ વાનરે ‘નિર્ગૃહી’(ઘર વિનાની, માળા વિનાની) કરી નાખી !”પ આ ઉક્તિઓ શાસ્ત્રના અધિકારી(યોગ્ય ઝીલનાર)ની વાત ચીંધે છે. જેને કોઈ પણ બાબત પરત્વે ‘સાચું શું’ ને ‘ખોટું શું’ એવી તાલાવેલીભરી જિજ્ઞાસા હૈયે ઉભરાય તેને જ શાસ્ત્રનો ઉપદેશ આપવા ભલામણ કરાઈ છે. તેમાં એ લાભ પણ છે કે એવો શિષ્ય ગુરુના શાસ્ત્ર અંગે ય વારંવાર માર્મિક શંકાઓ ઊભી કરીને શાસ્ત્રમાં રહી ગયેલા દોષો દૂર ક૨વામાં પણ ફાળો આપશે. પ્રાચીન ભારતીય અનેક શાસ્ત્રગ્રંથો આવા ગુરુ-શિષ્ય વચ્ચેના, અથવા તો જે-તે શાસ્ત્રકાર અને તેના પ્રખર વિરોધી વચ્ચેના પણ સંવિવાદોથી જીવંત રીતે ગાજતા અને રસપ્રદ બની રહેલા છે અને એ પ્રક્રિયામાં જે તે શાસ્ત્રધારાની પરિશુદ્ધિ અને નૂતનતા પણ સધાતી જોવા મળે છે. ઉપર્યુક્ત સુભાષિત જ્ઞાનના અમલ પર ભાર આપે છે તે ન ભુલાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy