SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા તે પૈકી સાતમો અધ્યાય છે. અક્ષપટલે શાનિયાથિજાર: (અક્ષપટત્ત એટલે હિસાબોની નોંધ અને ચકાસણીનું કાર્યાલય આજની A.G.ની Accountant Generalની કચેરી; તેમાંનું નિજ્ય એટલે તેમાંની રાષ્ટ્રીય હિસાબની કામગીરી). ગણિત અથવા હિસાબ એ આર્થિક કર્મઠપણું અને આર્થિક સમવિતરણ કે માનવીય ન્યાય સિદ્ધ કરનાર ખૂબ મહત્ત્વની અને કાયમી એવી ઉજ્જવળ બૌદ્ધિક પ્રવૃત્તિ છે; વિશિષ્ટ સામાજિક ચેતના છે. હિસાબમાં રજૂ થતી ચોક્કસ ગણના કોઈ પણ ઉત્પાદનાદિ આર્થિક પ્રવૃત્તિમાં થયેલા કે કરાયેલા દોષનો ધજાગરો કરે છે. આ પ્રકરણ રાજ્યની જુદી-જુદી આર્થિક પ્રવૃત્તિઓ સંભાળતા તે-તે અધ્યક્ષોનાં પોતપોતાનાં અર્થઉત્પાદન-ક્ષેત્રોમાં જુદા-જુદા કાળખંડો દરમિયાન થયેલા ઉત્પાદનના ૨જૂ ક૨વા લાયક ચોકસાઈભર્યા સંક્ષિપ્ત અને વિસ્તૃત હિસાબોના સ્વરૂપનો વ્યવહારુ પરિચય આપે છે. આવા હિસાબોને જેમ ને તેમ સ્વીકારી ન લેતાં, તેમાં સમાતા સંક્ષિપ્ત અને વિસ્તૃત વિવિધ હિસાબોની પરસ્પર સંગતિ તેમ જ પ્રત્યેક ગણનાની વાસ્તવિક સ્થિતિ સાથેની સંગતિ પણ ચકાસવાની હોય છે. અનુમાનથી અને ગુપ્તચરો દ્વારા આણવામાં આવતી વિવિધ પાકી જાણકારીઓ પરથી પણ દરેક હિસાબની ખરાઈ પાકે પાયે તપાસવામાં આવે છે. વળી રજૂ કરાયેલા આંકડાઓની ખરાઈના દસ્તાવેજી પુરાવાઓ પણ આપવાના હોય છે. હિસાબો અયોગ્ય (શંકાજનક) વિલંબ વિના રજૂ થાય તેની પણ કાળજી લેવાની હોય છે. આ છે લોકહિતને અંતરની નિષ્ઠાથી વરેલા રાજ્યતંત્રની સત્ય પ્રત્યેની સાતત્યયુક્ત પ્રતિબદ્ધતા, જેનો પાયો છે છેક ઉચ્ચતમ કક્ષાના રાજપુરુષોથી આરંભાતો પ્રતિભાશાળી, જ્ઞાનપૂર્ણ ઇન્દ્રિયજય. આજના પણ નરવા રાજ્યતંત્રનો હિસાબી કારોબાર એકંદરે આવો જ હોય છે. જ્યાં સુધી માનવસ્વભાવની પાયાની વસ્તુસ્થિતિઓ બદલાય નહિ, ત્યાં સુધી એકંદરે સમાજને વાજબી સુખ-શાંતિ મળી શકે તેવો આર્થિક પાયો પૂરતો સધ્ધર બનાવી રાખવા, આવી ચુસ્તીભરી કામગીરી જ સ્થિર-સ્વસ્થ બુદ્ધિને સૂઝે. આ પ્રકરણમાં ઉત્પાદનહાનિ કે ઉત્પન્ન દ્રવ્યની ખાયકી કેવી-કેવી માનવ-વક્રતાઓથી, સદોષ વહેવારોથી થઈ શકે તેની પણ એક રસપ્રદ યાદી દોષની તીવ્રતાના કે ગંભીરતાના ચઢતા ક્રમે આમ આપી છે : અજ્ઞાન, શરીરક્લેશ ઉઠાવવા બાબતની આળસ, વિષયાસતિજન્ય પ્રમાદ, વિરોધઅધર્મ-અનર્થ અંગેનો ભય, કાર્યસાથી પ્રત્યેના રાગને કારણે તેના પર અનુગ્રહ કરવા પ્રેરતો કામ, તેથી ઊલટું : કાર્યસાથી પ્રત્યેનો હિંસાજનક ક્રોધ અને તોલ-માપ આદિના છળમાં ધકેલે તેવો લોભ. આમાંના પછી-પછીના દોષો મનુના અનુયાયીઓના મતે ક્રમશઃ વધુ ને વધુ દંડને પાત્ર છે.૨૩ ૨૧૩ ઉપર કહ્યા મુજબ હિસાબની ખરાઈ માટે સમયબદ્ધતા પણ આવશ્યક છે. હિસાબમાં થતા વિલંબ અંગે મર્યાદિત છૂટછાટ કરતાં અધિક સમય ગાળનારને શિક્ષા કરવી જરૂરી છે. હિસાબની સાથે જ એ હિસાબમાં બતાવેલી કુલ ૨કમ કે શેષ રહેતી રકમ (નીવî- balance) તરત જમા થવી જોઈએ. અગાઉ આપણે રાજાની દિનચર્યા તપાસેલી ; તેમાં રોજ વિવિધ અર્થપ્રવૃત્તિઓના નિયુક્ત અધ્યક્ષો દ્વારા રજૂ થતાં વિવિધ અર્થકાર્યોના અહેવાલો અને હિસાબોની તપાસ પણ ખુદ રાજાની કામગીરીમાંના એક તરીકે બતાવાઈ છે ! ‘અર્થપતિ'ની, અર્થપ્રવૃત્તિની ઝીણામાં ઝીણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy