SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કરી આપી એવાં સુખ-સંપત્તિનાં સ્વામી બનાવે છે, કે જેમાં ભવિષ્યની શક્ય અણધારી આપત્તિઓનો ઉપાય પણ નિત્ય ધરબાયેલો પડ્યો હોય છે (અર્થાત્ ગર્ભિત હોય છે.) શાંતિપ્રિય અને અર્થનું સ્થિર ઉપાસક એવું રાષ્ટ્ર પ્રાકૃતિક કે શત્રુ-નિર્મિત કોઈ પણ આપત્તિને પાર કરી જવાની સ્વયંભૂ (inherent) ક્ષમતાનું સૌભાગ્ય પામેલું હોય છે. ભારતીય પરંપરામાં ‘સ્થૂલભદ્ર' અર્થાત્ ‘વિપુલ કલ્યાણ'(કોઈ પણ વર્તમાન કે ભાવી અકલ્યાણ કે આપત્તિને પણ કાપે તેવો કલ્યાણનો પૂરતી વિપુલતાવાળો જથ્થો – buffer stock કે reserve fund)ની એક સુંદર વિભાવના અને તેના પ્રત્યેની ચેતનાની પ્રતિબદ્ધતા વિકસેલી છે. એનો સંદેશો એ છે કે મનુષ્ય એવી જીવનશૈલી અપનાવવી જોઈએ કે જેથી નૈસર્ગિક રીતે જ આવનારી કોઈ પણ કક્ષાની આપત્તિને તરી જઈ શકે તેવા પુણ્યના કે કલ્યાણનાં નિધિનો તે સ્વામી બની રહે. કોશ-સંચયના ઉપર વર્ણવેલા ઉપાયો રાષ્ટ્રમાંના આવા ઊજળા પ્રચ્છન્ન ધનબળને જ બહાર લાવવાના વૈધ (વિધિસરના - legitimate) પ્રયોગો બની રહે છે. સમધારણ (સમતોલ) રાજીવન આવી ધિંગી સર્વાગી (all-rounder) પ્રતિભાનું ઉછેરક્ષેત્ર જ બની રહે છે. આર્થિક ભ્રષ્ટાચારોનું નિયમન કાણા વાસણમાં જળ ટકી શકતું નથી. કાણું અર્થતંત્ર પણ રાષ્ટ્ર માટે અર્થહીન શક્તિક્ષયરૂપ જ બની રહે. એટલે ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલો અર્થસમુદાય ઉત્પાદકો દ્વારા ઉચાપત ન કરાય કે અન્ય રીતે નાશ ન પામે છે, અને એવો ઉપદ્રવમુક્ત રખાયેલો અર્થ રાષ્ટ્રનાં સંચયસ્થાનોમાં વિધિસર સંચય પામે તે રાજયમંત્રનો એક મોટો ચિંતનવિષય અને, પૌરુષવિષય છે. એ દ્વારા જ રાજ્યના કોશ અને કોઠાર (ઝાર) બંને સમૃદ્ધ રહે છે. એ બે પૈકી પણ જાગતિક ભૌતિક પરિબળો સામે રાષ્ટ્રની ભૌતિક સમતુલા સાધવા માટે કોશનો મહિમા સર્વોચ્ચ સિદ્ધ થયેલો છે. કોશ એ રાષ્ટ્રના જાગતા અને ગાજતા અંતરાત્માનું મૂર્ત પ્રતીક છે, જેના થકી સમસ્ત રાષ્ટ્રનાં જન-જન, પ્રાણીઓ અને નૈસર્ગિક સૃષ્ટિ નિત્ય યથેચ્છ રીતે પોષાતાં રહે છે. કોઠારની સ્થિર સમૃદ્ધિથી પણ પુષ્ટ બનતા કોશની સમૃદ્ધિનો મહત્ત્વનો આધાર અનુકૂળ દેવ ઉપરાંત ઉત્તાન (કાર્યસજ્જ) ચેતનાથી સભર બુદ્ધિનિષ્ઠ મનુષ્યો છે. તો બીજી બાજુએ, મનુષ્યચિત્ત વ્યાપક રીતે વિકૃત થતાં કોશની અને રાષ્ટ્રની સુખશાંતિની સમૃદ્ધિ ભાંગ્યા વિના રહેતી નથી. ઉત્પાદનસ્થાનોના કાર્યકરો ને નિયામકોની વ્યાપક નિયમબદ્ધતા અને કર્મશીલતા નિરંતર ઉન્નત રહે તે દ્વારા કોશની સમૃદ્ધિ ટકી રહે છે. અર્થશાસ્ત્રનું બીજું અધ્યક્ષપ્રવીર-અધિકરણ રાષ્ટ્રની સૌથી મહત્ત્વની સર્વાગી અર્થપ્રવૃત્તિનું – ખાસ કરીને એ પ્રવૃત્તિઓના નિયામક અધ્યક્ષોનાં સત્ત્વશીલ કર્તવ્યોનું – ચિંતન કરવા માટે રચાયું છે અને રાજયના સૌથી ટોચના અધિકારીઓના વિનયની વિચારણા કરતા વિનયથરિમ્ એ પ્રથમ અધિકરણ પછી યોગ્યતાપૂર્વક તરત જ સ્થાન પામ્યું છે. એ અધિકરણના અધ્યાય ૪.૭,૮,૯ મુખ્યત્વે અર્થોત્પાદનક્ષેત્રના સંભવિત દોષોનું અનુભવાશ્રિત ચિંતન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy