SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા વખતે આપવાની ભલામણ કરાઈ છે. એ જ રીતે પાખંડીઓ(વિરલ સંપ્રદાયો)ના સંસ્થાગત ધન બાબત પણ કરવું. કેટલાક દેખીતી રીતે અનૈતિક લાગતા ઉપાયો પણ, અનેક ઉપાયો પૈકીના એક તરીકે, માત્ર રાષ્ટ્રહિતાર્થે તાબડતોબ જોઈતા વિપુલ કોશની આવશ્યકતા પૂરવાના એક પ્રયત્ન તરીકે સૂચવ્યા છે. વેપારી, સોની, સિક્કા-પરીક્ષક અધિકારી (રૂપર્શ) જેવા ધંધાદારીઓના વેશ ભજવતા ગુપ્તચરો દ્વારા તે અજમાવવાના છે. વેપારીરૂપે પોતાના પુષ્કળ માલ સામે મોટું ધિરાણ શરાફ પાસેથી મેળવી, માલ વેચાઈ જતાં સંચિત થયેલું બેવડું ધન લૂંટાઈ ગયાનું નાટક ઊભું કરી, નાદારી નોંધાવી, તે ધન કોશભેગું કરવાની વાત છે ! સોનીના વેષધારી ગુપ્તચરે ઘડવા માટે ગ્રાહકનું સોનું લઈને અને સિક્કા-પરીક્ષકે તપાસવા માટેના વિપુલ સિક્કાઓ લઈને પછી લૂંટાયાનું નાટક કરી હાથ ખંખેરી નાખી તે પ્રાપ્ત સોનું કે સિક્કા કોશભેગા કરવા ! આવા ઉપાયો કૌટિલ્યને પોતાને કદાચ એકદમ ગ્રાહ્ય ન લાગ્યા હોય, છતાં પરંપરાથી વ્યવહારમાં આચરાતા અને રાજ્યતંત્રમાં પ્રચલિત હોવાના કારણે, માત્ર સારો અંતિમ હેતુ સિદ્ધ કરવા માટેના તાત્કાલિક આપદ્ધર્મ તરીકે પુરસ્કાર્યા જણાય છે. વળી આમાં જે ધંધાદારીને નુકસાન પહોંચાડવાનું છે, તે પૈકી એક છે ધીરધાર કરનાર શરાફ. શરાફોની વ્યાજખોરી તે વખતે પણ પ્રચલિત હોવાનો સંભવ છે. એટલે સમાજમાંથી એણે અન્યાયથી પડાવેલું તગડું ધન આખા રાષ્ટ્રના હિત માટે, ‘જેવા સાથે તેવા’ની નીતિથી, રાષ્ટ્રની કટોકટી વખતે, યુક્તિથી પડાવવામાં સામાજિક ન્યાય પણ છે. તે રીતે સોની કે સિક્કાપરીક્ષક દ્વારા છેતરવામાં આવનાર વ્યક્તિની પણ આને મળતી જ આર્થિક સધ્ધરતા જોઈને જ પગલું ભરાતું હશે એમ ચોક્કસ માની શકાય. ૨૧૧ બીજા એક ‘દૂષ્યો’ના વર્ગને પણ વિવિધ રીતે ખંખેરી લેવાની વાતમાં રાષ્ટ્રીય અને રાજકીય એમ બેવડી દૃષ્ટિએ ન્યાય છે. સ્વાર્થ ખાતર રાષ્ટ્રદોહ કરવાની બેઠી મનોવૃત્તિવાળા અધિકારીઓ કે પ્રજાજનો તે ‘દૃષ્ય’, અથવા દૂષણ ઝટ અપનાવી શકે, બગડી શકે તે દૃષ્ય. એમાં જે-તે વ્યક્તિની નબળી કડી જાણીને, વિવિધ યુક્તિઓ દ્વારા જે-તે દોષનું સેવન કરવા તેને ઉત્તેજી શકાય તેવી પરિસ્થિતિ ગુપ્તચરો દ્વારા ઊભી કરીને, એ દોષ-સેવનના બહાને તેની સંપત્તિ જપ્ત કરવાની યોજના હોય છે. તે ઉપરાંત તેને ખોટા આરોપમાં સંડોવી, એ આરોપનો ખોટો પુરાવો ઊભો કરીને તેની સંપત્તિ જપ્ત કરવાના વિકલ્પો પણ દર્શાવાયા છે. આ યુક્તિવર્ણનોને અંતે ભારપૂર્વક આદેશ અપાયો છે કે આવો વ્યવહાર અત્યંત અધાર્મિક એવી, દેશદ્રોહી વલણવાળી (દૂષ્ય) વ્યક્તિઓ સાથે જ કરવો; અન્યો સાથે નહિ. અધ્યાયને અંતે સુંદર ઉપમા દ્વારા કોશસંચયના આ કાર્ય અંગે આવો સોનેરી નિયમ કહે છે : ‘‘જેમ બગીચામાંથી, તેમ રાજ્યમાંથી પણ બરાબર પાકી ગયેલું ફળ જ ચૂંટવું. પ્રકોપ, રોગ, વિદ્રોહ જન્માવનારું કાચું ફળ, પોતાના છેદના ભયે ટાળવું.૨૨, અત્યંત લાઘવથી, ખૂબ મહત્ત્વનો વિવેક, કોશ-સંચય સિવાયની બીજી ઘણી બાબતોને પણ લાગુ પડે તેવી વ્યાપકતાથી કહ્યો છે. અહીં પાયાની વાત એ છે કે દીર્ઘકાલીન સુરાજ્ય સર્વ પ્રજાજૂથોને જીવવાની ઉત્તમ મોકળાશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy