SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૭ કોશની સંપત્તિ મહા-આપત્તિની ઢાલરૂપ હોઈને રાષ્ટ્રની નાની-મોટી આપત્તિઓ પ્રસંગે કોશમાંથી ઓછા-વત્તો કે ખૂબ વિપુલ વ્યય કે હોમ પણ કરવો પડે. એવો એક મહત્ત્વનો સંદર્ભ છે બળવત્તર શત્રુ સામે પોતે નિરુપાય અને અસહાય હોય ત્યારે નબળા રાજા તરીકેનો એ સબળ શત્રુ સાથેનો સંધિ (હીનન્યિ) કરવાનો. તેવો સંધિ શત્રુને દેખીતી રીતે તો લાભ થાય તેવી શરતો દ્વારા જ સાધી શકાય છે. અધ્યાય ૪.૭.૩ના ઉત્તરાર્ધમાં આવા હીન (નબળા) રાજાએ કરવાના સંધિઓ વર્ણવાયા છે. (સંસ્કૃત ભાષાની પરંપરા મુજબ અહીં “સંધિ' શબ્દ, ‘વિધિ’ શબ્દની જેમ, પુલિંગમાં વાપરવાનું પસંદ કર્યું છે.) તેમાં ૨૭માથી ૩૧માં સૂત્રમાં ચાર પ્રકારના ઋોશોપનતક્ષશ્વિ (શત્રુને કોશની જુદી-જુદી કક્ષાની સોંપણી કરવામાં આવે તેવા સંધિઓ) રજૂ કરાયા છે. આ સંધિઓમાં કોશની સોંપણીનો જે પ્રકારનો કરાર શત્રુ સાથે થાય, તેમાં પોતાના રાજયને વાસ્તવિક રીતે ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શક્ય એવી યુક્તિ-પ્રયુક્તિઓ પણ રાજયતંત્રની કુશળ મંત્રશક્તિ વાપરીને અજમાવવાની છે; અલબત્ત, કોશનો વત્તો-ઓછો અંશ ગુમાવવો તો પડે જ છે. પછીના બારમા કાવત્નીયસમ્ (“નબળા રાજા સંબંધી') અધિકરણમાં તો, કોઈક પરિસ્થિતિમાં કોશ પણ સંપૂર્ણપણે હોમવો પડે તો પણ તેની તૈયારી રાખવા અને રાજાને માત્ર પોતાના પ્રાણ બચાવી લેવા અનુરોધ કરાયો છે – “જીવતો નર ભદ્રા પામે” એ ન્યાયે. છેવટની તાત્ત્વિક ભૂમિકાએ તો કૌટિલ્ય રાજાના સત્ત્વને (રાજાની “આત્મવત્તાને) જ રાજયનો ખરો ખજાનો માને છે. અર્થશાસ્ત્ર'નું કાળજીભર્યું અધ્યયન કરનાર ભારતીય દર્શનશાસ્ત્રજ્ઞને કૌટિલ્યનો સાંખ્યદર્શન પ્રત્યેનો ચૂંટાયેલો પરમાદર જણાયા વગર રહેતો નથી. આગળ આપણે બીજા વ્યાખ્યાનમાં રાજા માટેની અધ્યયનયોગ્ય ચાર વિદ્યાઓની વિચારણા કરતાં જોયું જ છે કે દર્શનવિદ્યા(નાવીfક્ષી)માં પણ અધ્યયન-યોગ્ય જે ત્રણ દર્શન ગણાવાયાં છે તેમાં સાંખ્યદર્શન પ્રથમ ઉલ્લેખાયું છે. એથી ચૈતન્યની નિર્લેપતા અને સાક્ષિતા (તટસ્થ સાક્ષી જ બની રહેવાપણું) તેમને મન પરમોચ્ચ મનુષ્યલક્ષણો છે. તેઓ ચૈતન્યવાદી છે; જડવાદી નહિ. કોશ અત્યંત કીમતી દ્રવ્યોના સંચયરૂપ હોઈ એક મોટો લાભ એ છે કે કટોકટી પ્રસંગે તેનું ઝડપથી સ્થાનાંતર કરી રક્ષણ થઈ શકે છે. તેથી કટોકટી પ્રસંગે કોશનું સલામત સ્થળે સ્થાનાંતર કરવાની પણ ભલામણ કરાઈ છે. વળી એક વધારાનો અનામત (reserved) કોશ ('રિઝર્વ બેંક !) સરહદના કોઈ ગુપ્ત સ્થાને સ્થાપવાની ભલામણ પણ ભારપૂર્વક કરાઈ છે. એવા કોશનું સ્થાન ગુપ્ત જ રહે તે માટે એવી પણ જોગવાઈ સૂચવાઈ છે કે તે સ્થાનનું નિર્માણ વધની સજાનો નિર્ણય જેને માટે થઈ ગયો હોય તેવા (શિસ્ત) ગુન્હેગાર દ્વારા કરાવવું – જેથી પછી તરત અમલી બનનારા તેના વધને કારણે તે સ્થાનની માહિતી ગુપ્ત જ રહે. અત્રે ગ્રંથનો અધ્યાય ક. ૫.૨ પણ સ્મરણીય છે. તેમાંના પ્રકરણનું શીર્ષક છે : લોકસંદરમ્ (‘ખાલી કોશ ભરવાના ઉપાયો'). જેમ ગૃહસ્થ વ્યક્તિના જીવનમાં, તેમ રાષ્ટ્રના જીવનમાં ગમે ત્યારે અણધારી મહા-આપત્તિ પણ આવતી હોય છે. કાં તો આવી પડેલી આપત્તિના અણધાર્યા અતિભયાવહ વિશાળ કદને કારણે, કાં તો અગાઉનાં વિવિધ કારણોથી કોશ સાવ ક્ષીણ થયો હોય તેથી, રાજયની કોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy