SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પરાક્રમશક્તિનું, સંચય માટે અનુકૂળ ટકાઉ સ્વરૂપ સોનું-રૂપું-હીરા-મોતી જેવાં દ્રવ્યોમાં તેમ જ સોના-રૂપા-નિર્મિત સિક્કાઓમાં જ હોઈ, કોશ તેના જ સંચયરૂપે ઊભો કરાય છે. સાંસારિક ભાષામાં કહીએ તો આવા કોશનું પરિમાણ, રાષ્ટ્ર દ્વારા પોતાના ઇતિહાસથી કમાવાયેલી આબરૂના પરિમાણ(જથ્થા)નું પ્રતીક બની રહે છે. જેમ ઠાવકા સંસારવ્યવહારમાં માણસની આબરૂ એ જાળવવા લાયક અને વધારવા લાયક ચીજ ગણાય છે, તેમ રાષ્ટ્રજીવનમાં કોશ પણ તેવો જ ગણાય છે. વળી આબરૂ જરૂર-જોગી વટાવવી પણ પડે, તેમ કોશને પણ જરૂર પડ્યે વટાવવો પણ પડે. પણ એમ વટાવવામાં જેટલાં પ્રમાણભાન અને સંયમ જળવાય તેટલો એ બંનેને લાભ છે. આ કારણે જ કોશ રોજ-બ-રોજના શારીરિક-ભૌતિક જીવન-વહેવારને ઉપયોગી એવી ચીજોના સંચયરૂપ નહિ, પણ ઉચ્ચતર પ્રતિભાગુણોના ફળરૂપ શોભાદ્રવ્યોના સંચયરૂપ હોય તેવી પરંપરા સ્થપાઈ જણાય છે. જીવનોપયોગી ચીજોના સંચય માટે તો છે “કોઠાર' (મોઝ IIT). કોશનાં ઉપરનાં બે લક્ષણોની સાર્થકતા બતાવે તેવી ત્રીજી લાક્ષણિકતાના નિર્દેશ સાથે કોશનું ટૂંકું પણ સચોટ વર્ણન પરિપૂર્ણ બની રહે છે. તે લાક્ષણિકતા આ બતાવી છે : ““કોશ આવકના અભાવવાળી લાંબી આપત્તિ(રાષ્ટ્રીય આપત્તિ)માં પણ ઝીંક ઝીલે તેવો, એટલે કે રાષ્ટ્રની આપત્તિને પાર કરાવે તેવો કસદાર અને વિપુલ હોવો ઘટે (વીર્ધામણા મનથતિં સહેત). કોશમાં અગાઉ બતાવ્યા પ્રમાણે, સર્વ રાષ્ટ્રોમાં સમાન રીતે માન્ય એવી ઊંચી મૂલ્યવત્તાવાળાં દ્રવ્યો હોવાથી, આપત્તિકાળે, જીવનદાયી ચીજોની છત ધરાવતાં અન્ય આપત્તિરહિત રાષ્ટ્રોને કોશમાંથી જરૂર મુજબની સંપત્તિ ચુકવીને, પૂરતાં નિર્વાહદ્રવ્યો મેળવીને, પોતાના રાષ્ટ્રને ભૌતિક રીતે ટકાવી શકાય. આ વર્ણન એ સૂચવે છે કે કોશ એ આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસની મૂડી ઊભી કરનાર અને જાળવનાર એક સાંસ્કૃતિક સેતુ છે. રાષ્ટ્રનું ચલણી નાણું એ રાષ્ટ્રીય ચલણ છે, તો કોશસંપત્તિ આંતરરાષ્ટ્રીય ચલણ. પણ કોશનું આ સ્વરૂપ ઉપર્યુક્ત ત્રણે ય લાક્ષણિકતાઓને એકસાથે જાળવવાથી જ નિર્માણ પામી શકે છે. એમાં પણ કોશ નિરંતર બળજોરીથી, અધર્મપરંપરાથી સંચિત હોય ત્યારે અન્ય રાષ્ટ્રો સાથેના વિશ્વાસને ટકાવી શકતો નથી એ વાત સ્પષ્ટપણે સમજાય તેવી જ છે. અહીં યાદ કરીએ પેલું ગ્રંથગત મહાવાક્ય : “આ આખું શાસ્ત્ર (ભૂમિના વહીવટને લગતું અર્થશાસ્ત્ર) ઇન્દ્રિયજયરૂપ છે.’ લાંબા ગાળે રાષ્ટ્રોએ સુદીર્ધકાળ સુધી ટકી રહેવું હોય તો તેમણે નજીકનાં કે દૂરનાં પડોશી રાષ્ટ્રોની ઓથ મળી રહે તેવી સંયમ-આધારિત (‘દમદાર') સામુદાયિક રહેણી-કરણી-કહેણી અપનાવવી જ પડે કૌટિલ્યની નિરૂપણશૈલીની એક વિશેષતા એ છે કે તેઓ પોતાની પારગામી દૃષ્ટિથી પોતાના નિરૂપણીય કોઈ પણ મુદ્દા અંગેનું તાત્ત્વિક સ્વરૂપકથન પણ કરે છે અને સાથોસાથ એ મુદ્દા પરત્વે માનવસ્વભાવની વક્રતાઓમાંથી જન્મતી લૌકિક વાસ્તવિકતાઓની પણ સભાનતા ગ્રંથમાં સર્વત્ર બતાવતા રહીને, એમાંથી જન્મતી વિષમતાઓમાં શો ઉકેલ કાઢી શકાય તે પણ જયારે-જયારે પ્રસંગ પડે ત્યારે-ત્યારે બતાવતા રહે છે. કોશ વિષેનાં તેમના નિરૂપણો બાબત પણ આ જ સ્થિતિ જોવા મળે છે. આવી કેટલીક કોશ વિશેની વ્યવહારુ બાબતો પણ જોઈ લઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy