SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આ વ્યાખ્યાનમાં અગાઉ વહીવટીતંત્રના મુદ્દે સમસ્ત રાષ્ટ્રનાં કાયદો-વ્યવસ્થા ઉપરાંત અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવતા જે ઉચ્ચતમ અધિકારી સમાહર્તાના કાર્યક્ષેત્રની વાત કરી હતી, તેને ફરી યાદ કરીએ. કાયદો-વ્યવસ્થાનું સ્થાપન, વસ્તીનું વિવિધલક્ષી સર્વેક્ષણ અને તેની રાજયતંત્રના ચોપડે પાકી નોંધ – આ બધાંનો ગાઢ સંબંધ અર્થતંત્રના આયોજન સાથે છે. રાજ્યવ્યાપી સુવ્યવસ્થા અને શાંતિનો, અર્થતંત્ર સાથે પરસ્પરોપકારનો સંબંધ છે. સમાહર્તાનું સંકુલ કર્તવ્યોવાળું, બહુમુખી પ્રતિભા પર આશ્રિત પદ એ વાતની યાદ આપે છે કે રાષ્ટ્રજીવનનાં વિવિધ પાસાંઓના અન્વયે સમગ્રલક્ષી અભિગમ જ રાજયતંત્રના નિત્યના સાફલ્યનો પાયો છે. સમાહર્તાના કાર્યક્ષેત્રનું એક અત્યંત મહત્ત્વનું અંગ છે હિસાબ-તપાસણી-વિભાગ (રાજ્યનો ‘ઑડિટ’-વિભાગ કે “ઑડિટર-જનરલ’ – A.N.નું કાર્યાલય). તેને માટે “અર્થશાસ્ત્ર'માં અક્ષપટન (?) શબ્દ વપરાયો છે. તેમાં અન્ય વિભાગોએ તૈયાર કરેલા હિસાબો ચકાસવામાં પણ આવે છે અને તેના અંતિમ હિસાબોની પાકી નોંધ કરી તેવા ચોપડાઓની પાકી જાળવણી પણ કરવામાં આવે છે. આ વિષય સમાહર્તાના કાર્યક્ષેત્ર અંગેના અધ્યાય પછીના જ અધ્યાય ક. ૨,૭માં નિરૂપાયો છે. “હિસાબનીશ” (accountant) માટે વપરાતા “નિવ' (ગણના-અધિકારી) શબ્દ પરથી ‘હિસાબ' (accounts) માટે નિક્ય શબ્દ પ્રયોજાયો છે. આધુનિક સ્વતંત્ર ભારતના સરકારી તંત્ર માટે અર્થશાસ્ત્ર અને અન્ય પ્રાચીન-ભારતીય ગ્રંથોમાંથી ઘણા અનુરૂપ પારિભાષિક શબ્દો અને વ્યવહારક્ષમ વિભાવનાઓ મળી શકે એમ છે. માત્ર અંગ્રેજીના મોહમાં ફસાઈ રહેવામાં ખૂબ જરૂરી એવી સ્વતંત્ર રાષ્ટ્રીય અસ્મિતાનું દેવાળું જ છે. અગાઉ ખાણકામ અને તેની કાચી નીપજ પર આધારિત કારખાનાં (કર્માન્ત) અંગેના અધ્યાય ક્ર. ૨.૧૨નો ઉલ્લેખ કર્યો છે. ભારતીય ધાતુવિદ્યા પ્રાચીન જગત્-સંસ્કૃતિના ઇતિહાસમાં ઘણું ઊંચું સ્થાન ધરાવે છે. ભારતીય રસાયણવિદ્યાની દષ્ટિએ મિશ્ર ધાતુઓ બનાવવાનું પ્રાચીન-ભારતીય તંત્રજ્ઞાન ઘણું મહત્ત્વનું છે. આજે પણ તેના પુરાતત્ત્વગત અનેક અડીખમ નમૂના ભારતભરમાં જોવા મળે છે. એ ધાતુવિદ્યાનું એક સહુને સ્પર્શતું વ્યાવહારિક અંગ છે સિક્કા-નિર્માણનું. રાજ્યતંત્ર આખા રાષ્ટ્ર માટે અનુકૂળ ધોરણો વિચારીને નાનાં-મોટાં મૂલ્યના સિક્કા બહાર પાડે છે. સિક્કા-નિર્માણ કરનાર નિયામક માટે ગ્રંથમાં “નક્ષUTTધ્ધક્ષ' શબ્દ વપરાયો છે. તેની કામગીરીનો સંક્ષિપ્ત ચિતાર અલગ અધ્યાયને બદલે એ જ અધ્યાય ૨.૧૨મામાં રજૂ થયો છે. તેમાં મુખ્યત્વે ચાંદીના સિક્કાઓ અને તાંબાના સિક્કાઓ અન્ય ધાતુના જરૂરી આંશિક મિશ્રણ સાથે વધુ-ઓછાં કયાં-કયાં મૂલ્યના બહાર પાડવા તે વાત છે. સિક્કાના નિર્માણ જેટલું જ મહત્ત્વનું કામ સિક્કાને વિધિસર ચલણમાં મૂકવાનું અને સિક્કા અંગેના ભ્રષ્ટ વ્યવહારોને રોકવાનું છે. તેને માટેનો અલગ નિયામક છે “પર્શ'. તે એક તો રાજયના સિક્કાને બજારમાં મૂકતી વખતે રાજયે લેવાના થતા કેટલાક લાગા ઉઘરાવે છે. વળી સુ-વ્યવસ્થાની દૃષ્ટિએ ચલણી સિક્કાનો રાષ્ટ્રવ્યાપી વહીવટ રાજ્યતંત્ર-હસ્તક એકહથ્થુ ધોરણે જ ચલાવવાનો હોવાથી ખાનગી રાહે સિક્કા બનાવવા, વેચવા, ખરીદવા કે તપાસવા તે અપરાધ હોઈ રૂપદર્શકે તેવા અપરાધ આચરનારને ધોરણસર દંડવાનું કર્તવ્ય પણ નિભાવવાનું છે. બજારમાં ફરતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy