SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૩ સિક્કાઓનું પરીક્ષણ કરતા રહેવાનું પણ તેને ભાગે આવે છે. કોશ માટેના (revenue) અને બજાર માટેના અલગ સિક્કા રહેતા તેવો ઉલ્લેખ પણ ધ્યાનપાત્ર છે. એ તો આધુનિક અર્થશાસ્ત્રમાં પણ જાણીતી વાત છે કે નાણાનું ચલણ એ કોઈ પણ રાજ્યતંત્ર સામેનો પડકાર છે. ચલણનો સમગ્રપણે સફળ વહીવટ એ રાજયના સમગ્ર નિયમનતંત્રની સફળતાનો સૌથી અગત્યનો માપદંડ (acid-test) ગણી શકાય. સિક્કામાં વપરાતી ધાતુ વગેરે પરથી પણ રાષ્ટ્રની સધ્ધરતાનું માપ મળે છે. કૌટિલ્યના ઉપર્યુક્ત વર્ણનમાં સોના-નાણું ગેરહાજર છે તે એક તપાસવા જેવી બાબત ગણાય. આની સામે રોકડ નાણા માટે કૌટિલ્ય પ્રાયઃ ‘દિરથ' શબ્દ (સોનાનો પર્યાય કે રૂપાનો ?) વાપર્યો છે તે પણ એક ગૂંચવનારી હકીકત છે. રાષ્ટ્રની પ્રાકૃતિક, રાજકીય, સામાજિક ઇત્યાદિ કોઈ પણ કટોકટીમાં શક્ય એટલું ટકી રહેવા માટે રાજયની “સપ્તપ્રકૃતિ'માંના એક એવા કોશનું મહત્ત્વ છે; અલબત્ત, એ પ્રકૃતિઓમાં ખૂબ વિવેકપૂર્વક અગ્રતાક્રમની દૃષ્ટિએ તો કોશને છેક પાંચમું સ્થાન અપાયું છે. રાજ્યનાં પ્રથમ ચાર (રાજામંત્રીગણ-જનપદ-દુર્ગરૂપ) અંગો રાજ્યની નિત્યપ્રવૃત્ત, નવનિર્માણકારી સચેતન સંપદ્ છે; જયારે કોશ તો એ સચેતન અંગોના દીર્ઘકાલીન પૂર્વ-પુરુષાર્થોનાં મૂર્તિ ભૌતિક પ્રતીકોના સંચયરૂપ છે. એ રૂપે એનું આગવું મહત્ત્વ પણ છે. જેમ કોઈ પૂર્વનાં પરાક્રમી નરનારીઓની કવિરચિત રસાળ ગાથા દાયકાઓ કે સૈકાઓ સુધી અનેક સામાન્ય મનુષ્યોને પણ એ સુચરિતોનું પુનઃ પુનઃ સ્મરણ અને શ્રદ્ધાભર્યું ભાવન કરાવવા દ્વારા એવાં જ સુચરિતો એ સૌ મનુષ્યોમાં નવાં-નવાં સમયાનુરૂપ સ્વરૂપે જગવવા સમર્થ બને છે, તેમ કોશગત અત્યંત ગરવો અને પવિત્ર સંપત્તિસંચય રાજ્યનાં બાકી સચેતન અંગોના નિત્યનૂતન પરુષને ઉત્તેજીને પુનઃ પુનઃ નવાં-નવાં પરાક્રમો(ઉચ્ચ કર્મો)નું નિર્માણ કરાવવાનું ધ્યેય રાખે છે. એમાંની સંપત્તિ સ્થૂળ હોવા છતાં તે એના સહજ નિર્માણના પાયામાં રહેલાં, પૂર્વપુરુષોનાં લીલારૂપ પરાક્રમોનું સ્મરણ કરાવનાર દિવ્ય પ્રતીકોરૂપ છે. તેથી કોશ રાજયનું અત્યંત શ્રદ્ધેય, રક્ષણયોગ્ય અને ગોપનીય (ગુપ્ત રાખવા યોગ્ય) અંગ બની રહે છે. એ રીતે કોશ રાષ્ટ્રનો પૂર્વસંચિત અમીટ યશપુંજ બની રહે છે. ગમે તેમ ઊભા કરાયેલા કોશ માટે આ સાચું નથી; એ માટે જે કેટલાંક પાયાનાં અને ખૂબ મહત્ત્વનાં લક્ષણો તેમાં સહજપણે ઇષ્ટ છે, તે લક્ષણો ગ્રંથને આધારે અગાઉ આપણે જોયાં છે, તે વધારે ઘૂંટીએ (‘અર્થશાસ્ત્ર' ૬.૨.૨૦ના આધારે) : કોશનું પ્રથમ લક્ષણ છે તે રાજાના પૂર્વજો દ્વારા કે પોતાના જ દ્વારા ધર્મમાર્ગે પ્રાપ્ત કરાયેલો હોવો. ટકાઉ, સર્વકલ્યાણકર અને નિત્ય ઊજળા ભવિષ્યવાળી સંપત્તિ માટે ભારતીય પરંપરામાં લક્ષ્મીદેવીની કલ્પના છે. લક્ષ્મી’ શબ્દના બે અર્થ એક સિક્કાની બે બાજુરૂપ હોઈ તે શબ્દનો સંકુલ અર્થ થાય ‘શોભાયુક્ત સંપત્તિ'. ધર્મથી પ્રાપ્ત કોશ આવી લક્ષ્મીરૂપ છે. ટકાઉ, કસદાર, સર્વપોષક ધન કે સંપત્તિ ખરેખર તો બહુજન પ્રત્યેનો સામાજિક ન્યાય જાળવતા મૌલિક સમર્પિત પરિશ્રમમાંથી પેદા થાય છે અને તેના સંયમપૂર્ણ સાર્વત્રિક ઉપયોગ અને ઉપભોગમાંથી આપોઆપ બચતા રહેતા બાકી અંશનો સંચય પણ સમાજમાં વ્યાપક રૂપે એવા પરિશ્રમને અને તેની સાથે સંકળાયેલા આત્મવિશ્વાસને જીવતો-જાગતો રાખવા જ ખપ લાગી સાર્થક બની રહે છે. તેથી જ તેને સામાન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy