SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૨૦૧ (renewable) કે ચક્રવર્તી (ચક્ર જેમ આવર્તન કે ભ્રમણ કરતી રહેતી- recycling) દ્રવ્યસમૃદ્ધિ આપનારા કાયમી અર્થસ્રોતોનું મહાસૌભાગ્ય મળે છે. તેની આમન્યા જાળવીને, કોઈ પણ જાતના બેફામ વ્યવહારની આવશ્યકતા (પેલા ડાહ્યા' ઍડસ્મિથ જેમ) અનુભવ્યા વગર, તેના પૂરક વ્યાપાર તરીકે કર્માત એટલે કે માનવનાં વિવિધ ઉદ્યોગકર્મો માટેનાં કર્મસ્થાનો (કારખાનાં), રનિ (ખાણો અને સમુદ્રપેટાળ), સીંચાઈ માટેની વિવિધ મનુષ્યવૃત રચનાઓ (સેતુવન્થ) – એ બધું પણ ગરવું સ્થાન પામે છે. આમ અર્થતંત્રનું કૃષિપ્રધાનપણું એકાંગી, જડ કે ગ્રામ્ય નહિ પણ સંપૂર્ણપણે એકમાત્ર સાચી બુદ્ધિગમ્ય જીવનપદ્ધતિરૂપ સમજવાનું છે. મૂળ દ્રવ્યોના આ બધા સ્રોતો સાથે જ તે કાચી સામગ્રીમાંથી મનુષ્યાદિ જીવોને ઉપયોગી અનુકૂળ સાધનસામગ્રી બનાવવા માટે જનપદના ગ્રામવિસ્તારો, દુર્ગ, ખાણની નજીકના પ્રદેશો, જંગલમાંના કે તેની નજીકના પ્રદેશોમાં – એમ વિકેન્દ્રિત અને સ્થાનિક રીતે કારખાનાં (મન) સ્થાપવાની વાત ધ્યાનપાત્ર છે. કાચી સામગ્રીનું દૂર સુધી પરિવહન (transportation) કરવામાં જે અનેક પ્રકારનાં વ્યયો કે હાનિઓ સંભવે છે, તેનું નિવારણ આવી વિકેન્દ્રિત ઉત્પાદન-વ્યવસ્થામાં છે. પ્રાચીન સમયમાં ઉત્પાદનો માટે કૃત્રિમ રસાયણોના કે ઊર્જા તરીકે ખનીજ-તેલના ઉપયોગની કોઈ જાણકારી કે શોધ થઈ નહોતી; ન તો એ માટેની તાતી જરૂરિયાત ને એથી એ દિશાની મથામણ હતી. તેથી આધુનિક યંત્રપ્રવિધિ ટેકનોલોજી) અને તજ્જન્ય અમર્યાદ પ્રદૂષણની પેચીદી સમસ્યા ઉદ્ભવી નહોતી. એવું કહેવાયું છે કે એ soil(જમીન)-આધારિત અર્થતંત્ર હતું, આજે oil (તેલ)-આધારિત અર્થતંત્ર છે – જે પર્યાવરણ-વિનાશના અને જાગતિક સર્વવિનાશક યુદ્ધના મૂળરૂપ પણ છે. એથી પ્રાચીન પરિસ્થિતિમાં ચીજના ઉત્પાદન માટે ગૃહોદ્યોગો, ગ્રામોદ્યોગો, સીમોઘોગો, પડતર ભૂમિ પરના ઉદ્યોગો, નગરોદ્યોગો, ખાણો પાસેના તેને લગતા ઉદ્યોગો, વન્ય ઉદ્યોગો – એવા નરવા વૈવિધ્યપૂર્ણ ઉદ્યોગ-પ્રકારો હતા. એ ન ભુલાય કે કૌટિલ્ય સમક્ષના સમાજમાં, પ્રાય: જનપદમાં સ્થિર થયેલી પ્રજાની નરવી જીવનશૈલી પર આધારિત જબરી કોઠાસૂઝ, ઊંચું અને નિત્ય વિકસતું હસ્તકૌશલ, નિબંધ શ્રમનિષ્ઠા, શાણપણભર્યા વિકેન્દ્રિત વિતરણ-કૌશલોની જોડમાં દરિયાપારના દેશો સુધી ઊંડી કોઠાસૂઝ અને સાહસિકતાના પીઠબળે સફળપણે વિસ્તરણ પામેલું પ્રજાકીય વ્યાપાર-કૌશલ, રાજયમંત્રી અને વેપારીવર્ગ વચ્ચેની શિસ્તબદ્ધ પારસ્પરિકતા, રાષ્ટ્રવ્યાપી વ્યાપારમા(વનપથનું સ્થળમાર્ગ-જળમાર્ગના શાણા વિકલ્પવાળું સ્થાયી જાળ – આવો એક આદર્શ, કાર્યક્ષમ અને અર્થતંત્રની ચિરંજીવિતા નભાવે તેવો તે અર્થતંત્રનો સામર્થ્યયુક્ત વસ્તાર હતો. વેપારીવર્ગની, પ્રજા તરફની અને રાજયતંત્ર બંને તરફની આવશ્યક શિસ્ત જળવાય તે માટે પડ્યાધ્યક્ષ (પુરવઠા-અધ્યક્ષ) અને શુ ધ્યક્ષ(વેપારી માર્ગ-વેરાના અધ્યક્ષ)ના કારોબાર નભાવાતા હતા. તેમનાં કર્તવ્યોનું રૂપરેખાત્મક બોધક વર્ણન, અગાઉ જણાવ્યા પ્રમાણે અધ્યાય ક. ૨.૧૬માં અને ૨.૨૧માં મળે છે. વળી મહત્ત્વની દૃષ્ટિએ એ બંને પછી તરત મૂકી શકાય એવો કારોબાર છે, અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે, રાજ્યમાન્ય તોલ-માપના ઉચ્ચાવચ પ્રકારો ઠેરવી, તેવાં માપન-સાધનોનું રાજ્યતંત્ર દ્વારા નિર્માણ કરી તેને રાષ્ટ્રમાં પ્રસારનાર પૌતવાધ્યક્ષ(તોલમાપસ્થાપક અધ્યક્ષ)નો – અધ્યાય ક. ૨.૧૯માં વર્ણવ્યા પ્રમાણે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy