SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૫ વ્યાવસાયિકમાં પણ મુલ્ક પ્રત્યેની સાંસ્કૃતિક અદબ અને પ્રજાનિષ્ઠા અવશ્ય હોય. વળી બીજી બાજુએ જોઈએ તો જે જરૂરિયાતો પાયાની કે અનિવાર્ય સિદ્ધ થઈ હોય, તે પ્રજા-સંખ્યા મુજબ વિપુલ માત્રામાં પેદા થાય તેવું વ્યાપક અને કાળજીભર્યું આયોજન પણ હોવું જોઈએ. આયોજકોના કેવળ બુદ્ધિદોષને કારણે ખોટી અછતો અને તેને પગલે ઘોર નફાખોરી ન જ ઊભી થવી જોઈએ. વળી ઉત્પાદનની સ્થાનિકતાનો પણ જડ આગ્રહ કૌટિલ્યમાં જરા પણ નથી. પરદેશ સાથે અને સ્વરાષ્ટ્રના વિવિધ મુલ્કો વચ્ચે રાષ્ટ્રોપયોગી માલની આયાત-નિકાસનો, વેપારી સાહસથી સાધ્ય સંબંધ તો પ્રાચીન ભારતમાં ખૂબ વિકસિતરૂપે સાંસ્કૃતિક અનુરૂપતા સાથે બંધાતો રહ્યો હતો એ તો પ્રાચીન ભારતીય વિપુલ સાહિત્ય અને લોકપરંપરાઓ પણ રંગીન રીતે બતાવે છે. આ માટે અર્થશાસ્ત્રનું નાનકડું રાષ્ટ્રીય પુરવઠા-અધિકારી (પુષ્પાધ્યક્ષ) અંગેનું પ્રકરણ (અધ્યાય ક. ૨.૨૬) પણ જોવા જેવું છે. કોઈ પણ માલની અછત પેદા ન થાય, સંગ્રહખોરી ન થાય અને સર્વપોષક ભાવનિયમન જળવાય તેવી રાષ્ટ્રીય નીતિ તેણે પ્રવર્તાવવાની છે. “વાર્તા”-વિદ્યામાં વેપાર(વા )નો સમાવેશ, સાત રાજયમંત્રીય આવક–સ્રોતોમાં વણિપથની પણ ગણના, વેપારી સાર્થ પ્રત્યેનાં રાજયકર્તવ્યોના ઉલ્લેખો, જનપદમાં પણ નાના કે મધ્યમ નગરોને મળેલું સમુચિત સ્થાન, શુ ધ્યક્ષ: (અ.ક્ર.૨.) અને સુ વ્યવહાર: (અ.ક્ર. ૨.૨૨) એવાં, વેપારી માર્ગવેરા (જી)સંબંધી બે વિસ્તૃત પ્રકરણો, સુનામીનપૌતવમ્ (અ.ક્ર. ૨.૨૬) પ્રકરણમાં તોલ-માપનાં સુવિકસિત કડક રાષ્ટ્રીય નિયમનોની વાત – આ બધાં પર સ્ટેજ નજર નાખતાં પણ સમજાય છે કે વિવેકપૂર્વક વિકસિત એવા ગરવા વેપાર, આયોજનબદ્ધ ઉદ્યોગો, વિદેશો સાથે ઠરેલ છતાં ઊંચા ગજાની હિંમતથી સધાતા વેપારી સંબંધો – એ બધાંને પણ સમુચિત સ્થાન કૌટિલ્યની કલ્પનાના અર્થતંત્રમાં છે જ છે. અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે “જનપદ' એટલે કે આખા રાષ્ટ્રમાંનાં સર્વ ગામોનગરોનું એક આ લક્ષણ કૌટિલ્ય બતાવ્યું છે : સાર-ચિત્રવિદુપN:, અર્થાત્ એમાં સર્વત્ર જીવનજરૂરિયાતની ચીજો વિપુલ પ્રમાણમાં તો હોય, પણ તે ય ઉત્તમ ગુણવત્તાવાળી (સર) અને વૈવિધ્યસભર હોય. આટલામાં તો કૌટિલ્ય ઘણું-ઘણું સૂચવી દીધું છે. આજે આપણી કહેવાતી લોકશાહી સરકારો ક્યાં ઊભી છે ?) અર્થતંત્રના સમગ્ર સ્વરૂપ અંગે આવી સમતોલ વિચારસરણી સમજી લીધા પછી, કૃષિપ્રધાન તળ જનપદના ગ્રામપ્રદેશનું કૃષિવિષયક આયોજન પણ કેવું નિયમબદ્ધ અને એકંદરે માનવજીવનને સમૃદ્ધ અને સુખ-શાંતિ-સંતોષથી ભર્યું ભર્યું કરનાર હોઈ શકે તેની ઝલક મેળવવા અગાઉ ફરી-ફરી ઉલ્લેખેલું અધ્યાય ક. ૨.૨માં મળતું “વનપનિવેશ:' એ પ્રકરણ તપાસવા જેવું છે. એની સમજવા લાયક વિગતો જોઈએ : ગામ સોથી માંડી પાંચસો જેટલાં કુળોનું બનેલું હોય. કોઈ પણ ગામ અન્યોન્યના સહયોગ સહિતના પ્રત્યેક કુળના જિંદાદિલીભર્યા પુરુષાર્થ પર વિકાસકાર્યોના સમગ્ર ચક્રને બરાબર પૂરું કરી શકતું હોય છે. એ દષ્ટિએ વસ્તીપ્રમાણ સમતોલ, સર્વાગી અને સહયોગી સંબંધોને અનુકૂળ હોય તે ખૂબ ઇચ્છનીય છે. વસ્તી વધારે પાંખી હોય કે વધારે ગીચ હોય તે બંને સ્થિતિ હાનિકારક હોઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy