SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૩ ઉત્પાદન, ઓળખાણ માટે આવશ્યક એવા રાજકીય ઓળખપત્રો(મુદ્રા)નું ઉત્પાદન, માપ અને વજનનાં ધોરણોનું નિયમન (પૌતવ) વગેરે. આજે સરકારો આમાં પણ ખાનગીકરણ તરફ જઈને ભૂલ જ કરે છે. એ સિવાયનાં પણ અનેક ઉત્પાદનક્ષેત્રોમાં રાજ્ય પોતે પણ ઝુકાવે અને ભાગ લે તેવો અભિગમ આ અર્થતંત્રમાં છે. તેમાં ઔચિત્ય એ જણાય છે કે રાજય એ રાષ્ટ્રભાવનાનું, રાષ્ટ્રના સર્વ પ્રજાવર્ગોની હિતરક્ષકતાનું આશ્રયસ્થાન હોઈ એની પાસે જે-તે ઉત્પાદન પાછળનું ધ્યેયદર્શન પણ હોય છે અને તેને અનુરૂપ ઉત્પાદનનું સર્વાંગી ઉત્તમ કૌશલ પણ પોતાના રાજ્યવ્યાપી ઘનિષ્ઠ સંપર્કો અને સંબંધોને આધારે આવાં કામોમાં જોતરવાની ઉત્તમ સૂઝ, સમજ અને વૃત્તિ પણ હોય છે. રાજ્યતંત્ર કાચા માલની ધોરણસરની પ્રાપ્તિ, ઉત્પાદનકુશળ ઉત્તમ અધિકારીઓની અને કર્મચારીઓની વિધિસર કરાતી ભરતી અને તેમની સાતત્યપૂર્ણ માવજત, ઉત્પન્ન માલની ગુણવત્તાનું સાતત્ય, શોષણમુક્ત દક્ષ વેચાણ વ્યવસ્થા, ભાવનું ન્યાયી નિયમન – આ બધાં પાસાં પરત્વે વ્યાવસાયિક ઉત્તમતા(professional excellence કે integrity)નો એક આદર્શ કે અનુકરણીય નમૂનો પ્રસ્થાપે છે. એના આધારે તે જ ક્ષેત્રના ખાનગી ઉત્પાદકોને એક તો સમર્થ માર્ગદર્શન મળે છે, તો સામે પક્ષે રાજયે ઊભા કરેલા ઉત્તમ કાર્યધોરણને લીધે ખાનગી વ્યવસાય પર, એકદમ અકારું ન થઈ પડે તેવું પરોક્ષ નિયંત્રણ પણ સધાય છે. આ રીતે ઉત્પાદન જેવી રાષ્ટ્રની કરોડરજ્જરૂપ પ્રવૃત્તિમાં રાજ્યની પ્રતિભાયુક્ત સામેલગીરી સમસ્ત રાષ્ટ્રના સર્વ વર્ગોને હૂંફ, સ્વપ્નસિદ્ધિની આશા અને આત્મવિશ્વાસ આપીને દુન્યવી, લોભપ્રધાન ને ગળાકાપ હરીફાઈવાળા ગણાતા આર્થિક ક્ષેત્રમાં પણ એકસાથે વ્યવહારુ અને વળી આદર્શરૂપ પણ ગણાય તેવાં ઉત્તમ જ્ઞાન અને કર્મ ઉપરાંત રાષ્ટ્રભક્તિ પણ જગાડે છે. એવું બને કે રાજય તે-તે ઉત્પાદનક્ષેત્રમાં, પ્રજાની પ્રૌઢતા બરાબર ખીલેલી જોઈને પોતાની તે ક્ષેત્રમાંની સંડોવણી ઘટાડતું જાય અને કાળબળે ખડાં થતાં નવાં કર્મક્ષેત્રોમાં પોતે પદાર્પણ કરતું જાય; અને એમ નવાં-નવાં ક્ષેત્રોમાં પણ સર્વહિતકારક ઉત્તમતા સ્થપાય તે માટેનું નેતૃત્વ દાખવે. આમ રાજ્યતંત્રે અર્થતંત્રમાં પ્રબુદ્ધ અને વ્યવહારુ એવા શિક્ષકનું કામ કરીને રાજાને માટે પ્રચલિત બનેલા “અર્થપતિ' બિરુદનો મહિમા નિત્ય જાળવવાનો છે. અગાઉ આપણે જોયું છે કે રાજા માટેની ખાસ અધ્યયનયોગ્ય વિદ્યાઓમાં ‘વાર્તા'(આજીવિકા-સાધક વિદ્યા)ને પણ સ્થાન કૌટિલ્યની પણ પૂર્વે અપાયેલું હતું. એ પણ આપણે જોયેલું કે એનું શિક્ષણ પણ સિદ્ધાંત અને વ્યવહાર બંનેમાં નિપુણ (વવતૃ-પ્રયોજીં) ગુરુ દ્વારા જ મેળવવું એવો આગ્રહ હતો. માત્ર અંગત ફૂડ-કપટની કે સ્થૂળ શત્રુનાશની વંધ્ય પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું એ કદી રાજધર્મ ન ગણાય. સંસ્કૃતિના આદ્ય-પ્રવર્તકોમાંના એક, જૈનો દ્વારા માન્ય ચોવીસ તીર્થકરોમાંના ‘આદિનાથ' બિરુદ પ્રસિદ્ધ બનેલા પ્રથમ તીર્થકર અને વળી પૂર્વ જીવનમાં ચક્રવર્તીપદ સંભાળી ચૂકેલા એવા ઋષભદેવે પોતે ખેતી, આવાસ, માટીનાં વાસણો ઇત્યાદિ ગ્રામીણ જીવનના પાયારૂપ નવાં કૌશલ્યો પણ માનવજાતને શિખવાડેલાં, એટલું જ નહિ, સ્ત્રી-પુરુષ-સંબંધને પણ નિયમનોના શિક્ષણ દ્વારા સાંસ્કૃતિક રૂપ આપેલું. આ બધા ઉપરથી એવો નિષ્કર્ષ કાઢી શકાય કે ભારતીય સંસ્કાર અને પરંપરાઓને અનુરૂપ રીતે, રાજા માત્ર પ્રજાઓનાં દેહ કે મિલ્કતનો રક્ષક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy