SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ આવેલા મહાકાર્યને પાર પાડવા માટે જરૂરી પ્રક્રિયાઓનો સતત બોધ કરાવતી રહે છે. આ પ્રકારનો પરિશ્રમ શારીરિક પરિશ્રમથી જુદો છે; કારણ કે આ તો શરીર આરામની તનાવરહિત સ્થિતિમાં હોય ત્યારે સાધી શકાતા ધ્યાનયોગને આભારી હોય છે. બીજા વ્યાખ્યાનમાં કેળવણી-વિચારના અન્વયે કહેલું તેમ આ બૌદ્ધિક પરિશ્રમ પણ ‘નિયમ’ (વ્રતબદ્ધ એટલે સાદી જીવનચર્યા) અને ‘વિનય’ (પૂરેપૂરી તાલીમ) એ બંનેને આભારી હોય છે. જીવનની કૌટિલ્ય જેવી સાદગી જ બુદ્ધિની પ્રક્રિયાઓને અવશ્ય સાફલ્ય મળે એ રીતે પ્રદીપ્ત કરે છે. બૌદ્ધિક અભિક્રમમાં આયાસ કે કાળક્ષેપ (સમયનો ખર્ચ) ઓછો હોય છે, બૌદ્ધિક પરિશ્રમમાં સાદગીના વ્રતની જાળવણીનો અને ધ્યાનયોગનો પરિશ્રમ પણ જરૂરી છે અને સમય પણ ખૂબ આપવો પડે છે. ૧૯૨ કૌટિલ્યના સમયમાં યંત્રો આવી ચૂક્યાં હતાં. અર્થોત્પાદનમાં પણ યંત્રનો ઉપયોગ થઈ ચૂક્યો હતો. પણ યંત્રો સામે પરિશ્રમને ગૌણ સમજવાની દૃષ્ટિ કે ઢગલો ઉત્પાદન ઓછામાં ઓછા માણસો દ્વારા કરી આમજનતાવિરોધી અને પર્યાવરણ-પ્રદૂષક અર્થપ્રવૃત્તિની વાત મર્યાદિત ક્ષમતાવાળાં યંત્રોને કારણે પણ એ વખતે અર્થતંત્રમાં પ્રવેશેલી નહિ. કૌટિલ્ય તો પાકી સમજણથી પણ આવા શોષક અર્થતંત્રની હિમાયત કરે એમ નહોતું. આખા અધ્યક્ષપ્રાન્ત અધિકરણ પર માત્ર પ્રકરણ-યાદી દ્વારા વિહંગાવલોકન કરવામાં આવે તો પણ જણાશે કે સ્વયં-શિક્ષણથી કે પૈતૃક શિક્ષણથી વિવિધ કૌશલ્યો પામેલા પ્રજાવર્ગો થકી જ મોટા ભાગની અર્થપ્રવૃત્તિ વિકેન્દ્રિતપણે, જનપદનાં અસંખ્ય તળ સ્થાનોમાં જ થતી અભિપ્રેત છે. સૂત્રાધ્યક્ષ (અ.ક્ર. ૨.૨રૂ) પ્રકરણમાં જોઈએ છીએ કે વિધવા કે વૃદ્ધ સ્ત્રીઓને પણ સૂત્રોત્પાદનના કામમાં જોડવામાં આવતી હતી. આજે જેને આપણે ઔદ્યોગિક વિસ્તાર કહીએ છીએ તેવો કૌટિલ્ય સામેના અર્થતંત્રમાં મર્યાદિત રૂપે હોવાનું જણાય છે – તેને માટે ર્માન્ત (કર્મો કે ઉદ્યોગોનો વિસ્તાર) શબ્દ ગ્રંથમાં અનેક વાર વપરાયો છે. હમણાં જ આપણે ‘નાગરિક’નાં કર્તવ્યોમાં એ પણ જોયું કે નગરમાં આગ સાથેનો વ્યવસાય કરનારને એકજથ્થુ વસાવવાની પ્રથા ઇષ્ટ ગણાતી. પણ આખા વિસ્તૃત અધ્યક્ષપ્રવાર્ અધિકરણમાં માત્ર એક પ્રકરણ ર્માન્તને લગતું છે. તેમાં ખાણોની કાચી પેદાશોમાંથી જીવન-ઉપયોગી ચીજોનું ઉત્પાદન કરનારાં કારખાનાંની જ વાત છે. તે પ્રકરણનું આખું નામ છે આરાન્તિપ્રવર્તનમ્ (અધ્યાય ક્ર.૨.૨૨). આ બતાવે છે કે કૌટિલ્ય સામે અતિયાંત્રિક ઉદ્યોગપ્રધાન સમાજ નથી. અલબત્ત, એ સમયમાં ખનીજ-ઊર્જા (પેટ્રોલ-ડીઝલ વગેરે) અને તે પર ચાલતાં યંત્રોવાહનો નહોતાં એ ખરું. પણ ગમે તેવા બાહ્ય સંદર્ભમાં પણ આમપ્રજા શોષણ ન પામે એવું અર્થતંત્ર ગોઠવવા બાબતની કૌટિલ્યની ખાંખત પૂરેપૂરી જણાય છે. ઉત્પાદનોનાં વિવિધ સંગઠનો (agency) બાબત આ ગ્રંથમાં હેતુલક્ષી મિશ્ર અભિગમ જોવા મળે છે. ઉત્પાદન કાં તો રાજ્યતંત્ર પોતાના આયોજન-નિરીક્ષણ-પરીક્ષણ નીચે કરાવે, કાં તો ખાનગી રાહે વ્યક્તિઓ, પરિવારો કે જૂથો દ્વારા સ્વાયત્ત રીતે — અલબત્ત, વાજબી રાજ્યતંત્રીય નિયમનોની મર્યાદામાં થાય. વળી આજની જેમ જ આ રાજ્યતંત્રમાં પણ રાષ્ટ્રહિતની દૃષ્ટિએ આવશ્યક ગણાય તેવાં ઉત્પાદનક્ષેત્રો કેવળ રાજ્યહસ્તક રહે છે જેમ કે ચલણી સિક્કાનું Jain Education International - For Personal & Private Use Only – www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy