SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૯૧ બનાવવાનો, દરેક સ્થળ-કાળમાં પ્રસ્તુત ઉપાય. એનાથી ચાતરો (ચળી જાવ) અને સમસ્યાઓના જંગલમાં અટવાયા કરો. આ જ છે “યંત્રો દ્વારા ઝાઝા ઉત્પાદનનો લોભ છોડી ઝાઝા હાથો દ્વારા ઉત્પાદન”ની ગાંધી-ચીંધી દિવ્ય વાત. પ્રજામાંના ક્ષમતાયુક્ત દરેક મનુષ્યને એની ક્ષમતા અને જરૂરિયાત બંનેને ન્યાય મળે તેવી રોજી આપવી એ કોઈ પણ જવાબદાર રાજયતંત્રની ફરજ છે, અને એવી રોજીની અપેક્ષા રાખવી એ ગરવી પ્રજાનો નૈસર્ગિક હક પણ છે. આમાં જ “અર્થતંત્રનો અસલ પાયો મનુષ્ય-સ્વભાવના અંગરૂપ પરિશ્રમનિષ્ઠા છે” એ વાત પણ બરાબર વણાયેલી જોઈ શકાય છે – અલબત્ત, એ પરિશ્રમ શારીરિક, બૌદ્ધિક, માનસિક એમ કોઈ પણ પ્રકારનો સમજવો. અર્થતંત્રમાં પરિશ્રમ કે મજૂરીને આટલો ભાર આપવા સામે કોઈ જરૂર પૂછશે : “શું અર્થતંત્રનો પાયો મૂડી નહિ ?” તો ઉત્તર હશે : “જરૂર; એ પણ પાયારૂપ તો છે જ. પણ મૂડીનું મૂડીપણું માનવ-પરિશ્રમથી જ છે એ ન ભુલાય.” અહીં કૌટિલ્યની દૃષ્ટિએ પરિશ્રમનાં પણ બે પાસાં અલગ પાડીને એ દરેકની મહત્તા સમાન રીતે સમજી લેવાની જરૂર છે : બૌદ્ધિક પરિશ્રમ અને શારીરિક પરિશ્રમ. આગલા વ્યાખ્યાનમાં રાજયતંત્રની જે ત્રણ શક્તિની વાત કરી હતી તે અર્થતંત્રને પણ લાગુ પડતી હોઈ તેને અહીં યાદ કરીએ. ત્રણ શક્તિઓનો અગ્રતાક્રમ તેમણે આ બતાવ્યો છે : મંત્રશક્તિ પ્રભુશક્તિ, ઉત્સાહશક્તિ. એટલે અર્થતંત્રના છેક પાયામાં આવે શારીરિક પરિશ્રમથી ભિન્ન એવો અર્થોત્પાદન માટેનો બુદ્ધિપૂર્વકનો અભિક્રમ અને અણથક બૌદ્ધિક પરિશ્રમ (બુદ્ધિયોગ) – જેને “આયોજન' કહેવામાં આવે છે. બીજા ક્રમે આવે પ્રભુશક્તિ એટલે કે ભૌતિક મૂડી (સાધનો અને નાણાંરૂપી). ત્રીજા ક્રમે આવે ઉત્સાહશક્તિ એટલે કે પૂરતી કેળવણીથી વિકસેલો શારીરિક પરિશ્રમ – જેમાં કાર્યની શીધ્રતા અને દક્ષતા સહિતનું શૌર્ય એટલે કે ઊંચું ક્લેશ-સહિષ્ણુપણું સમાય. ઉપર મંત્રશક્તિ-અંતર્ગત પણ બે ભિન્ન પાસાં નિર્દેશ્યાં છે તેમની અલગ-અલગ બરાબર ઓળખ પણ કરી લેવી રહી; તે પાસાં એટલે બૌદ્ધિક અભિક્રમશક્તિ અને બૌદ્ધિક પરિશ્રમશક્તિ. અભિક્રમશક્તિને આજકાલ ‘સાહસ' તરીકે ઓળખવામાં આવે છે; આ સાહસ એક પ્રકારની વિશિષ્ટ હિંમતરૂપ સમજવાનું છે. (અંગ્રેજીમાં આ માટે enterprise શબ્દ વપરાય છે.) હકીકતે આજે વપરાતો ‘સાહસ’ શબ્દ મૂળમાં તો ઊંડો વિચાર કર્યા વગરના જુસ્સાદાર પગલાંનો અર્થ ધરાવે છે. એથી એમાં બૌદ્ધિકતા કે હોશ કમ અને જોશ વધારે પડતું હોય છે. જયારે “અભિક્રમ' તો કોઈ પણ વિષય કે વસ્તુને આરપાર જોઈ-જાણી લેવાની શક્તિમાંથી જન્મતી સંશયરહિત પ્રતીતિમાંથી આપોઆપ સાકાર બનતા નિર્ણયરૂપ હોય છે. એનો જ સુંદર અને અનુરૂપ પર્યાય છે વ્યવસાય, એટલે કે સંશયમુકત નિર્ણય. આવો અભિક્રમ કે વ્યવસાય તેને પગલે આરંભવાના મહાકાર્યને પાકે પાયે લીલી ઝંડી આપી દે છે; તે, મહાકાર્ય સાધવા માટે કરવાની હજારો પેટાક્રિયાઓ પરત્વે મનુષ્યની પરાક્રમશક્તિને સ્થિરપણે ટકાવી રાખે છે. અભિક્રમ જન્મે છે પ્રતિભાની નિર્મળતા અને તેજસ્વિતામાંથી, વસ્તુઓના બાહ્ય સ્વરૂપની આરપાર જોઈ શકનાર વેધકતામાંથી, જબરી કોઠાસૂઝમાંથી. અભિક્રમશક્તિને પગલે જન્મે છે પેલી બીજી બૌદ્ધિક પરિશ્રમશક્તિ, જે ઉપાડવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy