SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલીય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ સંભારવી એટલો જ અર્થ થતો નથી. સ્મરણપાત્ર વ્યક્તિની વિચારસમૃદ્ધિ, ભાવનાં સમૃદ્ધિ અને કર્માભિમુખ ગુણસમૃદ્ધિ વીજચમકારની ઝડપે હૈયે ઊભરાય તે ખરી સ્મૃતિ. આપણી પરંપરામાં તો સ્મૃતિ'નો એથી યે વધુ ઊંડો અર્થ છે. વૈદિક સાહિત્યને શ્રુતિ અને સ્મૃતિ એમ બે વર્ગો પૈકી કોઈ એકમાં સમાતું બતાવાય છે. શ્રુતિરૂપ સાહિત્ય કે શાસ્ત્ર તે ઋષિઓને જેનું સીધું દર્શન કે શ્રવણ થયું તે વાણી, અને સ્મૃતિ એટલે શ્રુતિમાં પ્રતિપાદિત શાશ્વત સત્યો કે મૂલ્યો નિત્યના વ્યક્તિગત કે સામુદાયિક જીવનમાં મૂર્ત બને તેવી, વિવિધ ક્ષેત્રને લગતી ભાવનાઓ અને તદનુરૂપ વાચિક કે કાયિક આચારોની વિચારણા કરતા અને તેના આદેશો આપતા ધર્મસૂત્રાદિ ગ્રંથો. એટલે આમ “મૃતિ' એટલે મનનપૂર્વક અંતરથી ઝીલેલાં ઋષિવચનોનું, વ્યવહારુ જીવનમાં પ્રત્યેક ડગલે અનુસંધાન – એવો ગંભીર અર્થ થાય છે. અહીં એ અર્થને પણ અપનાવીને આપણે એવું સમજવું કે કોઈની સ્મૃતિ એટલે એણે આચરેલા કે પ્રબોધેલા આદર્શોને હૈયે ધરીને તેના અમલનો સંકલ્પ કરવો તે. એ દૃષ્ટિએ જોઈએ તો શેઠશ્રી કસ્તૂરભાઈના વિચારરાશિમાં અને કર્મપરંપરામાં સમજણપૂર્વક અને ઊલટપૂર્વક અમલમાં મૂકી શકીએ, એટલે કે એનું સાતત્ય જાળવી શકીએ તેવી વિપુલ સામગ્રી છે. તેમાં સમજણ અને ઉદ્યમ એવી બે પાંખોથી ઊડતા જ રહીએ તો આપણું બહુમુખી કલ્યાણ પણ સધાતું રહે. વળી, જોગાનુજોગ આ વ્યાખ્યાનમાળાનો વિષય પણ શેઠશ્રીની આદર્શલક્ષી વહીવટી કુશળતાનો અને ઊંચી મુત્સદ્દીગીરીના ક્ષેત્રભેદે પણ સરસ પડઘો પાડે છે. એથી એમના વિદ્યાપ્રેપના મૂર્ત આકારરૂપ એવી આ જે સંસ્થા છે, તેમાં યોજાતી આ વ્યાખ્યાનમાળામાંનું આ વ્યાખ્યાન પણ અગાઉનાં વ્યાખ્યાનોની જેમ, એમની ભાવનાઓની પરિપુષ્ટિરૂપ સાચી “સ્મૃતિ' બનીને એમના આત્માને જરૂર પૂજશે અને પોરસાવશે એવી વિનમ્ર શ્રદ્ધા છે. હું અંતરથી ઇચ્છું છું કે ભલે ગમે તે કારણોસર આ પ્રસંગે મુ.શ્રી કસ્તૂરભાઈના સત્કાર્યનિરત સુપુત્ર આદરણીય શ્રી શ્રેણિકભાઈ કે તેમના કોઈ પણ પરિવાર-સભ્ય ઉપસ્થિત ન રહ્યાં હોય, પરંતુ તેઓ સુધી આ વ્યાખ્યાનો ગ્રંથાકારે પણ પહોંચે અને એમાં સવિસ્તર નિરૂપાયેલી ધર્માનુકૂળ વ્યવહારકુશળતાની કે વહીવટી સૂઝની વાતો બરોબર ઝિલાય અને મૂલવાય. શાસ્ત્રજ્ઞાન જીવનપોષક કઈ રીતે બને? પ્રાચીન-ભારતીય સાહિત્ય અને ભાષાઓના, તેમ જ તેમાં પ્રતિબિંબિત થતી દીર્ઘકાલીન બાહ્યઆંતર સ્વદેશી સંસ્કૃતિના પ્રેમીઓ કે જ્ઞાતાઓ આ શ્રોતૃવંદમાં મોટી સંખ્યામાં હોવા સંભવ છે. કદાચ આ અંગેની તેમની જાણકારી પાંખી હોય તો યે તે માટે તેમની ભરી-ભરી જિજ્ઞાસા હોવાનું, સહુની મુખાકૃતિ દ્વારા પણ અત્રે જરૂર અનુભવું છું. એટલે તેમને માટે આ વિષય કંઈક અંશે શાસ્ત્રીય અને અઘરો હોવા છતાં, તે ભારેખમ ન બનતાં રોચક બનશે એવી હૈયાધારણ બંધાવવા, શાસ્ત્ર અને જીવનનો કેવો ગાઢ, મૈત્રીપૂર્ણ અને લચીલો સંબંધ છે તે બતાવતી કેટલીક રુચિવર્ધક વાતો, પસંદ કરેલાં સુભાષિતો દ્વારા બતાવવી છે. મારી એવી દઢ માન્યતા છે કે એ દ્વારા, સ્વદેશી શાસ્ત્રગ્રંથોની વિપુલતા અને વિરલ અંતઃસમૃદ્ધિ બાબત આપણે સમજણપૂર્વક માત્ર ગૌરવ જ નહિ, પણ ઉત્કટ રુચિ પણ અનુભવતા જરૂર થઈશું, અને એનું માત્ર ઐતિહાસિક મૂલ્ય ન આંકતાં સાંપ્રત વાસ્તવિક જીવનમાં પણ તેની કેવી કેવી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy