SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ કૌટિલીય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યાખ્યાન પહેલું : રાજનૈતિક પરિપ્રેક્ષ્ય, ગ્રંથકાર અને ગ્રંથ એક–પ્રાર્થના (૧) સર્વેડત્ર સુવન: સન્તુ સર્વે સન્તુ નિરામય: | सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् । (સર્વે આંહી સુખી થાઓ, સર્વે આરોગ્ય પામજો, રૂડાં વાનાં સહુ પામો, કોઈ મા દુઃખ પામશો.) तेजस्वि नावधीतमस्तु । मा विद्विषावहै । (અમારું બંનેનું અર્થાત્ મારું અને જગત્નું અધ્યયન તેજસ્વી હજો . [જેથી] અમે બે પરસ્પર વિદ્વેષ ન સેવીએ.) (૩) મિત્તી સવ્વમૂકું વેર મળ્યું ન ડુ (મારે મૈત્રી સહુ સાથે, કોઈ સાથે ન વેર છે.) સહુને એકપિંડરૂપ બનાવે તેવી, મનુષ્ય પરાપૂર્વથી સાક્ષાત્ અનુભવેલી ઉપર્યુક્ત ભાવનાઓ આ વિદ્યાસંબંધના પવિત્ર અવસર નિમિત્તે આપણામાં પડેલું નૈસર્ગિક એકત્વ ધબકતું કરો. આપણા આ વિષયને પણ આ પ્રાર્થનાઓમાંની ભાવનાઓ પોષે તેવી છે તે આગળ ઉપર જોઈશું. એવું મનાયું છે, કે વિદ્યાનું વિધિપૂર્વકનું પ્રદાન વક્તા, શ્રોતા અને જ્ઞાન-વિષયનો અભેદ સાધી આપે છે. એ ન્યાયે વક્તાનો આ પ્રતિપાદન-યત્ન પણ આ સભામાં નિરંતર સત્-ચિત્—આનંદરૂપ એક તત્ત્વને વિલસતું કરી દો. સનિષ્ઠ આદાન-પ્રદાનને યોગ્ય એવું આમાંનું જ્ઞાન આપણા લોહીમાં ભળીને શરીર અને સર્વ જ્ઞાનેન્દ્રિયો-કર્મેન્દ્રિયોને પણ પ્રેરો. જીવનનો ઘાટ સત્યાનુરૂપ અને તેને લીધે ટકાઉ બનો- એવા ભાવથી આ વિષયને અત્રે નિરૂપવો છે. પુણ્યસ્મરણ આ વ્યાખ્યાનમાળા આદરણીય શ્રી કસ્તૂરભાઈની સ્મૃતિમાં છે એનો ખરેખરો મહિમા પણ અનુભવીએ. “મૃતિ' એટલે મનમાં જે-તે વ્યક્તિની આકૃતિ હાજર કરવી કે એમની લૌકિક વિગતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy