SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ તે સ્થિતિ, તે ઉદ્ભવ્યા બાદ તેના ઉપાય કરવા કરતાં અનેકગણી શાણી છે; બલ્કે રાજ્યતંત્રની સુવ્યવસ્થા માટે અનિવાર્ય છે. એટલે ગુન્હાની વૃત્તિને જ ઓછામાં ઓછો કે નહિવત્ અવકાશ રહે તેવી રાષ્ટ્રવ્યાપી અંત્યોદયપ્રધાન, સર્વોદયપ્રધાન નીતિ હોય. તે માટે પ્રથમ તો સર્વ ઉચ્ચ અધિકારીઓમાં ઉચ્ચ ‘પ્રજ્ઞા-શૌચ’ (જ્ઞાનશક્તિ અને ચારિત્ર્ય) આવશ્યક છે. તેને લીધે રાજ્યનું દરેક તંત્ર ઉચ્ચ રીતે કાર્યક્ષમ બને. આજકાલ તો રાજનીતિની અપરાધપોષકતાથી પણ આગળની પરિસ્થિતિ છે અપરાધીઓ દ્વારા અપરાધીઓ માટે ચાલતી અપરાધીઓની રાજનીતિ (Criminalisation of Politics)!! તટસ્થ કે સર્વ-આવેશમુક્ત એવી બુદ્ધિનિષ્ઠ વ્યક્તિને તો આમાં રાજનીતિની અને રાજકારણીઓની ચોખ્ખી આત્મઘાતકતા જ લાગે છે – રાજનીતિ જેના ઉકેલ માટે આરંભાયેલી તે ‘બળિયાના બે ભાગ'વાળી જ મૂળ દારુણ પરિસ્થિતિ ! શાણી માનવજાતને એમાં કદી જયવારો દેખાયો નથી, અને યુગબળના જેવા-તેવા સાથ પ્રમાણે પણ ફરીફરી એ અસ્થિરતામાંથી સ્થિરતા આણે તેવી નવરચનાની શોધ તો માનવી માનવી રહ્યો હશે ત્યાં સુધી તો કરતો રહેવાનો જ. એટલે જ વિનોબાએ ભાખ્યું છે કે રાજનીતિના દિવસો ગયા છે; તેને સ્થાને વિજ્ઞાનના દિવસો આવી પહોંચ્યા છે. તો ઉપર્યુક્ત બંદીમુક્તિની કૌતુકજનક પરંપરામાં ‘જેલ ખાલી રાખો'નું સુદૃઢ, સ્વસ્થ રાજનૈતિક વલણ જ જોવું રહ્યું; બેજવાબદાર ગુન્હાપોષક વલણ નહિ – નહિતર એ પરંપરા સુદીર્ઘ કાળ સુધી પોષાતી રહી ન હોત. રાજા અને એનું તંત્ર હોશમાં અને જોશમાં બરાબર સ્થિર થયેલું હોય તો તે બંનેના અસ્તિત્વથી જ અપરાધવૃત્તિ ઘણી નીચી સપાટીએ રહે. પેલું ધ્રુવતારક જેવું આંદર્શ વાક્ય યાદ આવે છે : That government is best that governs the least (“ન્યૂનતમ નિગ્રહ કરનારું રાજ્યતંત્ર ઉત્તમ”). ૧૮૬ ગુન્હાની શિક્ષાની યોજના મૂળમાં તો બદલાની દુનિયાદારી કે જંગલી વૃત્તિનું જ શિષ્ટ દેખાવવાળું, આડેધડ સરકારી સિક્કો પામેલું રૂપ હતું. પછી વળી એવી સમજ ઉમેરાઈ કે અપરાધીને કઠોર શિક્ષા થતી જાણીને અન્ય સંભવિત અપરાધીઓ અપરાધ કરતાં અટકે અને શિક્ષા પામેલો અપરાધી પણ ફરી અપરાધ કરતાં અટકે. અપરાધ ચલાવી લેવા કરતાં તો ઉપલા બે અર્ધદગ્ધ હેતુસર પણ અપરાધ સામે કંઈક શિષ્ટરૂપે, જે-તે મુલ્કે વ્યાપક સમજણથી માન્ય રાખેલાં પાયાનાં મૂલ્યો પ્રમાણે અને તે મૂલ્યોને પોષતા કાયદાના માપદંડ પ્રમાણે, વ્યાપક રાજબળ અને પ્રજાબળના ટેકા સાથે, વિધિસર ગુન્હેગારને પણ સ્વબચાવની વાજબી તક મળી રહે તે રીતે કામ ચલાવવું એ ઇચ્છનીય આગેકૂચ જ ગણાય. આવી ‘શિક્ષા’ પણ કંઈક અંશે સામાજિક ‘શિક્ષણ’રૂપ બની રહે. પણ શિક્ષા કે સજા અંગેના ઉપર્યુક્ત બંને હેતુઓ શિક્ષાને હળવી કરવા છતાં સધાઈ શકે તેવું પ્રતિભાબળ મૂલ્યનિષ્ઠ, વિધિસરની રાજનીતિમાં ખીલી શકે છે તેવો સંકેત પ્રાસંગિક બંદીમુક્તિની ઉપર્યુક્ત પરંપરા આપતી લાગે છે – જેમ પ્રસંગવિશેષે ઔચિત્ય જોઈ જાહેર દેવા માફ કરાય છે તેમ. ગુન્હો કરનાર અંધકારથી ઘેરાયેલો હોય છે (ભ. ગીતા કહે છે તેમ પાપી પાપ ‘અનિચ્છા છતાં કોઈથી જાણે બળજોરીથી આજ્ઞા કરાયેલો હોય તેમ૧૭’કરે છે). તેથી પ્રબુદ્ધ સમાજે એનો ગતિવિધિ સમજીને ખરેખર તો અપરાધ-નિવારક ઉપચાર-યોજના જ કરવાની છે. આવેશની અંધ ક્ષણ પાપીને ન સંભવિત બદલાનો ભય પામવા દે છે, ન બીજાને થયેલી સજામાંથી શીખવાની ધીરજ આપે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy