SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૮૭ અત્રે ‘નાગરિક સંબંધી અધ્યાયને છેડે કૌટિલ્ય કરેલી બંદીઓને લગતી ભલામણો તપાસીએ : બાળક, વૃદ્ધ, રોગી અને અનાથ બંદીઓને રાજાના જન્મ-નક્ષત્રના દિવસે કે પૂનમના દિવસે મુક્ત કરવા. પુણ્યશીલ કેદીઓએ કે શરતથી બંધાયેલા કેદીઓએ કરેલા અપરાધ (પ) મુજબ યોગ્ય બદલો એટલે કે અનુક્રમે જાત-મુચરકો (પોતે પોતાની જામીનગીરી આપતો ખત) કે છોડામણી (મુક્તિ માટેની કીમત) આપવાં. વળી છેલ્લા બે શ્લોકોમાં કહ્યું છે : દરરોજ કે પાંચ દિવસે બંધનાગારમાં રહેલાઓનો યોગ્ય ફેંસલો (સજા કે મુક્તિરૂપ યોગ્ય નિવેડો) લાવવો. સજા મજૂરી વગેરે કામરૂપે, શરીરપીડારૂપ કાયદંડરૂપે કે દંડધનની વસૂલી રૂપે બજાવવી. નવા રાજ્યની પ્રાપ્તિના પ્રસંગે, યુવરાજના અભિષેક વખતે કે પુત્રજન્મ નિમિત્તે બંદીઓની મુક્તિનો શાસ્ત્રાદેશ છે. કૌટિલ્યનું આટલું નમૂનારૂપ વર્ણન પણ વિલંબ ટાળનારા, વિવેકી, અપ્રમત્ત, ગતિશીલ અને એકંદરે પ્રભાવશાળી કહી શકાય તેવા ન્યાયતંત્રનો સંકેત કરે છે. અહીં વાત તો છે નાગરિકનાં કર્તવ્યોની, પણ તેણે પ્રાયઃ રાજધાનીમાં જ આવેલાં (?!) બંદીગૃહો તરફ સમગ્ર રાજ્યતંત્ર વતી ધ્યાન આપીને ન્યાયતંત્રને સહયોગ આપતું આ મહત્ત્વનું કર્તવ્ય બજાવવાનું હોય તેમ લાગે છે. રાજ્યતંત્રના કોઈ પણ અંગના અધિકારીએ સમગ્ર રાજય વતી કે રાજાના પ્રતિનિધિ તરીકે વ્યાપક નીતિઓનું અમુક કર્તવ્ય પણ પોતાના કાર્યક્ષેત્રમાં રહ્યાં-રહ્યાં બજાવવાનું હોય છે. “નવરો માણસ શેતાનનું ઘર” એ ન્યાયે અપરાધીઓને ન્યાયપ્રક્રિયાના વિલંબ નિમિત્તે કે સજાની લાંબી બજવણી નિમિત્તે વધુ પડતા ગોંધી રાખવા એ ભારે જોખમી નીતિ જ ગણાય. એકંદરે તો અપરાધોની વૃદ્ધિનું મૂળ, અન્યાય-પ્રવર્તક એવું અને “સમાજ' એવા ખોટા નામે ઓળખાતું દુષ્ટપ્રધાન સંગઠન અને તેના ફરજંદરૂપ અને તેનાં જ સ્થાપિત હિતોને પોષતું, માત્ર કહેવાતું ‘રાજ્યતંત્ર' પોતે જ હોય છે. એ બે ઘટકોએ આત્મનિરીક્ષણ કરતાં રહી સાચી આત્મસુધારણા કરતા રહેવું તે અપરાધશુદ્ધિનું પાયાનું અને વધુ કાર્યક્ષમ બુદ્ધિપૂત (rational) પરિબળ છે તે કદી ન ભૂલવું. ન્યાયતંત્ર, સજાઓ – એ બધાં તો માનવજાતની ઊંઘ ઉડાડવા આંખે પાણી છાંટવા જેવાં સાવ જ કામચલાઉ વાનાં છે; પાયાનો ઉપાય નથી જ. નવા દેશની પ્રાપ્તિ, યુવરાજનો અભિષેક કે પુત્રજન્મ જેવા અભ્યદયસૂચક પ્રસંગો રાજકુળ અને રાજ્યતંત્ર સામે નવી આશાઓ અને સમૃદ્ધ શક્યતાઓ અને તેને અનુરૂપ, પ્રતિભાની નવી ઊર્જા પ્રગટાવે છે. ત્યારે રાજયતંત્ર તરફથી બંદીઓ પ્રત્યે આચરાતું અસાધારણ ઔદાર્ય એ અવિચારી પગલું કે દુસાહસ નહિ, પણ રાજ્યતંત્રને સમૃદ્ધ કરનારો કલ્પનાશીલ પ્રયોગ જ લાગે છે; બબ્બે રાજાએ પોતાની બધી સુષુપ્ત સેવાક્ષમતા જગાડવા પોતાની જાતને આપેલો પડકાર જ સમજવો, બહારના કે બીજાના દોષોનું મૂળ પોતાનામાં શોધનારી રાજાની આત્મવત્તા જ સમજવી. સાવધાન શાસક પ્રજા પ્રત્યેની ઊંડી વત્સલતા ઘૂંટીને, પ્રજાનો વિશ્વાસ જગાડવાના કલ્પનાશીલ ઉપાયરૂપે તેનામાં અનેક ગુણોની સંભાવના કે આશા દાખવીને વિશ્વાસનો પ્રાસંગિક કે વચ્ચેવચ્ચે કરાતો માનવીય-મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરીને તેમને ભરીભરી વૃદ્ધિકારક અર્થપ્રવૃત્તિઓમાં ગૂંથે તો ગુન્હાઓમાં જથ્થાબંધ ઘટાડો થયા વગર પણ રહે નહિ. જે રાજય સર્વપ્રજાજનોને સમાનપણે ગૂંથી લેતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy