SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૮૫ વખતની સ્ત્રીઓની સામાજિક કોટીઓ મુજબ સિપાઈઓના કારકર્મ બદલ વિવિધ કક્ષાના પણ ઊંચા દંડ બતાવ્યા છે – સ્ત્રી દાસી હોય, અદાસી (પણ કુંવારી) હોય, પરણેલી સામાન્ય સ્ત્રી હોય કે કુલસ્ત્રી હોય તે મુજબ “પૂર્વ-સાહસદંડથી આરંભી વધ સુધીનું દંડવિધાન છે. વળી સિપાઈ જડવસ્તુસંબધી કે ચેતનસંબંધી કોઈ પણ રાત્રિદોષની જાણ નાગરિકને ન કરે તો થયેલા દોષ (નુકસાન કે અપરાધ) મુજબ તેને દંડવો. તે જ રીતે સિપાઈના અન્ય પ્રમાદો બાબત પણ સમજવું. રાજપુરુષોએ પોતે અપ્રમાદનો સંતોતંત નિત્ય અભ્યાસ રાખીને, તેવી સબળ ભૂમિકાના પ્રભાવથી જ ઓછા અને મૃદુ પ્રયત્ન જુદી-જુદી કોટિના સેવકોના અપ્રમાદનું કુશળ-નરવું આયોજન કરવું તે જ છે આખા રાજયતંત્રનો – અર્થશાસ્ત્રનો – ઇન્દ્રિયજયરૂપી પાયો. આ જ છે ઉત્તમ રાજનીતિની અસરકારક, છતાં સાંસ્કૃતિક સમતુલાવાળી પ્રકૃતિ. નાગરિકે નગરજીવનની પ્રાણભૂત સુવિધાઓનાં સ્થાનોનું નિરંતર રક્ષણ થાય તે માટે કાયમી તપાસ રાખવી – જેમ કે જળ-પુરવઠાનું સ્થાન, સંચિત જળના નિકાલની પ્રણાલીઓ, ભૂમિગત ગુપ્ત માર્ગો, નગર-ફરતાં કોટ અને તેને રક્ષતી ટેકરા-દીવાલો (વપ્ર – rampart) અને અન્ય ચોકીલાયક સ્થાનો. પ્રાચીન-ભારતીય રાજયતંત્રમાં બંધનાગાર (જલ)ને તો સ્થાન છે જ, પણ ગુન્હાઓની દંડસંહિતામાં લાંબી જેલનાં વિંધાન મળતાં જ નથી એ આશ્ચર્ય છે. અલબત્ત, સાહિત્યિક ઉલ્લેખો – વત્સરાજ ઉદયન, વસુદેવ-દેવકી જેવા – અનેક મળે છે, જેમાં કદાચ મુખ્યત્વે રાજકીય શત્રુઓને જ લાંબો વખત જેલમાં ગોંધી રાખવાની વાત હોય. તો બીજી બાજુએ નવા રાજાનો અભિષેક, રાજાને ત્યાં પુત્રજન્મ જેવા રાજવંશની ખુશીના પ્રસંગોએ કે પૂનમ, વિશિષ્ટ તહેવારો જેવા જાહેર મંગળ દિવસોએ અમુક કે બધા કેદીઓને પણ છોડી મૂકવાની વાતો મળે છે. “અર્થશાસ્ત્રમાં પણ તેરમા અધિકરણના છેડે શત્રુરાજય જીતી લીધા પછીના લોકહૃદય-વિજયના ઉપાયો પૈકી સર્વ કેદીઓની મુક્તિની વાત મળે છે. આનો અર્થ તો દંડવિધાનમાં બંધનાગાર-નિવાસનો સમાવેશ થતો હશે એમ સમજાય છે. તો ખરેખર શું સમજવું ? આ પરસ્પર વિરુદ્ધ તથ્યોનો વિરોધ-પરિહાર (ઉકેલ) શો ? આજે ધરપકડ બાદ ગુન્હો પુરવાર થાય ત્યા આરોપી નિર્દોષ ઠરે ત્યાં સુધી રિમાન્ડ કે પોલિસ-કસ્ટડીમાં લેવાની વાત હોય છે, જેને માટે “કાચી જેલ' હોય છે. તો શું બંધનાગારનો ઉપયોગ મુખ્યત્વે તે હેતુ માટે થતો હશે ? પણ તો પછી સર્વ કેદીની મુક્તિની વાત અવ્યવસ્થા ન સર્જ? અત્યારે તો અહીં એટલું જ કહીએ કે બરાબર સંશોધન માગતી આ મજાની સમસ્યા છે. આ ગૂંચ છતાં એટલું તો કહી શકાય કે પ્રાચીન-ભારતીય રાજ્યતંત્રનો જેલ તરફનો અભિગમ આજથી જુદો હોવો જોઈએ. અલબત્ત, કૌટિલ્ય પણ “સન્નિધાતા' નામના ઉચ્ચ રાજ્યાધિકારીએ નિર્માણ કરવાનાં સંગ્રહાગારો પૈકી બંધનાગારનો પણ ઉલ્લેખ કર્યો છે જ. છતાં નરવા રાજ્યતંત્રમાં એ વિચાર પ્રતિષ્ઠિત થયેલો લાગે છે કે રાજ્યતંત્રનું લક્ષ્ય હોય છેરાષ્ટ્રમાં ગુન્હાઓ ઓછામાં ઓછા થાય તેવી સમગ્ર નીતિ; નહિતર ઘોડો તબેલામાંથી છૂટી ગયા બાદ પાછો પકડી લાવવાનું ખૂબ અઘરું છે. જેમ રોગ બાબત, તેમ ગુન્હા બાબત, તેનો ઉદ્ભવ જ ન થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy