SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ બને તેવો ઊંડો અને કસાયેલો આંતરિક વિનય એ અત્યંત આવશ્યક ગુણ બની રહે છે. આ જ કારણે આજે “માનવ-હક-સંગઠન”, “આંતરરાષ્ટ્રીય કેદીમુક્તિ-સંસ્થા (Human Rights Organisation, Amnesty International) ઇત્યાદિ સંગઠનો આખી દુનિયા પર આ દષ્ટિએ પૂરી સાવધાનીભરી વત્સલ ચોકી કરી રહ્યાં છે. આ વાત નગરમાં રાત્રે નગરજનોએ અવરજવર વગેરે માટે પાળવાનાં નિયમનોના વર્ણનમાં પણ બરાબર જોવા મળે છે. રાત્રિ એ સર્વ જીવો સહિતના નગરજનો માટે એકંદરે સંપૂર્ણ આરામનો, નીરવતાનો, ચેતનાના પ્રકૃતિકૃત નવસર્જનનો સમય છે. રાત્રિની આગળ-પાછળનો કેટલોક કાળ મોડા કાર્યસમાપન માટે કે વહેલા કાર્યારંભ માટે વાપરવો પડતો હોઈ, રાત્રિદિવસના કલ આઠ પ્રહરમાં રાત્રિના ત્રણ પ્રહર (‘યામ') ગણીને રાત્રિ માટે ‘ત્રિયામા' એવો પર્યાય રૂઢ થયેલો છે. તેને ધ્યાનમાં રાખીને અહીં કહેવાયું છે કે રાજમહેલની પાસે આગલા-પાછલા યામો(કુલ બે યામો)માં વાદ્યાદિના ધ્વનિ માટે સવા પણનો દંડ, વચલા કામ માટે એનાથી બમણો દંડ અને રાજભવનના અંદરના ભાગે આ બંને કાળખંડો માટે અનુક્રમે પાંચ “પણ” અને દસ “પણ” દંડ કરવો. આમાં બાકીના નગર માટે વ્યાપકપણે રાત્રિનું ધ્વનિ પ્રદૂષણ નિવારમાં કોઈ નિયમનો કેમ કહેવામાં આવ્યાં નહિ હોય ? બાકી, આ ઉલ્લેખો અત્યંત રસપ્રદ છે. રાત્રે નગરમાં સંચાર કરવા અંગેનાં પણ કેટલાંક નિયમનો ઉલ્લેખાયાં છે. રાત્રે નગરમાં પહેરેગીરોની યોગ્ય પ્રમાણમાં હાજરી હોવાના સંકેતો મળે છે. નગરમાં રાત્રિના બે છેડાનો છે નાલિકાઓ' (?) જેટલો સમય છોડીને પ્રહરસૂચક વાદ્યઘોષ કરવાનો હોય છે. ફરતા ચોકીદારો પરસ્પર આલબેલ (All Well !) પણ પોકારતા હશે એવો સંકેત પણ મળે છે. તેઓએ અયોગ્ય સ્થાને રહેલા, અયોગ્ય વેષ કે ચિહ્નો ધરાવતા કે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા મનુષ્યને પકડીને તેની ઊલટતપાસ કરવાની હોય છે. રાત્રે રાજય-માલિકીનાં સ્થાનોમાં પ્રવેશેલી કે નગરનાં રક્ષાસ્થાનો પર ચઢી ગયેલી વ્યક્તિને “મધ્યમ સાહસદંડ કરવાનો છે. આમ છતાં વાજબી હેતુસર રાત્રે પણ બહાર નીકળવા પર પ્રતિબંધ નથી. પ્રસૂતિ, ચિકિત્સકસંપર્ક, મૃત્યુપ્રસંગ જેવાં શારીરિક કારણોથી નીકળવું, દીવા સાથે કે દીવાવાળા વાહનમાં નીકળવું, નાગરિક' દ્વારા કરાયેલા આપત્તિસૂચક વાઘઘોષ વખતે નીકળવું, નાટક-ચેટક જોવા નિમિત્તે (કેવું સરસ !) જવું-આવવું – આવા સંજોગો પ્રતિષેધથી મુક્ત ગણવા, વળી રાજમુદ્રા (સંચાર-પરવાના) સહિત નીકળનારને પણ રોકાય-ટપારાય નહિ. તહેવાર જેવા નિમિત્તે કોઈ રાત્રિ હરફરની છૂટવાળી (વારરાત્રિ) જાહેર થાય, ત્યારે માત્ર છૂપા કે વિપરીત વેષવાળાને, સંન્યાસીઓને (?), હાથમાં લાકડી કે શસ્ત્ર લઈ નીકળેલાને દોષ પ્રમાણે દંડવા. નિયમનોનું આ છે ગરવું લચીલાપણું. રક્ષકો ભક્ષકો ન બને તેની ચિંતારૂપે જે પહેરેગીરો ન વારવા લાયકને વારતા હોય કે વારવા પાત્રને ન વારતા હોય તેમને દંડવા. રક્ષકો પ્રજામાં સ્ત્રીઓનું જાતીય શોષણ કરે તે પ્રશ્ન આજનો જ નહિ, જુગજૂનો છે. અત્યારે કશ્મીરમાંથી, અસમમાંથી અસાધારણ રીતે અને બાકી બધેથી જ વ્યાપકપણે પોલિસો કે સૈનિકોના આવા ઉચ્ચાવચ દુર્વ્યવહારોના અહેવાલો આવતા જ રહે છે. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy