SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૮૩ એ અંગે તો માનવજાત વતી રાજ્યતંત્ર પાછળ પડી-પડીને, ટૂંકી-ફૂંકીને ખબરદાર રહે છે તે માનવજાતની જરા ય ઊતરતી સાંસ્કૃતિક સેવા નથી.) બિલાડું, કૂતરું, નૉળિયો, સાપ, ગધેડું, ઊંટ, ઘોડું, ખચ્ચર અને દૂધાળાં કે સેવાપ્રદ પાલતુ પ્રાણીઓના મૃતદેહો માટે ઊંચા-નીચા નિયત દંડો હોય છે; જયારે માનવશબ અંગે પચાસ પણ જેવા ખૂબ ઊંચા દંડની જોગવાઈ સૂચવાઈ છે. મનુષ્યની સ્મશાનયાત્રા માટે પણ નક્કી કરેલા માર્ગમાં કે નક્કી કરેલા દરવાજાઓમાં ફેરફાર કરીને જવું તે પણ દંડપાત્ર ગુન્યો છે, અને તે માટે દંડપરિમાણ પણ ઘણું ઊંચું છે. તેથી તેવો ગુન્હો ચલાવી લેનાર દ્વારપાળ માટે પણ ખાસ્સો ઊંચો દંડ (૨૦) પણ !) સૂચવાયો છે. સ્મશાન સિવાય બીજે શબ દાટવા-બાળવા માટે પણ દંડવિધાન છે. અધ્યાય ક. ૨.૪માં રાજધાનીની સામાજિક મર્યાદાઓની દષ્ટિએ બતાવેલી વ્યવસ્થાની વિગતોમાં જ્ઞાતિભેદ અનુસાર ભિન્ન સ્મશાનોની વાત પણ મળે છે; તેનો વિપર્યય (ફેરફાર) દંડપાત્ર બતાવ્યો છે. દેશકાળ મુજબ સમાજમાં રૂઢ પ્રણાલીને મનસ્વીપણે હલબલાવી નાખવી નહિ એ દષ્ટિએ આવી રજૂઆત થયેલી સમજવી. રાજ્યતંત્રે સીધા સમાજ-સુધારક બનવાનું ન હોય. આ તો માત્ર નમૂનારૂપ, દિશાદર્શક વર્ણન છે. ધર્મશાસ્ત્રના ગ્રંથોમાં વધુ વિસ્તૃત નિરૂપણો મળે છે. નગરજીવન અનેક સંભવિત માનવીય દુવૃત્તિઓ અને દુષ્કર્મોનું ધામ હોઈ, અનેક મોરચે પાણી પહેલાં પાળ બાંધવાની – ગુન્હો કરવાની અનુકૂળતા જ ઊભી ન થવા દેવાની – આવશ્યકતા છે. એવી કડક વ્યવસ્થા જ ખરેખર નિરુપદ્રવી નગરવાસનું નિત્ય ઘુંટાતું નવું-નવું સમાજનિષ્ઠ માનવીય શિક્ષણ' પણ બની રહે છે. એ ‘શિક્ષણ' (શક્તિ જગાડનાર ઉપાય) એટલા માટે છે કે એ શિસ્ત એળે કે બળે પણ પળાતાં-પળાતાં એના પગલે સમજણ પણ વિકસતાં, દરેક મનુષ્યની અસલ નિરુપદ્રવી ક્ષમતા મહત્તમ રીતે બહાર આવે છે અને સમાજ અને વ્યક્તિ બંને સાથે પુષ્ટ થાય એવો મંગધ રાજપથ કંડારાય છે. પોતાના વિકાસ માટે બીજાને હાનિ કરવી જરૂરી છે. એવી જેની-જેની અવળી સમજણ છે, તેમને પહેલાં તો દૃષ્ટિ-સંપન્ન તંત્રે પૂરેપૂરી પ્રતીતિ અને નમૂનેદાર દઢતા સાથે તેમ કરતા રોકવા માટે આ બધાં નિયંત્રણોનું ઋષિ-પ્રેરિત આયોજન છે. ખોટો રસ્તો જડબેસલાક રીતે બંધ જ થાય, તો બીજો ખરેખરો, સ્વાધીન, નરવો રસ્તો અવશ્ય દેખાય છે એવી કુદરતની રચના છે. બીજી બાજુ કૌટિલ્ય આ પ્રકરણમાં તેમ જ ગ્રંથમાં સર્વત્ર ખુદ નિયંત્રક અધિકારીઓ અને તેમના દ્વારા પળાવાતાં નિયંત્રણો વિવેકરહિત, નિર્મર્યાદ અને તેથી હેતુવિહીન કે ઇષ્ટ પરિણામ વિનાનાં ન જ બને તેની કાળજીભરી ભલામણો પણ ગૂંથી લીધી જ છે. આજે સિંગાપુર, ચીન જેવા અનેક દેશોમાં કાયદાના ભારે ઊંચા કડપથી ગુન્હાહિત બધી પ્રવૃત્તિ પાકે પાયે રોકવામાં આવતી હોવાની વાતો જરૂર સાંભળીએ છીએ, પણ એમાં થતા ચૈતન્યવિઘાતક અતિરેકોની પૂરી ચિંતા કર્યા સિવાય ચાલે એમ નથી. વાડ ચીભડા ગળે તો નહિ જ એ જોવું રહ્યું. રાજયતંત્ર માટે સર્વત્ર અને સર્વદા, સરવાળે માનવની ઉત્ક્રાંતિ સધાય અને નવી-નવી સાંસ્કૃતિક સરવાણીઓ ફૂટે તેમાં સહાયક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy