SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અગ્નિકૃત આફતની ગણના ખાસ કરાઈ છે તે આપણે જોઈશું. પહેલાં ઘરોના નિર્માણમાં લાકડાનો ઉપયોગ ખાસ્સો કરાતો તે દૃષ્ટિએ, ખાસ કરીને ઉનાળામાં દિવસના વચલા બે ચતુર્થ ભાગોમાં, અગ્નિ ઘરમાં ન પેટાવતાં, આંગણામાં જ પેટાવવાની ભલામણ કરાઈ છે. અગ્નિનો ઉપયોગ કરવો પડે તેવા વ્યવસાયોને નગરમાં એકજન્થે વસાવવા. રસ્તાઓ, ચારરસ્તા, દરવાજા, રાજ્યની માલિકીનાં સ્થાનો વગેરેમાં પાણી ભરેલા પુષ્કળ ઘડાઓ રાખવા. ઘાસ, સાદડી જેવી દહનશીલ સામગ્રીનાં માળખાંને જાહેરમાં ન રહેવા દેવાં. આવા ઉપાયો આગ ન લાગે તે માટે સૂચવાયા છે. ૧૮૨ આગ લાગે ત્યારે સામાજિક સહયોગ ખૂબ જરૂરી છે. કૌટિલ્યે તે માટે જરૂરી કાનૂની જોગવાઈઓની સુધ્ધાં ભલામણ આગના સંદર્ભે ખૂબ વાજબી રીતે જ કરી છે. આગ લાગે ત્યારે સાધનદાન અને કાર્યસહયોગ એ બે વાત ખૂબ મહત્ત્વની છે. કૌટિલ્ય સામે હજી ઉઘમતત્પર સહયોગી સમાજ અને તેની સહજીવનની તમન્નાનું ચિત્ર છે; બધું સ૨કા૨-માબાપ કે ખાનગી ધંધાદારીઓ જ કરે એવું સામાજિક ચિત્ર નથી. આવો જીવંત સમાજ જ માનવીય સમાજ છે, ટકાઉ સમાજ છે, વિજયી સમાજ છે. આગ ઓલવવાનાં જળપાત્રો અને ફસાયેલાંને બચાવવાનાં વિવિધ સાધનો સ્થાનિક લોકોએ પણ જરૂર મુજબ અને પોતાની સગવડ મુજબ પૂરાં પાડવાં તે તેમની નૈતિક ઉપરાંત કાનૂની ફરજ પણ છે. તે રીતે મકાન-માલિકોએ કે ભાડે રહેનારાઓએ પણ આગ બુઝાવવાના અને જાનમાલના બચાવકાર્યમાં સહયોગ આપવો તે તેમની કાયદેસર ફરજ છે. નગરમાં ગમે ત્યાં આગ ચાંપનાર વ્યક્તિના તો વધની જ ભલામણ કરાઈ છે. ઉપર કહ્યું તેમ, ચોથા ટશોધન-અધિકરણમાં કેટલીક ખાસ કુદરતી આપત્તિઓ(૩પત્તિપાત)ના પ્રતીકારના પ્રકરણમાં આગરૂપ આપત્તિનો સમાવેશ થયેલો જ છે. શત્રુનો કિલ્લો જીતવા વિષેના તેરમા અધિકરણ(દુર્વ્યતમ્મોપાય:)માં પણ ઘેરો ઘાલનાર શત્રુએ બહારથી કિલ્લાની અંદર આગ લગાડવાના ઉપાયો તો વર્ણવ્યા છે; પણ જો સાચી પરાક્રમશક્તિ બાકી હોય, તો આવા પ્રયોગ ટાળવા જ રહ્યા એમ કહીને ઉમેર્યું છે કે આગ એટલી બધી ખાના-ખરાબી કરી શકે કે પછી કિલ્લો જિતાય તો પણ તેના ભોગવટામાં કશી બરકત ન રહે યા નષ્ટ નગર હાથમાં આવે ! (રશિયામાં નેપોલિયનના આક્રમણ વખતે રશિયનોએ છેવટે ‘ધીકતી ધરા’ની નીતિ મુજબ પોતાનાં જ નગરો બાળીને પીછેહઠ કરેલી, જેથી શત્રુઓ હાથ ઘસતા રહી જાય !) નગરની ચોખ્ખાઈ જેવા, પાયાનું બહુમુખી મહત્ત્વ ધરાવતા વિષયમાં ટૂંકાણમાં પણ યોગ્ય નિયમનો સૂચવ્યાં છે. રસ્તાઓમાં કે રાજમાર્ગ પર માટી કે કાદવ નાખવા-પાથરવા માટે માર્ગપ્રકાર મુજબ દંડ સૂચવ્યા છે; જો કે દંડ (એક અષ્ટમાંશ ‘પણ’ અને તેથી બમણો) ઘણા નીચા લાગે છે. તે રીતે ધાર્મિક સ્થાનો, જળાશયો, રાજ્યતંત્રનાં સ્થાનોએ મળ-મૂત્ર-વિસર્જન અંગે, સ્થાનના મહત્ત્વ મુજબ નાના-મોટા દંડ સૂચવ્યા છે; તો સાથે વાજબી માનવ-સહજ કારણોથી એમ થયું હોય ત્યાં માફીની જોગવાઈ પણ છે. વધુ ગંભીર પ્રકારની ગંદકી છે નગરમાં ગમે ત્યાં જીવજંતુ, પ્રાણીઓ કે માનવના મૃતદેહો રઝળતા મૂકી દેવાની. (મનુષ્ય હજુ કેટકેટલી જંગાલિયત, હેવાનિયત કે શેતાનિયતથી ભરેલો છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy