SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૭૯ ‘બલિપ્રગ્રહ' (રાજયને મળવાપાત્ર કરવેરા અને જાતજાતના પ્રાસંગિક લાગાઓ ભરવામાં થતી ચૂક કે ચોરી પકડી પાડીને તેની પૂરી ઉઘરાણીનું કામ – છાપામાર વેરા-અધિકારીનું કામ). (એક નવાઈની વાત એ છે કે રક્ષકતંત્ર એટલે કે પોલિસતંત્રની વાત અધ્યક્ષpવાર જેવા અનુરૂપ અધિકરણમાં કે ગ્રંથમાં બીજે ક્યાંય કરાઈ નથી !). સમાહર્તાએ સતત ગુપ્તચર તંત્રનો વિપુલ ઉપયોગ, જરૂરી વિવિધ સામાન્ય જાણકારીઓ અને વિવિધ અપરાધોની જાણકારી વિશ્વાસપાત્ર રીતે મેળવવા કરવાનો છે. વળી અગાઉ જોયું તેમ ગોપ અને સ્થાનિકે જનપદમાં કરેલી વિવિધલક્ષી મોજણીઓની ખરાઈ ચકાસવા પણ ગુપ્તચરતંત્ર દ્વારા તેવી જરૂર મુજબની સમાંતર મોજણીઓ કરાવવાની છે. તદુપરાંત ગામ-કસ્બા-વેપારીમથકોના વિવિધ ધંધાદારીઓની તથા અધ્યક્ષપ્રવીર અધિકરણમાં બતાવ્યા મુજબના, રાષ્ટ્રની મુખ્યત્વે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓના નિયમન માટે રાજ્ય દ્વારા નિમાયેલા અધ્યક્ષની પ્રામાણિકતા અને કાર્યદક્ષતાની ગુપ્ત તપાસ પણ ગુપ્તચરતંત્ર દ્વારા કરતા રહેવાની છે. આમ સમાહર્તાએ કાયદો અને વ્યવસ્થા જાળવીને જાળવવા એકંદરે તો રાષ્ટ્રની અર્થપ્રવૃત્તિઓને નિયમબદ્ધ અને કાર્યદક્ષ બનાવવા સંબંધી ખૂબ પાયાની મહત્ત્વની કામગીરી કરવાની છે. (૨) રાજધાનીનું નગરનિયમનતંત્ર દુર્ગ એટલે કે રાજધાનીના અધ્યક્ષને નાગરિક કહે છે, જે નગરચર્યાનું નિયંત્રણ કરે છે. એના કાર્યકાળનું સ્વરૂપ આજના “મૈયર' અને સવિશેષપણે ‘શહેર-પોલિસ-કમિશ્નરની ફરજોના મિશ્રણરૂપ જણાય છે. ‘નાગરિકની ફરજો પણ સમાહર્તાના સત્તાક્ષેત્રના અંગરૂપ ગણાય છે, તેથી તે અધિકારી સમાહર્તા પ્રત્યે જવાબદાર ગણાય. પાણિનિના વ્યાકરણમાં પણ ‘નાગરિક' શબ્દનો આ વિશિષ્ટ અર્થ નોંધાયેલો છે. નગરવાસી માટે પાણિનિએ કોઈ શબ્દ બતાવ્યો નથી, પણ એક ઘણી રસપ્રદ વાત એ છે કે તેમણે “નાગરક' શબ્દના બે પ્રચલિત લાક્ષણિક (ગુણસૂચક) અર્થો આપ્યા છે, જે નગરવાસી વિષેની અનુક્રમે ખરાબ અને સારી છાપ આમ બતાવે છે : “નાગરક'નો એક અર્થ છે “ખરાબ માણસ' અને બીજો અર્થ છે “પ્રવીણ એટલે કે કાર્યદક્ષ વ્યક્તિ ૧૫ ! નગરજીવન પાણિનિ વખતે પણ ખાસ્સે પ્રાચીન હશે; તો જ તે જીવન વિષેની આજના જેવી જ બે વિરુદ્ધ છાપ તે વખતે પણ રૂઢ થઈ ગયેલી હશે. નગરજીવન એક ગૂંચવણભરેલી સાંસ્કૃતિક દ્વિધા તરીકે મનુષ્યના શાણપણ સામનો એક પડકાર છે, સામનો ન ટાળી શકાય તેવો બળતો પ્રશ્ન છે. કાલિદાસનો નગરજીવન વિષેનો પરિપક્વ અભિપ્રાય અભિજ્ઞાનશાકુંતલ' નાટકના પાંચમા અંકમાં શકુંતલાને દુષ્યતને ત્યાં મૂકવા આવેલા બે તાપસોના મુખમાં મુકાયેલી, સમાન અભિપ્રાયો ધરાવતી એક-એક ઉક્તિ દ્વારા સમર્થ રીતે પ્રગટ થાય છે૧૬ . એક અસાધારણ મહામાત્ય તરીકેની ધીરતા(જબરાઈ)ની જોડાજોડા જ અંતરતમથી શમપ્રધાન માનવીય સંસ્કૃતિના સ્વપ્રને વરેલા કૌટિલ્ય, નગરજીવન માનવીની અતિવિષમ પ્રકૃતિ અને તેને અનુરૂપ અસંખ્ય કુટેવોથી કેવું બળબળતું અને બણબણતું બની રહે છે તે સમજે છે. પણ પૃથ્વી પરના સમકાલીન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy