SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પણ આવી જાય છે. આગળ અર્થતંત્રની ચર્ચા દરમિયાન આ વાત વધુ છેડીશું. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સંકુલ અને બહુઆયામી કામગીરી છે એ દષ્ટિએ પણ અહીં વહીવટીતંત્રની ચર્ચામાં અર્થતંત્રની બાબતોની ય સંડોવણી સાવ આડવાત બની રહે તેમ નથી. ઉપર રાજયને અર્થપ્રાપ્તિ કરાવતા જે સાત સ્રોતો વર્ણવ્યા છે, તે બધા મળીને સ્વસ્થ, વિકાસશીલ માનવજીવનનો આધાર બને તેવા છે. એ દરેક સ્રોતમાં જેટલાં મુખ્ય પુરુષાર્થસ્થાનો છે, તેનો થયેલો લાધવપૂર્ણ ઉલ્લેખ, સ્વસ્થ રાષ્ટ્ર કેવા સર્વજનહિતકર અભિક્રમ અને ઉદ્યમથી નિત્ય ધમધમતું હોય, તેનો પ્રેરક ચિતાર શાણા જનોને આપે છે. અગાઉ આપણે દંડનીતિવિદ્યાનું જે કૌટિલ્યોક્ત સ્વરૂપવર્ણન જોયેલું તે ફરી ઘૂંટીએ : “તે (દંડનીતિ) ન મેળવેલું મેળવનારી, મેળવેલાનું રક્ષણ કરનારી, રક્ષિત સમૃદ્ધિની વિવિધ રીતે વૃદ્ધિ કરનારી અને વૃદ્ધિ પામેલી સમૃદ્ધિનું ‘તીર્થોમાં (સત્પાત્રોમાં) વિતરણ કરનારી છે. એ વાતનું જ સમાહર્તાના કાર્યક્ષેત્રના આ વર્ણનમાં પાકે અનુસંધાન જણાય છે. આજે કહેવાતા સ્વાતંત્ર્યના કે લોકશાહીના જમાનામાં વિવિધ રાષ્ટ્રોની અજબ-ગજબ કે અવનવી ચાલ જોઈએ છીએ, ત્યારે પ્રૌઢજનને આ વર્ણનમાં સાંસ્કૃતિક ઠરેલપણું, રચનાત્મકતા અને પારદર્શકતા લાગ્યા વગર રહેતાં નથી. સમાહર્તાના કર્તવ્યક્ષેત્ર વિષેના આ અધ્યાય ૨.૬ના ઉત્તરાર્ધમાં ખૂબ ચીવટથી ખાતાવાર કે પ્રકારવાર કરવાની, આવકની અત્યંત કાળજીભરી નોંધની વાત, આવક-જાવક-સિલકના પાકા હિસાબની વાત, તેના યોગ્ય દેશકાળ-નિર્દેશની વાત, બાકી લેણાંની વાત – એવી બધી, સર્વ સાથે સમતુલાસાધક ધનવિનિમય જાળવનારા શુદ્ધ વ્યવહારની વાતો ઉલ્લેખવાનું ચુકાયું નથી. પ્રાયઃ પૂર્વના રાજનૈતિક દીર્ઘદર્શી મનીષીઓ દ્વારા વિચક્ષણ પ્રતિભા વડે પુરસ્કારાયેલા, ઉદ્યમી રાજનૈતિક પેઢીઓ દ્વારા સાતત્યપૂર્વકની અજમાયશોથી દઢમૂળ બનેલા અને રાજાની પ્રમાદરહિત વત્સલ અધ્યક્ષતાથી કસાયેલા આ સમાહર્તાપદના વિશાળ અને અત્યંત જવાબદારીભરેલા કાર્યક્ષેત્રને જયારે ચિંતન અને પ્રયોગ એ બંનેનાં ઊંચાં ધોરણ જાળવનાર કૌટિલ્યની અનુમોદના (સ્વીકૃતિ) મૌલિકપણે મળે છે, ત્યારે તેની ભવ્યતાને એક વાસ્તવિક ધરાતલ પણ મળે છે. સર્વાગી રીતે કસાયેલા અને પ્રતિભાશુદ્ધિ પામેલા મનુષ્યથી જ આવા પદનો સંતાપ અને કાર્યભાર જિરવાય. ઇન્દ્રિયજયના મહામંત્રનું સાતત્યયુક્ત, ઊંડાણભર્યું સેવન જ આવા મનુષ્યને નિપજાવી શકે. અલબત્ત, સમાહર્તાએ વિવિધ તંત્રોમાંના કાર્યકર-સમૂહની મદદ સતત લેવાની છે, અને સાથે જ એમની કાર્યનિષ્ઠાની તપાસ અને મુલવણી ગુપ્તપણે કરતા રહેવાની છે. સમાહર્તાએ ‘પ્રદેષ્ટા' બિરુદવાળા, રાષ્ટ્રસ્તરના અધિકારીઓ, જે અમાત્યની સમકક્ષ ગણાય, તેમની મદદ લેવાની છે. પ્રદેટાને શ્રી કંગલે આજના મૅજિસ્ટ્રેટની બરાબરીના સમજે છે. પ્રદેષ્ટાએ, આ મુદ્દાની ચર્ચામાં અગાઉ ઉલ્લેખેલા ‘ગોપ' (પાંચથી દસ ગામના વિકાસ-અધિકારી) અને સ્થાનિક’ (આખા જનપદના ચાર પ્રખંડ પૈકી દરેકના મહા-વિકાસઅધિકારી) દ્વારા, સાથે આખા રાષ્ટ્રમાં ગોઠવવામાં આવેલા રક્ષાપુરુષો(પોલિસ-અધિકારીઓ)ને સતત મદદમાં રાખીને સમાહર્તાના આદેશ મુજબ મુખ્યત્વે આ બે કામો કરવાનાં છે : “કંટકશોધન' (રાજયતંત્રની પોતાની પહેલથી – suo moto– કરાતું વિવિધ અસામાજિક તત્ત્વોનું નિયમન) અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy