SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૭૭ વણિપ્રથોના બે પ્રકાર બતાવ્યા છે : સ્થલપથ (ભૂમિમાર્ગ) અને વારિપથ (જળમાર્ગ). બંનેના લાભાલાભ બતાવાયા છે. જનપદના ભાગરૂપ “પયપત્તનો' (વેપારી નગરો) પ્રાયઃ નદીકાંઠે કે સમુદ્રકાંઠે હોવાના ઉલ્લેખ સૂચક છે. જે-તે રાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ હોય તો વેપાર માટે જળમાર્ગોની પસંદગી વધારે થતી હશે; કારણ કે એ પ્રકૃતિનિર્મિત માર્ગો છે. વણિપથોનું મહત્ત્વ રાજય અને વેપારીઓને થતા અર્થલાભની દષ્ટિએ જેટલું છે, તેટલું જ પ્રજાને સ્થાનિકપણે સુલભ ન હોય તેવી પૂરક જીવનજરૂરિયાતોની થતી પ્રાપ્તિની દષ્ટિએ પણ છે. રાષ્ટ્રભરમાં માલનો પુરવઠો સમાન રીતે પહોંચાડવા માટે અને વસ્તુના ભાવનિયમન માટે પણ આ માર્ગો મહત્ત્વના છે. આ કામો માટે પપ્પાધ્યક્ષ (પુરવઠા-અધ્યક્ષ) પણ નિયુક્ત કરાય છે તે આગળ જોઈશું. વણિપથ' શબ્દ એટલું બરાબર સ્પષ્ટ કરે છે કે કૌટિલ્ય સામે વેપારપ્રધાન સંકુલ અર્થતંત્રનું ચિત્ર છે. અર્થપ્રાપ્તિના સાત રાષ્ટ્રીય સ્રોતો પૈકીના એક સ્રોત તરીકે વણિપથની ગણના થાય છે. તેમાંથી રાજયતંત્રને જાતજાતના કર કે લાગાઓ મળે છે, વેપારીઓને સ્વપ્ન-શા નફા મળે તેવા પોતાનાં દૂરંદેશીભર્યા કે અજાયબ લાગતાં વેપારી સાહસો અજમાવવાની મનભર મોકળાશ મળે છે અને પ્રજાને પ્રાયઃ સ્થાનિક રીતે મળેલી પાયાની નિર્વાહ સામગ્રી ઉપરાંતની વધારાની જરૂરિયાતો નિમિત્તે સુખદાયક કે કૌતુકજનક અવનવી ચીજો તેમ જ જીવનશૈલી ઘાટીલી કે રંગીન બને તેવાં નવાં સાધનો પણ મળે છે. આ છે સૌ-સૌના પોતપોતાના લાભ. આ વણિકૂપથ ગામો અને નગરો બંનેની જીવનશૈલી પર ગણનાપાત્ર પ્રભાવ પાડે છે એ પણ સ્વીકારીએ. છતાં અહીં રાષ્ટ્રીય અર્થતંત્રના આ પાસા પરત્વે તેની મર્યાદાથી યે વિશેષ તેની સાથે જોડાયેલ સંભવિત સાંસ્કૃતિક સંકટ તરફ માત્ર આંગળી ચીંધવી છે; તે છે એકાંગી અર્થ કેન્દ્રીપણારૂપ કે અર્થપરાયણતારૂપ સાંસ્કૃતિક સંકટ, કૌટિલ્ય ત્રિવર્ગમાં અર્થને જ પ્રધાન કહીને તો પોતાની વિવેકિતા જ બતાવી છે તે તેનું સાચું અર્થઘટન ચીંધતાં, આગળ બતાવવામાં આવ્યું જ છે. ધર્મ-કામ અર્થમૂલક છે” એ વાક્ય આ ચર્ચાને સમજવાની ચાવી હોવાનું અગાઉ ચીંધ્યું છે. વણિપથોનું નિર્માણ કરવાનું વિશાળ-સંકુલ આયોજન અને વેપારને ઊલટભર્યું સમુચિત પ્રોત્સાહન – એ પણ મૂળમાં તો રાજયતંત્રના પાયાના કર્તવ્યનો જ ભાગ છે. એક રીતે જોઈએ તો લોકસ્વભાવ અને પાયાની માનવીય વૃત્તિઓને પારખીને, તેની સાથે સંઘર્ષને બદલે સહયોગનો સંબંધ સ્થાપીને જ રાજ્યતંત્ર પોતાની મધ્યસ્થતા અને વિવેકિતા દર્શાવી શકે છે; અને તે જ તેને તેના સમગ્ર ધ્યેયમાં સફળ પણ બનાવે છે. પણ એ મધ્યસ્થતા તે નથી જડતા કે નથી નરી યાંત્રિકતા. જાતવાનું રાજ્યતંત્રમાં સ્વાધીન દર્શનશક્તિ ગર્ભિતરૂપે હોય જ છે. રાજાના માધ્યમથી રાજયતંત્ર માનવસંસ્કૃતિના ઉલાળ ધરાળ જાળવવા જેટલું દષ્ટિસંપન્ન હોય જ છે. મનુષ્યની વૃત્તિઓ પરનો તેનો હિતકર સાંસ્કૃતિક જાપ્તો સીધો, દેખીતો કે આક્રમક ન હોતાં પરોક્ષ અને ચતુરાઈભર્યો હોય છે. “અર્થશાસ્ત્રીને સમગ્રરૂપે તપાસવાથી પ્રતીતિ થશે કે કૌટિલ્ય વેપારી વૃત્તિના સંભવિત અતિરેકો બાબત પૂરેપૂરા જાણકાર અને જાગૃત પણ છે. શુલ્કાધ્યક્ષ, પપ્પાધ્યક્ષ, “રૂપદર્શક' (ચલણી સિક્કાની પરીક્ષા કરતો રહેતો અધિકારી) ઇત્યાદિ અનેક અધિકારીઓના કાર્યક્ષેત્રોનાં વિસ્તૃત વર્ણનો કે માત્ર નિર્દેશો પણ વેપારી લોભનાં તોફાનોને અટકાવવા રાજ્યતંત્ર કેટલું સાબદું હોય છે તે બતાવે છે. સમાહર્તાના બૃહત્ કાર્યક્ષેત્રમાં આ બધું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy