SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વનનો અલગ ઉલ્લેખ ઉપર બતાવ્યા મુજબ હાથીના સૈન્યસંબંધી અને સવારી-સંબંધી અસાધારણ મહત્ત્વને કારણે સમજવો. હાથીને બાણભટ્ટે તેમના હર્ષચરિતમાં “ફરતા કિલ્લા' (સૌંરતુ:) કહ્યા છે. નવાઈની વાત એ છે કે બીજા અધ્યક્ષપ્રાર: અધિકરણમાં અર્થપ્રવૃત્તિના અનેક અધ્યક્ષોની કામગીરી માટે એક-એક અલગ અધ્યાય આપવામાં આવ્યો છે, પણ વનાધ્યક્ષ જેવા અધિકારીનો તો ઉલ્લેખ સુદ્ધાં નથી ! ખરેખર તો સમાહર્તાના તાબા નીચેનાં અનેક અર્થપ્રવૃત્તિ-ક્ષેત્રોના અલગ અધ્યક્ષોના કાર્યકલાપનાં વર્ણનો ઉક્ત બીજા અધિકરણમાં છે જ, તેમ સમાહર્તાના જ તાબા નીચેના મુખ્ય સાત અર્થક્ષેત્રોમાંના જ એક વનરૂપ મહાન અર્થક્ષેત્રના અલગ અધ્યક્ષની જોગવાઈ તો અત્યંત આવશ્યક લાગે છે. તો કૌટિલ્ય આટલી મોટી બાદબાકી કેમ કરી હશે ? અલબત્ત, રાજયના વિવિધ કોઠારોમાં એક પ્યJદ કહેવાતો કોઠાર વન્ય પેદાશો માટે અલગ રખાતો હોવાની વાત જરૂર છે. પ્રાચીન સમયમાં આજના જેવી પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યા ન હોવાથી વનો દ્વારા પર્યાવરણરક્ષણ અને તે દ્વારા અર્થતંત્રને થનારા આડકતરા લાભની વાત આ ગ્રંથમાં ક્યાંય ઉલ્લેખાઈ નથી. તે જ રીતે અર્થપ્રાપ્તિ માટે વનોના વ્યાપક વિનાશનું વલણ પણ એ કાળે સામાન્યત: નહિ હોય એમ લાગે છે. સામે પક્ષે કૃષિયુગના મંડાણના પગલે સ્થાયી વાસસ્થાનોમાં સમાજ તરીકે જીવવાની શૈલી વિકસતાં જનપદ માટે વનોના અમુક ભાગો ઉચ્છેદતા રહેવાની આવશ્યક્તા પણ ઊભી થઈ હશે તે વાત “મહાભારત'નો ખાંડવદાહ-પ્રસંગ પણ ચીંધે છે. એથી ઊલટું, નવા જનપદની સ્થાપના સાથે કરવાનાં ઉપર્યુક્ત દ્વિવિધ વનોના નિર્માણની વાત રસપ્રદ છે. કાયદાઓના પ્રકરણમાં રાજયની મંજૂરી વિના વૃક્ષોચ્છેદ માટેના દંડની જોગવાઈનો ઉલ્લેખ મળે જ છે. કૌટિલ્ય પશુપાલનના મુખ્ય ધામરૂપ વ્રજોમાં ઉછેરાતાં આઠ માનવ-ઉપયોગી પશુઓ ઉલ્લેખ્યાં છે : ગાય-ભેંસ, ઘેટાં-બકરાં, ગધેડાં-ઊંટ અને ઘોડા-ખચ્ચર, જે આહાર, માલ કે મનુષ્યની હેરાફેરી, વસ્ત્ર, યુદ્ધ જેવા માનવીય હેતુઓમાં ખપ લાગે છે. વ્રજો ઉપરાંત ચાલુ ગામોમાં પણ આ પશુઓ પરિવારોના પોતાના ઉપયોગ માટે ઉછેરાય છે. તેથી દરેક ગામની વસ્તીગણતરીમાં પશુસંખ્યા પણ નોંધાય છે. રાજ્યતંત્ર દ્વારા ખાસ નિર્માણ પામેલા માર્ગો મુખ્યત્વે વેપાર-વણજ માટે વપરાતા હોઈ વણિપથ (વેપારી માર્ગો) કહેવાય છે. માલની લાવ-લઈ જા કરતા વેપારીઓના પ્રવાસી સમુદાયરૂપ ‘સાર્થ (વેપારી કાફલા)ના ઉલ્લેખો પણ ગ્રંથમાં મળે છે, અને એના જાનમાલ માટેની રાજ્યતંત્રની જવાબદારીના સંદર્ભો મળે છે. એ માર્ગો માટે વેપારીઓ પાસેથી માર્ગવેરો (વર્તની), શુલ્ક (માલ-પરિવહન-વેરો), લૂંટ-ધાડ સામે માર્ગ પર અપાતા રાજયરક્ષણ માટેનો કર (તિવાહિ), નદીઓ ઓળંગવાનો કર (તર) – જેવા વિવિધ લાગા પણ ઉઘરાવાતા. આવા વેપારી માર્ગોને આજના રાજયમાર્ગો (state-highway) સાથે સરખાવી શકાય. લોકોની હેરફેર પણ આવા માર્ગો પર જરૂર થતી હશે, પણ એનું પ્રમાણ આજે જોવા મળે છે તેટલું વ્યાપક નહિ હોય. નાનાં ગામો વચ્ચેના સ્થાનિક વહેવાર માટે ગાડામાર્ગો કે સાંકડા માર્ગો પણ જરૂર હશે. તેમનો ઉલ્લેખ સમાહર્તાની કામગીરી અંગેના પ્રકરણમાં નહિ, પણ સૈન્યની આગેકૂચ અંગેનાં યુદ્ધસંબંધી પ્રકરણોમાં મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy