SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૭૫ વનમાંથી થતી અર્થપ્રાપ્તિના પ્રભેદોનું વર્ણન સાવ ટૂંકું છે; શ્રી કંગલે મુજબ ઉપયોગી વસ્તુઓના ચાર મુખ્ય પ્રભેદો નિર્દેશ્યા છે : પશુવન એટલે કે ગવયાદિ પશુઓનું વન, મૃગવન, દ્રવ્યવન અને હસ્તી-વન. આ દરેક પ્રકારનો સ્વતંત્ર અને મહત્તમ વિકાસ થાય તે હેતુથી તેમના અલગ રૂપે નિર્ધારિત કરેલા નિયંત્રિત સ્વતંત્ર વિભાગો (પરિપ્રદ) સમજવાના છે. અહીં એમ સૂચવવાનું જરૂરી લાગે છે કે “પશુ-મૃગ' શબ્દ એક સંયુક્ત એવો વિભાગ (પરિપ્રદ) સૂચવે છે, જેમાં ‘પશુ' શબ્દ પાલતુ પ્રાણીઓ, મૃગ અને હાથી એ ત્રણ વર્ગો સિવાયનાં જંગલી પ્રાણીઓ સૂચવે છે અને ‘મૃગ' એટલે વિવિધ હરણજાતિઓ. વિચારતાં એમ લાગે છે કે એ જંગલી પ્રાણીઓ અને હરણજાતિઓ મળીને એક આખો શિકારયોગ્ય પ્રાણીઓનો વર્ગ સૂચવાય છે – જેમનો શિકાર વિવિધ માંસ ઉપરાંત ચર્મ, નખ, શિંગડાં, કસ્તુરી-આદિ સુગંધી યા ઔષધયોગ્ય દ્રવ્યો વગેરે માટે કરાય છે. દ્રવ્યવન એટલે વનસ્પતિજ અસંખ્ય દ્રવ્યો આપતો વનવિભાગ. અને હસ્તીવન એટલે હાથીઓના ઉછેર અને તેમને જીવતા પકડવા માટેનું ખાસ વન. હાથીઓનો મહત્તમ ઉપયોગ સેના માટે થાય; ઉપરાંત તે રાજકુળ વગેરેમાં સવારી માટે, શોભા માટે પ્રયોજાય. ‘પશુમૃગ'નો ઉપર સૂચવેલ અર્થ ન કરીએ તો મૃગ સિવાયના શિકાર યોગ્ય ગણાતાં પ્રાણીઓ બાકાત રહી જાય છે. એટલે ‘પશુ' શબ્દથી ગવય જેવાં વનસ્પત્યાહારિ પ્રાણીઓ સમજવાનું યોગ્ય લાગતું નથી. અલબત્ત ગવય (નીલગાય કે રોઝ) કોઈ પણ રીતે ઉપયોગી નહિ, પણ ખેતીને ગમે તે રીતે પુષ્કળ નુકસાન કરનાર પ્રાણી હોઈ શિકારયોગ્ય પ્રાણી તરીકે ગણવામાં આવતું હશે એમ માની શકાય. પરંતુ તે માત્ર માંસ આપતું પ્રાણી હોઈ “ગવયાદિ’ એવો ટીકાકારસૂચિત અર્થ હિંસક પ્રાણીઓનો અર્થ સૂચવી શકે નહિ. વળી આમ તો ગવયનું માંસ પણ અમુક માનવજાતિઓના અપવાદ સિવાય ખપમાં પણ લેવાતું નથી ! અલબત્ત, અહીં ‘પશુ' શબ્દનો ઉપયોગ ‘હિંસક પ્રાણીઓ'ના અર્થમાં માનવાનું પણ વિચિત્ર લાગે છે. આ દષ્ટિએ એક કલ્પના એવી કરી શકાય કે અહીં સાચો પાઠ પશુમૃNI નહિ, પણ કૃપશુ હશે અને તે સ્થિતિમાં મૃ શબ્દનો મૂળ વ્યુત્પતિ-આધારિત આ અર્થ લેવો ન્યાયી બને – મૃ51 (શોધવું) ધાતુ પરથી “જે મનુષ્ય દ્વારા શિકાર માટે શોધાય તે મૃ' એવો વ્યુત્પત્તિ-જન્ય અર્થ. હરણ માટે પણ “મૃા' શબ્દ આ અર્થમાં જ રૂઢ થયો છે. પણ તે ઉપરાંત મૃNI' શબ્દ શુદ્ધ વિશેષણ તરીકે ઉપર બતાવેલા વ્યુત્પત્તિ-જન્ય અર્થમાં કે જંગલી પ્રાણીઓના અર્થમાં વપરાતો જોવા મળે છે; દા.ત. સિંહ માટે વપરાતો ‘મૃગપતિ' શબ્દ – મૃગોનો પતિ એટલે કે જંગલનાં પ્રાણીઓનો પતિ. આ રીતે કૃપશુનો અર્થ શિકારયોગ્ય બધાં પ્રાણીઓ – માંસાહારી કે હરણ જેવા તૃણાદિ વનસ્પતિ ખાનારાં પ્રાણીઓ – સમજાય. બાકી પશુમૃગ પાઠ તો સમસ્યારૂપ જ છે. અહીં એ પણ ધ્યાનપાત્ર વાત છે કે આ ગ્રંથમાં અન્યત્ર મોટે ભાગે વનના બે જ વિભાગો નિર્દેશાતા જોવા મળે છે : દ્રવ્યવન અને હસ્તીવન; દા. ત. ૨.૨.૨૨માં ‘જનપદસ્થાપન' વર્ણવતાં જે અર્થપ્રાપ્તિક્ષેત્રોની વાત છે, તેમાં આ બે પ્રકારો જ નિર્દેશ્યા છે. એ દષ્ટિએ ‘દ્રવ્યવન' શબ્દમાંના ‘દ્રવ્ય' પદમાં પ્રાણી-જ અને વનસ્પતિ-જ એમ બંને પ્રકારનાં દ્રવ્યો સમાવિષ્ટ ગણી શકાય. હસ્તી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy