SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ માનવસમાજની વાસ્તવિક પ્રકૃતિના અન્વયે, રાજયની એકંદર મહત્તમ સુવ્યવસ્થાની દૃષ્ટિએ કિલ્લેબંદ રાજધાનીની કે અન્ય નગરોની પણ આવશ્યક્તા પારખીને તેઓ નગરજીવનને, સંભવિત બદીઓને અંકુશિત કરતાં નિયંત્રણોથી સુવ્યવસ્થિત બનાવવાનું જરૂરી માને છે. એ કામની વિશિષ્ટતા અને સંકુલતા સમજીને નગરના નિયંત્રક તરીકે વિશિષ્ટ ઉચ્ચાધિકારી ‘નાગરિક'ની જોગવાઈની પરંપરા સ્થપાઈ હશે. તે અધિકારીનાં કર્તવ્યો નગરક્ષેત્રમાં સમાહર્તા જેવાં જ હોવાનું અ. ક. ૨.રૂદ્દના આરંભે જ કહેવાયું છે. નાગરિકે કાઠા નગરપરિવારના હિંમતબાજ પણ વત્સલ એવા મોભીનું કે કાર્યદક્ષ એવા નિત્યના હિતચિંતકનું કામ કરવાનું છે. આવા અધિકારીઓની માત્ર યાંત્રિક (કારકુની) કે ચીંધી શકાય તેવી સ્થૂળ ફરજો જ હોતી નથી, પણ પ્રબુદ્ધ મનુષ્ય તરીકે પોતાના અધિકારક્ષેત્રની સ્થૂળ-સૂક્ષ્મ સર્વાગી ફરજો પ્રત્યે અંતરતમથી સમર્પિત થવાનું છે. આવા અધિકારીની નિષ્ઠાનો આધાર રાજાની સમગ્ર પ્રતિભા પર અને રાજાએ જમાવેલા રાજ્યતંત્રની જીવંતતા અને સુદઢતા પર રહે છે. નારિ પ્રથ: (અધ્યાય ક્ર. ૨.૩૬)(‘નાગરિકનું ધ્યાનક્ષેત્ર') એ અધ્યાયમાં નાગરિકની સમગ્ર કાર્યદિશા ચીંધવા માટે નગરજીવનની સુવ્યવસ્થાને લગતાં પ્રાથમિક મહત્ત્વનાં કેટલાંક જ કર્તવ્યો નમૂનારૂપે જણાવ્યાં જણાય છે. સમાહર્તાના જેવા એક કર્તવ્યરૂપે સ્વક્ષેત્રનાં વિવિધલક્ષી પારિવારિક સર્વેક્ષણો સહાયકો દ્વારા નાગરિકે રાજધાની પૂરતાં કરવાના છે એ અનુક્ત વાત પણ સમજી લેવાની રહે છે. સમાહર્તાના કર્તવ્યક્ષેત્રરૂપ જનપદમાં જેમ કાર્યની સુગમતા માટે પાંચ-દસ ગામના સમૂહો કરાય છે, તે જ રીતે નાગરિકના રાજધાનીરૂપ કાર્યક્ષેત્રનો રોજિંદો વહીવટ વ્યવસ્થિત રીતે સંભાળવા દશ, વીસ કે ચાલીસ કુળ દીઠ એક “ગોપ” અને નગરના ચાર વિભાગ પાડી દરેક પર “સ્થાનિક' એ જનપદ જેવા અધિકારીઓ સહાયમાં રહે છે. તેમણે પોતાના તાબાનાં કુળો બાબત ઉપર ચીંધ્યાં તેવાં વિવિધ સર્વેક્ષણો કરી તેની પાકી નોંધ રાખવાની પણ હોય છે. વિશેષરૂપે રાજધાની અને સામાન્ય રૂપે અન્ય કોઈ પણ નગર એ મુખ્યત્વે તો સંપત્તિ અને સત્તાની જમાવટ માટેનાં જ ખાસ કેન્દ્ર હોઈ, તે બંને લલચામણી બાબતોમાં ભાગ પડાવવા, તેની ઓળવણી કરવા કે ચોરી-લૂંટ કરવા દુર્જનો કે સમાજનાં અસામાજિક તત્ત્વો નગરમાં જુદી-જુદી રીતે સક્રિય હોય જ છે. “ખોટા સિક્કા સાચા સિક્કાને ભગાડે' એવો અર્થશાસ્ત્ર તારવેલો નિયમ સમાજનાં અન્ય ક્ષેત્રોમાં પણ અમલી બનવાની સંભાવના રહે છે. નાગરિકે મુખ્યત્વે એવી પ્રવૃત્તિઓ સતતની ખબરદારીથી અટકાવતા રહી, રાજધાનીમાંના સંકુલ કાર્યકલાપ દ્વારા રાષ્ટ્રજીવનના હૃદયરૂપ એ ધામને કાર્યક્ષમ રીતે ધબકતું રાખવાનું છે. વળી સામુદાયિક રીતભાતો, આવન-જાવન, સ્વચ્છતા જેવા અનિવાર્ય નાગરિકધર્મો અંગેનાં અસરકારક નિયમનોનું પણ ખૂબ મહત્ત્વ છે. આ કામ નાગરિકે માત્ર ગોપ-સ્થાનિક દ્વારા જ નહિ, પણ અનુકૂળતા પ્રમાણે નગરનાં જીવંત વ્યાવસાયિક જૂથોને પોતપોતાના વ્યવસાયોનાં પાયાનાં હિતોના રક્ષણ માટે જાગૃત કરીને તેમના દ્વારા, તેમ જ ગુપ્તચરો દ્વારા પણ કરવાનું છે. કોઈ પણ સમાજનું રક્ષણ તેમાંના મોટા ભાગના સભ્યોનાં આત્મગૌરવ, જાગૃતિ, બુદ્ધિયોગ, ઉદ્યમશીલતા ઇત્યાદિ દ્વારા ઉત્તમ રીતે થઈ શકે છે. માત્ર તંત્રને ભરોસે બેસી રહેનારો સમાજ પડતો જ જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy