SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ માલ પર લાગેલાં શુલ્ક (પરિવહન-કર), માર્ગવેરા, વળાવિયા(escort)ના લાગા, સિપાઈ-થાણાના લાગા, નદી તરવાના લાગા, સામા રાજયને આપવાના થતા ‘ભાગ' (ઉપાર્જનના નિયત અંશરૂપ કર), સેવકોની ખાધા-ખોરાકી, અધિકારીઓને આપવાની થતી ભેટ (‘પેશગી') – એ બધાંના આંકડા જાણી લેવાના છે. સમાહર્તા-પ્રેરિત તાપસવેષધારી ગુપ્તચરોએ ખેડૂત-પશુપાલક-વેપારી જેવા વ્યવસાયીઓની અને વિવિધ અર્થપ્રવૃત્તિ સંભાળતા “અધ્યક્ષોની પ્રામાણિકતા કે ભ્રષ્ટતા (શવાનં) શોધી કાઢવાની છે. રાષ્ટ્રમાં વિવિધ સ્થાને સક્રિય અસામાજિક તત્ત્વોની તપાસ રીઢા ચોરના વેષમાં રહેલા ગુપ્તચરોએ બરાબર કરતા રહેવાનું છે. તેમણે ચૈત્યો, ચાર રસ્તા, ખાલી મકાનો, જળાશયો, નદી, નવાણ, ઓવારા, મંદિર, આશ્રમો, જંગલ, પહાડી જંગલો, ગુપ્તસ્થાનો વગેરેમાં ચોરો કે શત્રુના ત્રાસવાદીઓનાં પ્રવેશ, નિવાસ કે પ્રસ્થાન પાછળનાં પ્રયોજનો જાણી લેવાનાં છે. ' છેવટે એ પણ કહેવાયું છે કે સમાહર્તા દ્વારા પ્રયોજાયેલા ઉપર્યુક્ત ગુપ્તચરો ઉપરાંત ગુપ્તચરતંત્રે સ્વયંભૂ રીતે પણ આવી તપાસ રાખ્યા કરવાની છે. આવા જાગૃત રાજયતંત્રને સાચા અધ્યાત્મને વરેલું કેમ ન કહીએ – સવાયું અધ્યાત્મ કેમ ન કહીએ ? આટલી વિગતો એ બતાવે છે કે સમાહર્તાએ રાજયના ગુપ્તચરતંત્રનો ખૂબ ઘનિષ્ઠ, હેતુલક્ષી ઉપયોગ કરીને પણ રાષ્ટ્રમાંની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ઉત્તમ સર્જકતાઓને, કાયદો અને વ્યવસ્થાની અત્યંત ઘનિષ્ઠ અને કલ્પનાશીલ સાચવણી દ્વારા ઉત્તેજીને સક્રિય બનાવવાની છે. રાજાની સત્ત્વશીલ, શુચિ (નિર્મળ) પ્રતિભા, ગુણવાનોનો નિત્ય સંગ્રહ કરવા બાબતની તેની મમતાભરી તત્પરતા અને માણસ-પારખુ વેધક દષ્ટિ જ ઉપર સૂચવેલાં સંકુલ, રાષ્ટ્રવ્યાપી કાર્યો કરવાની નિષ્ઠા અને દક્ષતા ધરાવનાર આવા સમર્થ સમાહર્તા-પદધારીને શોધી લાવીને, તેની નિત્યની કદરથી તેને રાષ્ટ્રવિકાસની ઉપર સૂચવેલી અને અન્ય ઉમદા કામગીરીઓમાં રચ્યોપચ્યો રાખી શકે. ભાસ કવિના વનવાસવદ્રત્તમ્ નાટકમાં નાયકમુખે ઉચ્ચારાયેલી આ ઉક્તિ અત્રે સ્મરણીય છે : ‘‘વિશાળ ગુણોના કે વિશાળ કર્મોના કર્તાઓ તો સંસારમાં કાયમ સુલભ હોય છે. પણ તેવાઓને પારખનાર મળવા મુશ્કેલ છે.૧૨” સમાહર્તાએ રાજ્યની સમસ્ત ભૂમિના પ્રેમી, નિરીક્ષક અને જાણતલ (જાણકાર) બની રહેવાનું છે. વસુ (સંપત્તિ) ધારણ કરે તે વસુંધરા (ધરતી). એ કારણે સમાહર્તાએ રાજયની ભૂમિના ખૂણે-ખૂણાના રસ-કસ જાણવાના-સમજવાના-પારખવાના છે. લોભ, આમ તો ઉત્તમ આધ્યાત્મિક દૃષ્ટિએ દોષ જ કહેવાય, પણ સાંસારિક વ્યવહારમાં લોભ જેમ સર્વ-અહિતકર પ્રકારનો હોઈ શકે છે, તેમ સાચી દષ્ટિ હોય તો સર્વહિતકર પ્રકારનો પણ હોઈ શકે છે. સંસારવ્યવહાર પૂરતો એ બીજા પ્રકારનો લોભ ખપનો કે ધર્મરૂપ છે. એ લોભ બિન-અંગત હોઈને જ ખપનો કે ગુણરૂપ હોય છે. સમાહર્તાએ પણ એ ઊજળો લોભ દાખવીને જુદી-જુદી પ્રવૃત્તિઓ દ્વારા ધરતીમાંથી માનવ-સમાજની જીવનયાત્રામાં ખપની વિવિધ ચીજો મહત્તમ માત્રામાં કેમ પેદા કરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy