SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭) કૌટિલ્ય “અર્થશાસ્ત્ર’: દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ પાડનાર કે (૩) ધાન્ય, પશુ, નાણાં, હલકી પેદાશો, વેઠ (ફરજિયાત મજૂરી) વગેરે રૂપે કરી ભરનાર – એવા વર્ગોમાં વહેંચીને કુલ ગામોની અલગ-અલગ પાકી નોંધ રાખવાની છે. સરકારી ચોપડામાંની આવી નોંધ સામસામા બે હેતુ સારે છે – એ ગામો માટે શું કરવા જેવું છે અને શું કરી શકાય એમ છે તેનો અંદાજ અને એ ગામો રાજયકોશને કેટલો સમૃદ્ધ કરશે તેનો અંદાજ. આમ આ ચોપડો બની જાય છે ‘વ્યક્તિ અને સમુદાય (રાષ્ટ્ર) અન્યોન્યને પુષ્ટ કરતા રહેવાનું છે” તે પરમ કર્તવ્યની સામાજિક પ્રતિજ્ઞા. ગામોનું ઉપર બતાવેલું બીજું વર્ગીકરણ રાજયતંત્રને તેનાં વિવિધ કર્તવ્યોમાં સમતોલ રીતે મદદરૂપ બને છે. કૌટિલ્યને અર્થ (સમૃદ્ધિ) અને સુરક્ષા બંને દષ્ટિએ આત્મનિર્ભર રાષ્ટ્ર ઇષ્ટતમ લાગે છે. ગામોનાં વિવિધલક્ષી સર્વેક્ષણોનું પાયાનું કામ પાંચ કે દસ ગામોના જૂથમાં ફરજ બજાવતા ગોપ' દ્વારા થાય છે. સર્વપ્રથમ એણે પાયાનાં બે કર્તવ્યો બજાવવાનાં છે : ગામોનાં અને જમીનોનાં સીમાંકનોનાં. દરેક ગામના તાબાની સીમા મોટે ભાગે કોઈ ને કોઈ પ્રાકૃતિક એંધાણ (નિશાની) દ્વારા નક્કી કરવાની છે. તે સીમામાં ગામનાં ખેતરો અને ગામનાં પશુઓનું ચરિયાણ (ચરવાનું ક્ષેત્ર, ગોચર) સમાવેશ પામે છે. આ સીમા કેવળ વહીવટી વ્યવસ્થા અને સુગમતા માટે જાળવવાની છે; ગામો વચ્ચેના અન્યોન્ય સહયોગમાં તે બાધક ન જ હોય. બીજું કર્તવ્ય છે વ્યક્તિઓ પરિવારો સાર્વજનિક હેતુઓ સંસ્થાઓના વિવિધલક્ષી જમીનખંડોનું સીમાંકન. પ્રજાના સર્વ વર્ગો એકબીજાની અદબ જાળવીને, બીજાના જીવનમાં બાધા પહોંચાડ્યા વગર પોતપોતાનાં વિવિધ કર્તવ્યો બજાવતા રહે તે સ્થિતિ રાષ્ટ્રને પાકે પાયે સુસમૃદ્ધ, સંસ્કારસંપન્ન, આત્મનિર્ભર અને સ્વરક્ષિત બનાવવાનો એક સહુથી વધુ મહત્ત્વનો પાયો છે. વળી તેથી યુદ્ધાદિ અમાનવીય, અપ્રાકૃતિક, રાષ્ટ્રસમૃદ્ધિના નાશક ઉપાયોથી પ્રાયઃ બચી શકાય. આજે જેમ યુરોપમાં સ્વિટ્ઝર્લેન્ડ અસાધારણપણે શાન્તિચાહક, યુદ્ધથી અલિપ્ત રાષ્ટ્ર ગણાય છે, તેવું રાષ્ટ્ર કૌટિલ્યને પણ ઇષ્ટતમ લાગે છે. આ જમીનોના જે વિવિધ હેતુઓ કે માન્ય કરેલા ઉપયોગો છે, તેની પણ ગોપે વ્યવસ્થિત નોંધ રાખવાની છે. એનું એક પ્રયોજન એ જણાય છે કે રાષ્ટ્રમાં આવા હેતુઓનું વૈવિધ્ય જળવાય તો રાષ્ટ્રનો વિકાસ થાય તે દૃષ્ટિએ આ નોંધમાંથી જરૂરી ચિત્ર ઊપસી શકે અને જરૂર પ્રમાણે હેતુવૈવિધ્ય કે ખૂટતા હેતુઓની પરિપૂર્તિ પણ કરી શકાય. બીજું પ્રયોજન એ કે જો જાહેર કરેલા હેતુથી અન્ય હેતુ માટે કોઈ ક્ષેત્રનો (જમીનનો) ઉપયોગ થતો હોય તો પ્રાયઃ તે પાછળનું કારણ હોય અસામાજિક હેતુ કે છેતરપિંડી. તો તે પણ પકડી તે ક્ષેત્રની સોંપણી સુયોગ્ય અન્ય વ્યક્તિને સંસ્થાને કરીને જે તે ઉપયોગી હેતુને થતું નુકસાન રોકી શકાય. વળી આવી નોંધથી પ્રત્યેક હેતુ માટે કેવડાં, કેટલાં સ્થાનો છે તેનું એક આર્થિકસામાજિક-સાંસ્કૃતિક સર્વેક્ષણ પણ મળી રહે. પ્રત્યેક ક્ષેત્ર(જમીન)-દીઠ વિવિધ હેતુઓ કે પ્રકારોનું જે વર્ગીકરણ આપ્યું છે, તે પણ અનેક રીતે ઉપયોગી લાગે છે : ખેતીની દષ્ટિએ ખેડાણવાળી ખેડાણરહિત ખેતી, કોરી | પીયતવાળી ખેતી (‘સ્થલ' અને કેદાર'), બાગ, શાકભાજીની વાડી, પુષ્પ-ફળની વાડી, સેતુ આદિ સીંચાઈ-સ્થાનો – એટલા પ્રકારો; પ્રાકૃતિક અને હેતુલક્ષી હરિયાળીની દષ્ટિએ વન અને ગોચરો; માનવવસ્તીની દૃષ્ટિએ રહેણાક, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy