SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૯ – એટલાં કામો સૂચવે છે. પણ આ તો આખા રાજયના વિકાસના ફળને માત્ર એકત્ર કરવાનું મહત્ત્વનું છતાં તંત્રસાધ્ય યાંત્રિક કામ જ થયું. અલબત્ત, એ ઉઘરાણીમાં સહજપણે આવતી કે લોકો, વ્યાવસાયિકો કે અસામાજિકો દ્વારા ઊભી કરાતી અડચણોના નિવારણનું કામ સમાહર્તાપદની ને તેના તંત્રની કસોટી કરનારું અગત્યનું કામ જરૂર કહેવાય. છતાં સામાન્ય સ્થિતિમાં એ મોટા પડકારોનું કામ ન બને. તેથી સમાહર્તા માટે આ કામ દેખીતી રીતે મુખ્ય કામ ગણાય, પણ પૂર્ણ સમયની કાળજી માગતું કામ ભાગ્યે જ ઠરે. આ ઉઘરાણીના કામના પાયારૂપ, ઊંડું ચિંતન અને સંકુલ કર્મજાળ માગી લેતાં કામોમાં જ સમાહર્તાપદની કસોટી છે. સમસ્ત રાજયમાં મહત્તમ કક્ષાએ ન્યાયી અર્થોત્પાદન, પૂરેપૂરી સાર્વત્રિક રોજગારી સ્થપાય તે રીતે, પ્રત્યેક ક્ષમતાયુક્ત મનુષ્યના જાગૃત ઉદ્યમથી પાકે પાયે થાય તેવા સીધા-આડકતરા ઉપાયો અંગેનું સમર્થ ચિંતન અને તેવા ઉપાયોનું પાકું પ્રવર્તન – એ છે સમાહર્તાની સમગ્ર કામગીરીનો ધબકતો સત્ત્વશીલ પ્રાણ. એ રીતે સમાહર્તાની ઉચ્ચતમ રાષ્ટ્રભક્તિ, બુદ્ધિશક્તિ, લોકનિષ્ઠા અને કાર્યદક્ષતા દ્વારા જ આ હોદ્દો એની. ખરી ગરિમા (મહત્તા) બતાવી શકે એમ છે. આ રીતે સમાહર્તાએ સમસ્ત રાષ્ટ્રની રચનાત્મક બેઠી પ્રતિભાને નિરંતર જગાડતા રહેવાનું સાંસ્કૃતિક કર્તવ્ય બજાવવાનું છે. એ દૃષ્ટિએ જ તેની એક નિયત થયેલી ફરજ છે દુર્ગ અને જનપદના સમસ્ત પરિવારો અને એમાંની પ્રત્યેક વ્યક્તિનું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ઇત્યાદિ સર્વેક્ષણ અને સમુદાયોનું વિવિધલક્ષી સંખ્યાકીય ચિત્ર રજૂ કરતા રહેવાનું. તેની પાકી નોંધણી રાખવાનું પણ પોતાના કાબેલ તંત્રથી કરવાનું છે તે હમણાં જ આપણે થોડી વિગતે જોઈશું. આમ તેણે ખરા ‘વિકાસ-અધિકારીનું અને તે માટે “જનગણનાઅધિકારી’નું કર્તવ્ય પણ બજાવવાનું છે. પ્રજા વિષેની એવી તળ-કક્ષાની જાણકારી અને કાળજી દ્વારા પ્રજાને “જોડો ક્યાં ડંખે છે” એનો સતત ખ્યાલ રાખનાર વિભાગ તરીકેનું રચનાત્મક કર્તવ્ય આ અધિકારીને ભાગે આવ્યું છે. એ કર્તવ્યની નિયમિત બજવણીનું કાયમી પરીક્ષણ કરવા ગુપ્તચરતંત્ર દ્વારા પણ ઉપર્યુક્ત કામગીરીઓ ગુપ્ત રીતે સમાંતરપણે અવારનવાર કરતા રહી તાળો મેળવતા રહેવાની જોગવાઈ કરાઈ છે. રાજપુરુષે જેમ વિશ્વાસ કરી જાણવાનું છે, તેમ બીજી બાજુએ અપ્રમાદ અર્થે નિખાલસપણે અવિશ્વાસ પણ કરી છૂટવાનું છે – જેથી વસ્તુસ્થિતિ બાબતની ગંભીર ગાફેલિયતથી અને એનાં હિતવિનાશક પરિણામોથી બચી શકાય. સમાહર્તાએ, સરળતા ખાતર, આખા જનપદને ચાર વિભાગમાં વહેંચવાનું છે અને તે દરેક વિભાગના અધિકાર “સ્થાનિક' નામના, પોતાના હાથ નીચેના સહાયક મુખ્યાધિકારીને સોંપવાનો છે. એ સ્થાનિકનો મુખ્ય રક્ષાસહાયક અધિકારી “પ્રદેષ્ટા' છે અને ગ્રામજૂથો સંભાળનાર તેનાથી નીચલી કક્ષાનો અધિકારી “ગોપ' કહેવાય છે, જેને હસ્તક પાંચ કે દસ ગામોની કામગીરી રહે છે. પૂર્વકથિત વિભાગાધિકારી એવા સ્થાનિકને અને ગોપને પ્રદેટા પોતાના સહાયકો દ્વારા ખૂબ જરૂરી એવા રક્ષાકાર્યમાં મદદરૂપ થાય છે. વળી સમાહર્તાએ ગ્રામોનું વર્ગીકરણ ઉત્તમ-મધ્યમ-કનિષ્ઠ એવા વડમાં પણ કરવાનું છે અને રાજયને તેમાંથી પ્રાપ્ત થતી સમૃદ્ધિના દૃષ્ટિકોણથી (૧) કરમુક્ત, (૨) શસ્ત્રધારી સૈનિકો પૂરા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy