SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ જ આગળ વધનારી બહુમુખી રચનાત્મક પ્રવૃત્તિ છે. રાજા મુખ્યત્વે સર્વને જોડનાર, પ્રેરનાર, યોગ્યતા મુજબ હૂંફ કે કડકાઈ દ્વારા સેવકોને સમતોલ રાખનાર પરિબળ બની રહે છે. રાજા પોતાની સત્તા એકહથ્થુ ન રહેતાં સૌના સહયોગ અને ક્ષમતાવિકાસનો ચૉરો (platfom) બની રહે તેને શાણો વ્યવહાર લેખે છે. રાજાની ગેરહાજરી, બીમારી, યુદ્ધવ્યસ્તતા કે પક્વ સમય પહેલાં જાહેર ન કરાતી ગેરહયાતી (મૃત્યુ) સુધ્ધાંમાં આવા મહત્ત્વના હોદ્દેદાર દ્વારા રાજકાજ વણથંભ્યે ચાલી શકે એવી આ માનવીય જોગવાઈ છે. દેખીતી રીતે વ્યક્તિપ્રધાન લાગતી રાજાશાહી કૌટિલ્યની સુચિંતિત વિભાવના (કલ્પના) પ્રમાણે તો, જવાબદારી અને સત્તાના વ્યાપક વિભાજન દ્વારા, બહુમુખી માનવીય રીતે, અસંખ્ય ગુણવંત ભાગ્યશાળીઓના સહયોગથી ચાલે છે. શ્રી અરવિંદ તેમના ‘ગીતા-નિબંધો’માં કહે છે તેમ ‘બિનવૈયક્તિક કે નિરહંકાર પ્રતિભા'(impersonal personality)ના નરવા આદર્શને કૌટિલ્યની કલ્પનાનો રાજા ચાહીને અનુસરે છે. કોઈ પણ સંસ્કૃતિ વ્યક્તિવિશેષની પૂજા અને માત્ર તેના પરની જ નિર્ભરતાને ટાળીને બહુજનની સહયોગી ગૂંથણી દ્વારા જ દીર્ઘજીવી અને ખમીરવંતી બની શકે છે. ૧૬૮ અહીં એ ભૂલવું ન જોઈએ કે બહુમુખી કે વિકેન્દ્રિત તંત્ર, કૌટિલ્યે ભારપૂર્વક સૂચવેલા વિશિષ્ટ સ્વરૂપના ઇન્દ્રિયજયના વ્યાપક અમલ સિવાય નભી શકતું નથી. ઉચ્ચ ગણાતી વ્યક્તિ પોતે પૂરી સમજણ અને આત્મબળ સાથે પોતાની જાત પર સુદૃઢ ઇન્દ્રિયજય સિદ્ધ કરી તેમાંથી જ અનેકોને તે માટે પ્રેરીને કાર્યક્ષમ, ઊજળો માનવસમૂહ નિપજાવી શકે છે. ‘પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જી’ – એ વચનનો પણ આ જ મર્મ છે. વળી આત્મસંયમમાંથી જન્મતાં માનવીય નિયમનોમાં અનુભવજન્ય વાસ્તવિકતાનું, પ્રમાણભાનનું તત્ત્વ પણ જળવાય છે, તો બીજી બાજુ નિઃશંકતા અને ક્ષોભરહિતતામાંથી જન્મતી દૃઢતા નિયમનોના પ્રવર્તકના પક્ષે સધાય છે. તેથી આવાં નિયમનોમાં ભાગ્યે જ બાંધછોડ કે પાછા ફરવાપણું હોય છે, ભાગ્યે જ નિષ્ફળતા હોય છે. સંયમભંગ બદલ અપાતી ‘શિક્ષા’ પણ આવાં સંદર્ભે સાચા ‘શિક્ષણ’રૂપ જ બની રહે છે. આવી પ્રક્રિયા દ્વારા જ સંયમ એકંદરે આખા તંત્રનો, આખી પ્રજાનો, આખા રાષ્ટ્રનો સ્વભાવ બની રહે તે શક્ય બને છે. આમાં એ વાત ગર્ભિત છે કે આવી વિશાળ સત્તા પામતા સમાહર્તાની પસંદગી પણ ખૂબ ઊંડા અને સર્વાંગી પરીક્ષણથી કરવાની હોય અને તેનું પરોક્ષ પરીક્ષણ પણ સતત, તેને ખ્યાલ પણ ન આવે તે રીતે, ગુપ્તચરતંત્ર દ્વારા તેમ જ વિવિધ કસોટીઓ દ્વારા થતું રહે. સમાહર્તાનાં કર્તવ્યો અને સત્તાક્ષેત્રનું સંક્ષિપ્ત છતાં ઘનિષ્ઠ નિરૂપણ, તે માટે અનુરૂપ એવા બીજા અધ્યક્ષપ્રા અધિકરણના અ. છઠ્ઠા અને પાંત્રીસમામાં કરાયું છે. તે સિવાય ગ્રંથમાં અન્યત્ર પણ જુદા-જુદા સંદર્ભે તેનાં પ્રાસંગિક કર્તવ્યોનો ઉલ્લેખ થયેલો છે. મુખ્યત્વે ઉપર્યુક્ત બે અધ્યાયોને આધારે અહીં મહત્ત્વના મુદ્દા જોઈએ. સમ્યમ્ બાહર્તા (‘ચોપાસથી સારી રીતે લઈ આવનાર કે ભેગું કરનાર') એવી વ્યુત્પત્તિવાળો ‘સમાહર્તા’શબ્દ આ અધિકારીના મુખ્ય અને પાયાનાં કર્તવ્યો તરીકે રાજ્યતંત્રને જુદી-જુદી રીતે મળવા પાત્ર થતા રોકડરૂપ-વસ્તુરૂપ ધનની ચુસ્ત અને વ્યવસ્થિત ઉઘરાણી, તેની રાજ્યકોશમાં સોંપણી, તેના હિસાબની વિધિસર માંડણી, યોગ્ય તંત્ર દ્વારા રાજ્યની આવકોના હિસાબોની તપાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy