SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૭ સંસ્કારાતી રહેતી સંહિતાના અસ્તિત્વમાત્રથી પણ, ઉપરાંત સાબદા ગુપ્તચરતંત્રના નિયમિત અહેવાલોને આધારે વહીવટીતંત્ર દ્વારા લેવાતાં પગલાં દ્વારા, તેમ જ વ્યક્તિગત ફરિયાદોને આધારે અંગીકારાતી ન્યાયિક કાર્યવાહી દ્વારા થઈ શકે. આ પૈકી ન્યાયતંત્ર પર વધુ-પડતું કાર્યભારણ ન આવે તે માટે ગુનો થતો જ અટકી શકે તેવા કાર્યદક્ષ, પ્રમાદરહિત વહીવટીતંત્રની ખૂબ મહત્તા છે. તેનું એક પૂરક આર્થિક કામ પ્રજાએ ભરવાની મહેસૂલની કાર્યક્ષમ ઉઘરાણીનું પણ છે; કારણ કે તેનો પાયો પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા સધાયેલી વ્યાપક પ્રજાકીય શિસ્તબદ્ધતા અને નીતિમત્તામાં છે. આ રાષ્ટ્રવ્યાપી પાયાના નિયમનતંત્રની પરમ ઉપકારકતા જોઈને જ ખૂબ વ્યાપક વૈવિધ્યપૂર્ણ કર્તવ્યો અને વિશાળ સત્તા ધરાવતા એક ઉચ્ચતમ અધિકારીની તે નિયમનતંત્રના સમર્થ પ્રવર્તક તરીકે જોગવાઈ પરંપરાગત ભારતીય રાજનીતિમાં કરાઈ છે અને કૌટિલ્ય પણ એને પૂરા અનુમોદન સાથે પુરસ્કારી છે. એ અધિકારી “સમાહર્તા' કહેવાય છે – શબ્દબંધારણ અને કાર્યક્ષેત્રની દષ્ટિએ આજના કલેકટરને મળતો. સન્ અને આ ઉપસર્ગ સહિતના ટૂ (હરતિ) (લેવું) ધાતુ પરથી ‘વ્યવસ્થિત રીતે ભેગું કરનાર’ અર્થમાં સમાહર્તા, collect (ભેગું કરવું) પરથી ‘ભેગું કરનાર' અર્થ જ બતાવનાર Collector મળતો અધિકારી છે. તે, પ્રજાએ રાજ્યને ભરવાની મહેસૂલ પોતાના કાર્યકરો દ્વારા ભેગી કરવાનું એક મહત્ત્વનું આર્થિક કર્તવ્ય બજાવે છે; ઉપરાંત બીજાં લાગતા-વળગતાં અનેક કર્તવ્યો પણ બજાવે છે. તે, રાજયનાં આર્થિક, રક્ષાસંબંધી, ન્યાયિક-આદિ તંત્રોનો યોજક ને એમનો જવાબ લેનાર પણ છે. તેથી સમાહર્તા' – ધન અને જવાબદારી બંને ઉઘરાવનાર – કહેવાય છે. આજના કલેક્ટરની જેમ મહેસૂલઉઘરાણી ઉપરાંત સમગ્ર મુલ્કનાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું પણ સમાહર્તાનું કર્તવ્ય છે. સમાહર્તાના હાથ નીચે તેના સમગ્ર કાર્યક્ષેત્રમાં ‘પ્રદેષ્ટાથી માંડીને ઉચ્ચારી કર્મચારીઓનું રાષ્ટ્રવ્યાપી રક્ષકતંત્ર (પોલિસતંત્ર), ‘ધર્મસ્થો' દ્વારા ચાલતું ન્યાયતંત્ર, રાષ્ટ્રવ્યાપી ગુપ્તચરતંત્ર, પ્રદેષ્ટા વગેરેની સહાયથી ચાલતી કંટકશોધનની (અસામાજિક કે ત્રાસવાદી તત્ત્વોને દૂર કરવાની) પ્રવૃત્તિઓ, તે-તે અલગ અધ્યક્ષો નીચે ચાલતી રાષ્ટ્રવ્યાપી સર્વાગી આર્થિક પ્રવૃત્તિઓ, દુર્ગ(રાજધાની)નાં કાયદો-વ્યવસ્થા જાળવનાર નાગરિક' નામના અધિકારીની કામગીરી, જનપદનાં કાયદો-વ્યવસ્થાની જાળવણી, ઉપરાંત તેમાંના પ્રત્યેક ગામ-કસ્બાના પ્રત્યેક પરિવારનાં સભ્યસંખ્યા, વ્યવસાય ઈત્યાદિની નોંધણી (વસ્તીનોંધણીની આજના સેન્સસ-અધિકારીની કામગીરી), સરહદના “અંતમાલો'ની કામગીરી – આટલો વૈવિધ્યપૂર્ણ અને વિપુલ કાર્યવિસ્તાર રહે છે. એક પ્રકારના નાયબ રાજા' જેવો આ ભારે મહત્ત્વનો હોદ્દો છે. એ વખતનાં રાષ્ટ્રો ભાગ્યે જ આજના જેવાં વિશાળ કે અતિવિપુલ વસ્તીવાળાં હશે તે સંદર્ભે આ વ્યવસ્થા હતી, તેથી તે પ્રમાણસર કે પહોંચી વળાય તેવી (managable) જ હશે. આવો રાજપદથી થોડો જ નીચો, પણ ઘણી સત્તા અને સ્વતંત્રતાવાળો ઊંચા ગૌરવનો હોદ્દો આપવાની રાજયબંધારણીય જોગવાઈ રાજાની ખમીરવંતી વિશ્વાસશક્તિ, ગુણપરીક્ષણશક્તિ અને પાકા જાપ્તા (vigilance)ની ક્ષમતા વગર ન સંભવે. વળી “ગા વિઠ્ઠી, જોવો માર' જેવી નમાલી રીતે મોટા ભાગનું રાજકાજ અને ઉત્તરદાયિત્વ બીજાને સોંપી રાજા પોતે એશ-આરામમાં રચ્યોપચ્યો રહે એવી રાજનીતિ પણ આમાં અભિપ્રેત નથી. ખરેખર તો કૌટિલ્યની સમગ્ર રાજનીતિ અનેક મનુષ્યોના ગુણવિકાસના મુક્ત વાતાવરણના પાયા ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy