SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬૩ ‘સંસ્કૃતિ' સાપેક્ષ શબ્દ છે. એનો જોડિયો એક શબ્દ છે પ્રકૃતિ, બીજો શબ્દ છે “વિકૃતિ'. ‘પ્રકૃતિ' એટલે વસ્તુની ઉત્પત્તિમાત્રથી કે હયાતીમાત્રથી સિદ્ધ અવસ્થા કે તેના મૂળ સ્વભાવ. એ તો છે સૃષ્ટિની સર્વ સંપત્તિનો પાયો. હવે, મોટા ભાગની પ્રકૃતિ રૂપાંતર પામવાની ક્ષમતા ધરાવતી હોય છે. જો એ રૂપાંતર કાર્યસાધક, સુંદરતર કે અનુકૂળતા વધારનારું હોય, તો તે રૂપાંતરને ‘સંસ્કૃતિ' અથવા તો ‘સંસ્કરણ’ કે ‘સંસ્કાર' પણ કહે છે. તેથી ઊલટું, જો એ રૂપાંતર હીન, અસુંદર કે કાર્યબાધક બને તો ‘વિકૃતિ’ કે ‘વિકાર' કહેવાય છે. (સાંખ્યદર્શન ઇત્યાદિમાં ‘વિકાર' શબ્દ સારા કે માઠા ગમે તે રૂપાંતર માટે વપરાય છે.) “સંસ્કૃતિ' મૂળમાં કોઈ પણ ઇન્દ્રિયગ્રાહ્ય કે ભૌતિક વસ્તુ સાથે સંકળાયેલા સચેતનના આંતરપ્રવાહ કે આંતરિક વૈશિશ્ય સાથે સંકળાયેલી હોય છે યા એને લાગુ પડે છે. બાહ્ય પદાર્થ કે કિયા તો માત્ર એ અંતઃસત્ત્વનાં વાહક જ હોય છે, તેથી તે સંસ્કૃતિની પાકી પ્રતીતિ ન કરાવી શકે. અલબત્ત, એ વાહકનું પણ મહત્ત્વ હોઈ ક્યારેક એ વાહક દ્રવ્ય કે ક્રિયાને પણ “સંસ્કૃતિ' કહેવામાં આવે છે. આના અંગ્રેજી પર્યાય civilizationની સ્થિતિ અંશતઃ આને મળતી, અંશતઃ જુદી છે. મૂળ લૅટિન શબ્દ civis (નગરવાસી) પરથી civil વિશેષણપદનો અર્થ થયો નગરવાસીને યોગ્ય કે છાજે તેવું. તે પરથી નામધાતુ બન્યો civilize એટલે કે નગરવાસીને શોભે તેવું કરવું. ને તે પરથી ભાવવાચક (આખી ક્રિયાનો વાર ક) શબ્દ બન્યો civilization, એટલે કે નગરવાસીને શોભે તેવો તે-તે ક્ષેત્રનો વ્યવહાર કે નગરની જીવનશૈલી. તે પરથી “સંસ્કૃતિ' શબ્દની જેમ, આ શબ્દ પણ તેવા વ્યવહાર કે આંતર-વૈશિષ્ટટ્યનાં વાહક એવાં સ્થાપત્ય, રાચરચીલું, કલાકૃતિ વગેરેને માટે પણ રૂઢ થયો. આ શબ્દમાં “સંસ્કૃતિ' શબ્દથી પાયાનો ફેર એટલો કે આમાં પાયાનો શબ્દ ‘નગરવાસી'નો વાચક છે; એટલે કે civilization શબ્દ એવું સ્વીકારીને ઘડાયો છે કે સંસ્કૃતિને આવશ્યક પાયો છે નગર. જયારે ‘સંસ્કૃતિ' શબ્દ એ પાયો ધરાવતો નથી. એનો વિશાળ પાયો છે વસ્તુમાત્રની પ્રકૃતિ – જે પણ મોટે ભાગે સુંદર કે રુચિકર જ હોય છે. તેવી પ્રકૃતિમાં પણ બહુગુણી ચૈતન્યના વ્યાપારથી વિશેષ સંવાદિતા, સૌંદર્ય કે નવનિર્માણ સાધવાં તે સંસ્કૃતિ. નગર તરફના વલણમાં પ્રાચીનકાળથી પૂર્વ અને પશ્ચિમના સમાજોમાં પાયાનો ભેદ જણાય છે. આપણે જોયું છે કે કૌટિલ્ય તો રાજ્યના એક અંગ તરીકે બહુમુખી નિર્માણ અને નૈસર્ગિક ઉત્પાદનના ધામરૂપ જનપદને (નૈસર્ગિક નિવાસસ્થાનરૂપ અગણિત ગામડાં અને જીવનયાત્રા માટેનાં પૂરક દ્રવ્યોની આપ-લેનાં પીઠારૂપ થોડા કસ્બાના સંકુલને) રાજધાની (દુર્ગ) કરતાં પણ વધુ મહત્ત્વ આપે છે. સંસ્કૃતિનો ખરેખરો પાયો સમજવા ભારતીય ઇતિહાસ-પુરાણાદિમાં અને ધર્મશાસ્ત્ર કે તર્જન્ય સ્મૃતિગ્રંથોમાં લગભગ જોડીરૂપે વપરાતા બે શબ્દો સમજવા યોગ્ય છે : રમ અને શN. મ એટલે આત્મસંયમ, આત્મનિયમન અને શમ એટલે ચિત્તની શાંતિ કે કંકરહિત સંવાદી સ્થિતિ. આ અર્થો જોતાં એમ સમજાય છે કે આ બંનેનો સાથે ઉલ્લેખ એ બંને પરસ્પરપૂરક ચિત્તધર્મો હોઈ કરાય છે. તુમ (આત્મસંયમ) એવો આનુકૂલ્યરહિત કે શુષ્ક ન હોય કે કે જે ગમ એટલે કે ચિત્તશાંતિ નષ્ટ કરે, અને શમમાંની ચિત્તશાંતિ ભોગજન્ય અને તેથી અસ્થાયી ન હોય, કે જેમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy