SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ૨ કૌટિલ્ય અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ અગાઉ ઉલ્લેખ કરેલો છે તેમ દંડનીતિવિદ્યાનો યોગ્ય ગુરુ તે માત્ર શાસ્ત્રજ્ઞ નહિ, પણ શાસ્ત્ર અને પ્રયોગ બંને જાણનારો – વસ્તૃતૃ – હોય તે જ ઇષ્ટ છે. કૌટિલ્ય આવા વેતૃપ્રયતૃ તરીકે જ આ ગ્રંથની રચનાના સાચા અધિકારી બની રહે છે. આખા ગ્રંથમાં સર્વત્ર કથનોની જે સબળતા કે સચોટતા છે, કોઈ વિષયના મતાંતરો જણાવવાને પ્રસંગે અન્ય મતોની રજૂઆતને છેડે રજૂ થયેલા તેમના મતોમાં જે પ્રૌઢતા છે, અનેક ઠેકાણે ગદ્ય કે પદ્ય ઉભયમાં તેમની જે પારદર્શિતા તરવરે છે, તે બધું આ ગ્રંથના અર્થ-દેહને એક સાચવવા લાયક – બલ્ક વાવવા લાયક – સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાપી આપે છે. રાજાનું સમગ્ર સ્વરૂપ સમજવા માટે અત્રે અર્થશાસ્ત્રના મુખ્યત્વે ખપમાં લીધેલા એ. કે. ૬.૨ (પૂર્વાર્ધ) અને અ. ક્ર. ૨.૨૬ ઉપરાંત પ્રથમ અધિકરણના અ.ક્ર. ૫, ૬, ૭ પણ ખપના છે. વળી અ. ક. . (જમાં જીતેલા શત્રુરાજયનાં તંત્રનાં તથા પ્રજાનાં હૃદય જીતવાના ઉપાયોની વાત છે. તે) પણ ખપનો છે. બાકી તો આખા ગ્રંથમાં અન્ય અનેક સ્થળો પણ આ માટે ઉપયોગી છે. રાજાની ગુણસંપત્તિ અને તેના વૃત્તરૂપ અંગત જીવનચર્યા એ પોતે જેમ સંસ્કૃતિરૂપ છે, તેમ તે સમસ્ત રાજયની કે રાજમંડલની બહુમુખી સંસ્કૃતિનો પાયો પણ છે. રાષ્ટ્રની બહુમુખી સંસ્કૃતિના પાયારૂપ રાજપ્રતિભાની ચર્ચા, ઔચિત્ય જોઈને આરંભે કરીને હવે “સંસ્કૃતિના સ્વરૂપ અંગેની ચર્ચા, રાષ્ટ્ર-સંસ્કૃતિનાં ભિન્ન-ભિન્ન પાસાંઓની ચર્ચાની પૂર્વે કરીશું તો ખૂબ ઉપયોગી થશે. સંસ્કૃતિ' એટલે શું ? યજુર્વેદ, અથર્વવેદ આદિ વેદોમાં ચોક્કસ ઘડતરક્રિયા દ્વારા સુસંસ્કૃત બનેલા મનુષ્ય માટે મેય કે શબ્દ શોખથી પ્રયોજાતો હોય છે. તેના પાયામાં છે મહિમાયુક્ત સમા શબ્દ. સભામાં શોભે યા ભળી જાય તે સમેય કે સમ્ય. સમ શબ્દ સદ(સાથે)ના ટૂંકારૂપ સ અને મા (શોભવું) ધાતુથી બનેલો છે – જેમાં બધા એકસાથે (સ૬) શોભે તે “સભા” (સ૬ માન્તિ સત્ર). આવા અર્થને કારણે સમા શબ્દ સુગઠિત સમાજ કે સમુદાય માટે પણ ક્યારેક વપરાતો હોય છે – દા.ત. પ્રાર્થનાસભા' (પ્રાર્થનામાં તત્પર સમાજ), બ્રહ્મોસમાજ ઇત્યાદિ. સભા તે એવું જૂથ કે એવો સમુદાય છે, જેમાં સમાયેલી વ્યક્તિઓનાં અંતઃકરણ એકબીજા પ્રત્યે મૈત્રી અને સદ્યોગવૃત્તિ દ્વારા એક સ્થાયી જોડાણ અનુભવે છે. એને કારણે એવી વ્યક્તિઓ સાથે ભેગી થઈ હોય ત્યારે, કે ભેગી ન થઈ હોય ત્યારે પણ એકબીજાની હૂંફ અને એકબીજાથી પોતાની શોભા અનુભવે છે; એકલા (અતડા) પડીને કે એકલપેટા બનીને નહિ. તો એવા સમુદાયમાં, પોતાની ઉચ્ચ હાર્દિકતાને કારણે જે વ્યક્તિ ભળી જાય અને તેવા સમુદાય સાથે સંવાદી સંબંધ નભાવી જાણે, તે ‘સમેય' કે “સખ્ય' કહેવાય. ‘અથર્વવેદ'માં ‘સમેય' થવા માટેની ખાસ પ્રાર્થના પણ મળે છે. આ સર્ગ શબ્દ પરથી ભાવવાચક શબ્દ બન્યો ‘સતા'. તેનો અર્થ થાય સભ્યમાં રહેલો જરૂરી ગુણ, ચિત્તનો અનુરૂપ સંસ્કાર. વળી સંસ્કારમાંથી જન્મેલી જીવનશૈલી માટે પણ તે શબ્દ વપરાય. આને લીધે હિન્દીભાષામાં “સભ્યતા’ શબ્દ યોગ્ય રીતે જ “સંસ્કૃતિ' અર્થમાં વપરાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy