SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૬ ૧ ન રહેતાં કામના ચોક્કસ સ્વરૂપ અને કામ પાર પાડવાની તાકીદને આધારે ક્રમ નક્કી કરવાની ખાસ ભલામણ કરી છે. આ અધ્યાયને છેડે મુકાયેલા શ્લોકો કેટલાક નવા કે ખાસ મુદ્દા ઉમેરવા સાથે મુખ્યત્વે રાજાના ઉત્થાન (જાગૃત ઉદ્યમ)નો મહિમા સરસ રીતે ઘૂંટે છે. તાકીદનાં કામો અંગે ખાસ ભારપૂર્વક કહેવાયું છે કે એવાં કામો અંગે સાંભળવામાં અને તેમને પૂરી તાકીદથી યોગ્ય રીતે પાર પાડવામાં વિલંબ ન કરવો; કારણ કે વિલંબને લીધે કાં તો તે મહામુશ્કેલીથી સાધી શકાય, કાં તો અસાધ્ય થઈ હાથમાંથી જતાં રહે. બીજી ખાસ ભલામણ એ છે કે વિદ્યા-ઉપાસકોનાં કામ અને તપસ્વીઓનાં કામ વિષે પોતાના ભવનના અગ્નિગૃહમાં પોતાના પુરોહિત અને આચાર્યને સાથે રાખીને જ સાંભળવાનો શિરસ્તો રાખવો. આનું કારણ એ કે અગ્નિગૃહના પવિત્ર અગ્નિનું સાક્ષીપણું રહે અને પોતાના ધાર્મિક-વિદ્યાકીય ગુરુજનોને સાથમાં રાખવાથી આવાં કાર્યોને પાર પાડવા માટે સાચા માર્ગદર્શન અને પ્રેરણા મળે. વિદ્યા અને તપનો કૌટિલ્યની દૃષ્ટિએ અપાર મહિમા છે. કાલિદાસના અભિજ્ઞાનશાકુંતલ' નાટકના પાંચમા અંકના નિરૂપણ પ્રમાણે શકુંતલાને પતિગૃહે મૂકવા આવેલા તાપસી અને તાપસી સાથેની મુલાકાત અગ્નિગૃહમાં જ ગોઠવવામાં આવી છે તેમાં કૌટિલ્યની આ ભલામણનો સ્પષ્ટ પડઘો વાંચી શકાય. વળી તાપસો, ઐન્દ્રજાલિકો (જાદુગરો), મન્નૌષધિપ્રયોક્તાઓ જેવા વિશિષ્ટ વર્ગની વ્યક્તિઓનો કોપ અજાણતાં પણ વ્હોરવો ન પડે તે માટે તેમની મુલાકાત સમયે પોતાની સાથે ત્રણ વેદોની વિદ્યાઓના નિષ્ણાતો(ત્રવિદ્ય)ને સાથે રાખવાની મહત્ત્વની ભલામણ કરાઈ છે. તેવા અઠંગ વેદવિદ્યાઉપાસકો ગૂઢ મનોવિજ્ઞાનમાં અને ગૂઢવિદ્યામાં પણ કુશલ મનયા હોઈ આમ કહેવાયું લાગે છે. ‘વૈવિદ્ય' શબ્દને અહીં ઉપલક્ષણરૂપ (મુખ્ય નમૂના કહેનાર) માની એમાં ચોથા વેદ અથર્વવેદ્રનો સમાવેશ માનવો આ વિશિષ્ટ સંદર્ભે જરૂરી લાગે છે. છેલ્લે રાજાના ઉત્થાનનું મહત્ત્વ ઘૂંટીઘૂંટીને તેજસ્વી રીતે કહેવાયું છે. તેની સાથે રાજાના પોતાની વૃત્તિઓ પરના કાબૂને પણ ખાસ મહત્ત્વ અપાયું છે. રાજકાજને મોટા યજ્ઞકાર્યરૂપે વર્ણવવામાં આવ્યું છે. પ્રજાના સુખમાં જ રાજાનું સુખ છે. પોતાનું જ પ્રિય કરવું અને પ્રજાની ઉપેક્ષા કરવી – આજના કહેવાતા રાજકારણીઓ જેમ – તેમાં સરવાળે રાજાનું હિત નથી, બલ્ક અનર્થને આમંત્રણ છે. કૌટિલ્ય જયારે પોતાના દેશકાળને બરાબર તપાસીને એકરાજાના શાસન (પરમ) માટે જ પોતાની પસંદગી બતાવે છે, ત્યારે તેમની સમક્ષ કેવો ઉચ્ચ રાજા છે તે ઉપરની વિસ્તૃત ચર્ચા પરથી સારી પેઠી સમજાય તેમ છે. ખરેખર તો શાસન રાજા કરતો હોય કે કોઈ લોકપ્રતિનિધિ કરતો હોય, શાસક તરીકે તે-તે વ્યક્તિએ કેવી સંગીન અને ઉચ્ચ માનવપ્રતિભાને ખિલવવાની છે અને પોતાની ઉચ્ચ ગુણસમૃદ્ધિ પ્રમાણે રોજ-બ-રોજના જીવનમાં સાતત્યથી કેવી ઉદ્યમી અને જાગૃત જીવનચર્યા રાખવાની છે, તે વાત જ અહીં મુદ્દાની છે. કૌટિલ્યની શુદ્ધ બુદ્ધિનિષ્ઠામાંથી જ આ આખી માનવીય, સંસ્કૃતિવર્ધક રાજનીતિની સંકુલ વિભાવના વિકસી છે; જરૂર છે પ્રયોગવીરની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy