SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ કાર્યક્રમ રાજાની ઇચ્છા કે રુચિને સંમતિ આપવારૂપે જ સમાવાયો હોઈ કામાવેગોથી પરવારી ચૂકેલા રાજા માટે રાજકાજના ભાગરૂપ મંત્રણાદિનો વિકલ્પ પણ અપાયો છે. આ દિનચર્યામાં બીજા દિવસ-વિભાગમાં, રાજયભરમાંથી આવેલ દુર્ગનિવાસી કે સમસ્ત જનપદનાં ગામો-નગરોમાંથી આવેલાં પ્રજાજનો, આશ્રમાદિ સંસ્થાઓના પ્રતિનિધિઓ, વ્યક્તિજૂથો ઇત્યાદિને, તેમની મુશ્કેલીઓ કે ફરિયાદો ધ્યાનથી સાંભળવા માટે મુલાકાત આપવાનું આયોજન થયેલું છે. રાજાની પ્રજાવત્સલતાનો એ ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ છે. પ્રજાનાં સુખદુઃખ વિષે સેવકો દ્વારા પરોક્ષ જ્ઞાન મેળવવામાં સત્યના ઢાંકપિછોડાને વિપુલ અવકાશ રહે છે, અને કાળપ્રવાહ સાથે તે બદી વધવાની પૂરી શક્યતા રહે છે. આ બધું ટાળવા પ્રજાને નિયમિત પ્રત્યક્ષ મુલાકાત આપવાનું આયોજન છે. હકીકતે આ આખી દિનચર્યા, ઉચ્ચતમ અધિકારી પોતાનો સમસ્ત કારોબાર ગફલત વિના પાર પાડવા પ્રજા અને તંત્ર પ્રત્યે કેટલે અંશે પ્રત્યક્ષપણે સભાન અને જાગૃત રહી શકે તેનો નમૂનો છે. આ કાર્યક્રમના અન્વયે ખાસ કહેવાયું છે કે મુલાકાતીઓને દરવાજો ખોટો વિલંબ કરી રોકી રાખવાના નથી. વળી આવનાર જુદાં-જુદાં ક્ષેત્રના કે કાર્યની જુદી-જુદી તાકીદવાળા મુલાકાતીઓ પૈકી કોને વ્હેલા સાંભળવાની જરૂર છે, તેનો ઉચ્ચ વિવેક કરીને મુલાકાતનો એક ન્યાયી ક્રમ નક્કી કરાય છે, ને તે ક્રમે મુલાકાત અપાય છે. કાર્યાર્થીની ભૂમિકા મુજબ એક નમૂનારૂપ ક્રમ પણ અપાયો છે તે જાણવા જેવો છે. પ્રથમ ક્રમ અપાયો છે દેવતાસંબંધી એટલે કે ધર્મસ્થાનસંબંધી કામને. ધર્મસ્થાનોનું પ્રજાજીવનની દષ્ટિએ અને એક સ્વતંત્ર જીવન-મૂલ્યની દષ્ટિએ સમાજમાં સ્થિર થયેલું મહત્ત્વ સમજીને આમ કરાયું છે. પછીના ક્રમે છે આશ્રમવાસી કાર્યાર્થી. ગામ કે નગરની તુલનામાં માનવજીવનના નિત્યનૂતન વિકાસનું આશાસ્પદ સંસ્કૃતિવર્ધક કામ ઉત્તમ ઋષિઓ, આચાર્ય કે કુલપતિની પ્રબુદ્ધ રાહબરી નીચે આશ્રમોમાં ચાલતું હોય છે. આશ્રમોએ ભારતીય સંસ્કૃતિનાં પિયરનુ કામ કર્યું છે. પછીના ક્રમે આવે છે પાષાણું એટલે કે કહેવાતા નાસ્તિક કે અવૈદિક નાના-નાના, નવા-નવા કે પરભૂમિમાં ઉદ્દભવ પામેલા સંપ્રદાયોના સાધુ-સંન્યાસીઓ. આ બતાવે છે કે કૌટિલ્ય અવૈદિક કે વેદભિન્ન ધર્મદષ્ટિ ધરાવતા સંપ્રદાયોને પણ અપેક્ષા કરતાં ઘણા ઊંચા ક્રમે આદરપાત્ર ગણે છે. તેથી જ આશ્રમવાસીઓ બાદ તરત જ તેમનાં કાર્યોને મહત્ત્વ આપવાની ભલામણ કરી છે. આમ પ્રથમ ત્રણ ક્રમ જુદાં-જુદાં ધાર્મિક કામોને આપીને કૌટિલ્ય ધર્મો અને તેના સંપ્રદાયોને, નિષ્પક્ષ કે સમાન આદર સાથે, માનવજીવનનાં અત્યંત વિધાયક પરિબળ તરીકે, અત્યંત ઠરેલપણે નવાજયા છે. ત્યારબાદ સંસારીઓ પૈકી પ્રથમ સ્થાન શ્રોત્રિયો(વેદાધ્યયન અને વૈદિક યજ્ઞાદિ અનુષ્ઠાનમાં આજીવન રત બ્રાહ્મણો)ને આપે છે. (જોગાનુજોગ કૌટિલ્ય પોતે પણ એવા શ્રોત્રિય બ્રાહ્મણ જ છે ! પોતે પોતાનું જીવનધ્યેય અને જીવનકાર્ય ખૂબ ઉચ્ચ ભૂમિકાનું પસંદ કર્યું છે.) પછી આવે છે પશુસંબંધી કાર્યો, ને ત્યારબાદ પુણ્યકાર્ય તરીકે ઓળખાવાતાં કૂવા-વાવ-તળાવ-ધર્મારામ વગેરેને લગતાં કામો. ત્યારબાદ સામાજિક વર્ગો માટે આવો વિવેકી ક્રમ આપ્યો છે : બાળકો, વૃદ્ધો, રોગીઓ, આપત્તિગ્રસ્તો, અનાથો અને સ્ત્રીઓનાં કામો. વળી આ ક્રમને ચુસ્તપણે (જડપણે) વળગી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy