SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧પ૯ તેમ રાજાએ પુરોહિતની આજ્ઞા અનુસાર વર્તવું." આ રીતની વિધિપૂર્વકની અર્થપૂર્ણ વૃદ્ધપૂજા ખરેખર તો લૌકિક લાગતા રાજપદનું આમૂલ રૂપાંતર કરી નાખે છે. અનાસક્તિ જાળવીને જ્ઞાનથી પરિપૂર્ણ બનેલા આપ્ત ગુરુજનોને પોતાની વિનયયુક્ત પ્રતિભાથી નિત્ય પ્રાતઃકાળે ભાવપૂર્ણ વંદન કરીને આશિષુ ઝીલવાનો રાજા દ્વારા અપનાવાતો વિધિ માત્ર નાટકીય (દેખાવનો) કે ઔપચારિક ન રહેતાં, રાજપદને સત્યનિષ્ઠા દ્વારા પ્રેમ અને કરુણાનું વાહન બનાવે છે. આમ રાજત્વ વંદનીયોને સમર્પિત થઈને અનેકગણો શક્તિસ્ફોટ પામે છે. આ વૃદ્ધપૂજા સાથે બીજો પણ એક મહત્ત્વનો પ્રતીકાત્મક વિધિ કરવાનો છે : વાછરડા સાથેની ગાયની અને બળદની પ્રદક્ષિણા કરવાનો વિધિ. ત્યારબાદ સીધા મુલાકાત-ખંડ(બારસ્થાન)માં જવાનું છે. અહીં સમસ્ત ગોવંશની પૂજાનો સંકેત છે. માંસાહાર અને યજ્ઞમાં પશુહોમની અવસ્થામાંથી મનુષ્યમાં સ્વસ્થ બુદ્ધિયોગના પ્રભાવથી જે અહિંસા-સંકલ્પ બંધાયો, તેના અમલના આરંભે ખૂબ મહત્ત્વનું જે કદમ લેવાયું તે ગોવંશના વધના નિષેધનું. ભલે આનો આરંભ એક વિશેષ સીમિત પ્રજાસમૂહમાં થયો, પણ એ આખી માનવજાતના સાંસ્કૃતિક-ભૌતિક બેવડા ઉત્થાનના મહાપથના નિર્માણરૂપ ઘટના બની રહી. છેક ઋગ્વદમાં ગાયના મળ્યા (ન હણવાયોગ્ય) પર્યાય દ્વારા એના પ્રવર્તનનો સંકેત મળે છે. ભારતવર્ષમાં સર્વ મનુષ્યના આધ્યાત્મિક, ભૌતિક, આર્થિક એવા બહુમુખી વિકાસની ક્ષમતા ધરાવતો અહિંસાધર્મ ખૂબ વહેલો આરંભાઈ ગયો. અહિંસાનો પાયો બુદ્ધિયોગથી સંભવેલો સત્યવિચાર જ છે; માત્ર કાચી-પોચી દયા કે ભાવુકતાનો ઊભરો નહિ. રવીન્દ્રનાથે ‘બલિષ્ઠ દયા' એવો શબ્દ વાપરી દયાની બહુમુખી ક્ષમતા ચીંધી છે. આ આખા સંસ્કૃતિપથ પ્રત્યેના હાર્દિક સ્વીકારરૂપે રાજાની દિનચર્યામાં આ ગોવંશની પ્રાત:કાલીન પ્રદક્ષિણા સમજવાની છે. રાજાના બ્રાહ્મણપ્રતિપાન એવા સ્થિર થયેલા બિરુદમાં માનવ સમાજ અને સમસ્ત સૃષ્ટિ તરફના મનુષ્યના સ્થિરધર્મનો સાર આવી જાય છે. ભારતીય પરંપરામાં કામપુરુષાર્થની પણ અનુભૂતિમૂલક ઊંડી વિભાવના સ્થિર થયેલી છે. એક બાજુ કામ પરિપુઓમાંનો એક રિપુ (શત્રુ) ગણાવાયો છે; તેમ છતાં, કામવૃત્તિનું એક ધર્માવિરુદ્ધ ઓજસ્વી પાસું પણ અનુભવાતાં, તે સ્વરૂપે તે જીવનપોષક ઊર્જા તરીકે સ્વીકારાઈ છે. રાજાની દિનચર્યામાં એનો પણ બરાબર સમાવેશ થયેલો છે. સૌથી સુંદર ઉલ્લેખ છે શયન અને ઉત્થાન વખતે વાઘઘોષના શ્રવણનો. સંગીતના એક મહત્ત્વના ઘટકરૂપ વાદ્યઘોષ કેવી અદ્ભુત સંજીવની, ચેતનાને ઉત્તાન (ર્તિયુક્ત) કરવાનો કેવો સુંદર ઉપાય છે તે તો અનુભવગમ્ય વાત છે. શામક, નિઃસ્વપ્ર નિદ્રા શરીરયાત્રા માટે ઉત્તમ સંજીવની (tonic) છે. કામનો મૂળ અર્થ છે ઉત્કટ ઇચ્છા. ઇચ્છા જયારે રચનાત્મક બની સત્ય-શિવ-સુંદરને લક્ષે છે, ત્યારે તે જીવનને સમૃદ્ધ જ કરે છે. આ દિનચર્યામાં એવી ઇચ્છાના જ એક પ્રસિદ્ધ ઉત્કટ આવિર્ભાવરૂપ રતિક્રીડાનો પણ રાત્રિના ત્રીજા વિભાગમાં સમાવેશ થયેલો જોવા મળે છે – સંવિB: (‘સહશયન માણતો') પદ દ્વારા. દિવસના છઠ્ઠા વિભાગમાં સ્વૈરવિહારનો સમાવેશ કરીને પણ રાજાનાં તન-મનને સુખશાતામાં અને આનંદમાં આણતા ઉજજવળ, લાઘવયુક્ત પ્રેમવિહારની ઉચિત કદર કરાઈ છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy