SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૫૭ નોંધપાત્ર વાત એ છે કે દિવસના ભોજન બાદ શયનનો કાર્યક્રમ નથી. આયુર્વેદ દિવસ દરમિયાનની ઊંઘ(વિવાદ્વીપ)નો નિષેધ કરે છે. વળી ધર્મશાસ્ત્ર અને સ્મૃતિગ્રંથોમાં પણ તેને કામજન્ય વ્યસનોની યાદીમાં મૂકેલ છે આ ઉપરાંત રાત્રિચર્યાના છઠ્ઠા ખંડમાં બ્રાહ્મ-મુહૂર્ત, જયારે સુંદરતમ નિદ્રાથી ચિત્ત અને બુદ્ધિ પૂર્ણ નિર્મળતાને પામ્યાં હોય, તે ઘડીએ શાસ્ત્રચિંતનની ભલામણ કરાઈ છે. તે હળવા સ્વાધ્યાય કરતાં કંઈક વિશેષ એકાગ્ર વિદ્યાયોગ જણાય છે. રાજકાજ માટે ય નિત્ય નવા-નવા આયામોનાં જ્ઞાનનો ખપ પડે છે, તે દૃષ્ટિએ પણ આ જોગવાઈ આવશ્યક છે. વળી આની જ સાથે કાર્યચિંતન – આગામી દિવસમાં ઉપાસવાનાં કાર્યોનું વ્યવસ્થિત સ્મરણ – પણ સાંકળવામાં આવ્યું છે. શાસ્ત્રચિંતન અને કાર્યચિંતન બંને એકબીજાનાં પુરક છે. કદાચ એક સિક્કાની બે બાજુ સમાન છે; કારણ કે સાચું શાસ્ત્રચિંતન હંમેશાં પરિપક્વ એવી જીવન-અભિમુખ જિજ્ઞાસાના ઉત્તરાંગરૂપ જ હોય છે; માત્ર છોગારૂપ નહિ. અહીં કૌટિલ્ય ઇન્દ્રિયજયના પ્રકરણમાં ઇન્દ્રિયજયની સિદ્ધિની ખાતરી કરવા માટેની ત્રણ વૈકલ્પિક કસોટી પૈકી એક કસોટી તે “શાસ્ત્રાર્થોનુષ્ઠાન' (શાસ્ત્રના અર્થનો કે તાત્પર્યનો અમલ) કહેલ છે તે યાદ કરીએ. રાજાએ પોતાના આરોગ્ય અંગે પણ પ્રતિદિન વિશેષજ્ઞની અનુભવજન્ય દોરવણી મુજબ યોગ્ય નિયમનો, દેઢ-આરોગ્યજન્ય, દીર્ઘકાલીન પ્રજાસેવા અર્થે પાળવાનાં છે. તે માટે રાત્રિચર્યાના છેલ્લા આઠમા વિભાગમાં જીવનવ્યવહાર માટે મહત્ત્વનાં વૃદ્ધસેવનો પૈકી ચિકિત્સક(રાજવૈદ્ય)ની મુલાકાત પણ લેવાની છે, જેથી તેમના ખૂબ જવાબદારીભર્યા સૂક્ષ્મ પરીક્ષણ અને માર્ગદર્શન મુજબનાં આહારવિહાર અંગેના નિયમનો પાળીને શરીરયાત્રાની, કાર્યભારને અનુરૂપ ઇષ્ટ કક્ષા ટકાવી શકાય. આગળ રાજગુણવર્ણનમાં આપણે એક ગુણ એ તો જોયો જ છે કે રાજા જ્ઞાનવૃદ્ધોએ આપેલા માર્ગદર્શન પ્રમાણે વર્તનાર (વૃદ્ધોપદેશાવર:) હોય, એટલે અહીં પણ જે વિશિષ્ટ વૃદ્ધસેવનોની વાત છે, તે તેમના માર્ગદર્શનના પરિપૂર્ણ પાલનના જ આશયથી, તે ન ભુલાય. ચિકિત્સકની મુલાકાતના જ વ્યવહારુ અનુસંધાનના એક ભાગરૂપે, પોતાના તે દિવસના આહાર વિષે અને એ આહારને તૈયાર કરવાના ચોક્કસ વિધિ અંગે મળવાનું છે રાજરસોડાના અધ્યક્ષ(મહીનાસિક)ને. સામાન્ય મનુષ્યો પ્રાયઃ આહારનાં દ્રવ્યો, વાનગીઓ એનાં યોગ્ય સંયોજનો, એનો પાકવિધિ વગેરે બાબત બેતમાં હોય છે. પણ રાજપદ જેવું ઉચ્ચતમ જવાબદારીનું પદ જાગૃતપણે સંભાળનારને આવી બેદરકારી ન જ પરવડે. એની કાર્યનિષ્ઠા જ એને યોગ્ય ખટકો રાખવા પ્રેરે. શાસ્ત્રમાં ખાસ કહેલું પણ છે કે “આહારશુદ્ધિ દ્વારા સત્ત્વશુદ્ધિ (પોતાની કર્મશક્તિનો ઉત્કર્ષ સાધતી શુદ્ધિ) સધાય છે” (માદા શુદ્ધ સત્ત્વશુદ્ધિ). આમાં બંને ભોજન અંગેના સમયો તપાસતાં સવારના ભોજન બાબત એમ લાગ્યા વગર રહેતું નથી કે તે વધારે પડતું વહેલું (ત્રીજા દિનવિભાગમાં અર્થાત્ સવારે ૯-૦૦ થી ૧૦-૩૦ વચ્ચે) જણાય છે. જયારે સાંજનું ભોજન બીજા રાત્રિવિભાગમાં (૭-૩૦ થી ૯-૦૦ વચ્ચે) યોગ્ય સમયનું લાગે છે; પણ સવાર-સાંજના ભોજન વચ્ચે નવ કલાકનો ગાળો વધારે પડતો લાગે છે. તેથી સવારનું ભોજન ત્રીજા દિનવિભાગને બદલે ચોથામાં તો અવશ્ય રાખી શકાય એમ છે. એક બીજી વસ્તુ ધ્યાન ખેંચે છે કે ક્યાંય શારીરિક વ્યાયામ, યોગાસનો કે ધ્યાનનો કાર્યક્રમ નથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy