SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ વ્યાપારથી અને તદ્વિદોના જરૂરી સહયોગથી થતી મૂર્ત યોજના. કરવાના ભૌતિક કાર્યનું આ એક બૌદ્ધિક પૂર્વાભિનયન (rehersal) બની રહે છે. “અભ્યાસ (=સાતત્યયુક્ત પ્રવૃત્તિ) કર્મમાં કૌશલ આણે છે' એ મમ્મટોક્તિ કે “Practice makes man perfect” એ અંગ્રેજી કહેવત ખૂબ માર્ગદર્શક છે. આ રીતે કોઈ પણ કાર્ય અવિચારે કે ઉતાવળે કરવાનું ટાળવાથી કાર્યસિદ્ધિ લગભગ નિશ્ચિત બને છે. પેલું ભારવિના વિરતાળુનીયમાંનું વચન યાદ કરીએ : “ખરેખર, વિચારપૂર્વક ક્રિયા કરનારને ગુણની શોખીન સંપત્તિઓ જાતે જ પસંદ કરે છે.' રાષ્ટ્રની પ્રજાઓની શરીરયાત્રાની સુરક્ષા નભે છે સર્વાગી અર્થસંકલન પર, તે માટે રાષ્ટ્રની ભૂમિમાંથી થતી વૈવિધ્યપૂર્ણ પ્રાકૃતિક દ્રવ્યોની પ્રાપ્તિ, તેમને જીવનોપયોગી બનાવવા તેમની ઉપર કરાતી સંસ્કારજનક વિવિધ પ્રક્રિયાઓ, ઉત્પન્ન ચીજોની ખાયકી સહિતનાં વિનાશક પરિબળોને ટાળીને કરાતી તેમની જાળવણી, ચીજોની સર્વવ્યાપક અને ન્યાયી વિતરણવ્યવસ્થા, વસ્તુમૂલ્યની ચોકસાઈભરી આપ-લે માટે માત્ર આવશ્યકતા જેટલું પ્રતીક-નાણા(ચલણી સિક્કા)નું નિર્માણ – એ બાબતો આવશ્યક છે. આનું પણ બરાબર પ્રતિબિંબ આ દિનચર્યામાં પડ્યું છે. દિવસના પહેલા વિભાગમાં રાષ્ટ્ર-દુર્ગવ્યાપી રક્ષણવ્યવસ્થા જેવા ખૂબ તાકીદના વિષય સાથે આવક-જાવકના અહેવાલોના શ્રવણરૂપ એટલા જ મહત્ત્વના વિષયને પણ સ્થાન અપાયું છે – ભલે અર્ધા જ વિભાગમાં. કેટલીક બાબતોમાં રોજરોજ માત્ર દાણો ચાંપતા રહેવાનું જ વધુ મહત્ત્વ હોય અને મોઢામોઢ થતી નાનકડી એવી પણ મુલાકાતનું. વળી પાછું દિવસના ચોથા વિભાગમાં મહેસૂલ વગેરે, રાજયને ફાળે આવતાં નાણાંના પ્રત્યક્ષ સ્વીકારનું મહત્ત્વનું કાર્ય નિયત કરાયું છે. આ દરેક કામમાં અધિકારીઓ અને તેમના સહાયકોનો સાથ તો હોય જ – એમણે રૂબરૂ જ હાજર થવું પડે. સમર્થ રાજા દ્વારા થતું પ્રત્યક્ષ નિરીક્ષણ-પરીક્ષણ જે કામને સ્પર્શે, એ કામને પારસમ્પર્શ મળ્યો સમજો; મહત્ત્વ છે રાજાની ખાંખતનું, સમગ્ર રાજકાજ પ્રત્યેની નિત્યનૂતન જીવંત નિસ્બતનું, ઊંડા રસનું. વળી આ જ ચોથી બેઠકમાં વિવિધ અર્થોત્પાદનપ્રવૃત્તિના અધ્યક્ષોના કામકાજની તપાસ અને જરૂર પ્રમાણે નવા અધ્યક્ષોની નિમણૂકનો સૌથી વધુ પાયાનો આર્થિક કાર્યક્રમ પણ રાજાની સુદષ્ટિનો વિષય બને છે. આમ આર્થિક પાસા માટે પણ, ભલે અર્ધા-અર્ધા, પણ ત્રણ વિભાગો ફાળવાયા છે. આ આખું સમયપત્રક માનવીય છે; રાજાએ માનવજીવનના ભાગરૂપ સત્ય-શિવ-સુંદરનું અનુસંધાન યથાશક્ય ચાલુ જ રાખવાનું છે. એક બાજુ ઉપનિષની નિત્યસ્વાધ્યાયની ભલામણનો સુંદરતમ પડઘો પણ આમાં જોઈ શકાય છે; દિવસના અને રાત્રિના ભોજન માટેના કાલખંડમાં જ સ્વાધ્યાયને પણ જોડ્યો છે. ભોજન સાથે એને જોડવાનો સૂચિતાર્થ એ પણ લાગે છે કે આ સ્વાધ્યાય સહજ વાચન-ચિંતનરૂપ છે – ભારેખમ નહિ, પણ મનોવિનોદ સાધી પાચનક્રિયાને પણ પોષનારો સ્વાધ્યાય કલ્પાયો જણાય છે. પ્રૌઢ ઉંમરે તો સ્વાધ્યાય તરફ માત્ર મનને પ્રેરવા થકી – માત્ર તે માટેની મનોવૃત્તિ ખુલ્લી રાખવા થકી – પણ નવો-નવો પ્રકાશ સહજપણે ચેતના મેળવી શકે છે અને પોતાના સત્ત્વની શુદ્ધિ વધારી શકે છે. ભોજન સાથે કે ભોજન પછી, આજની જેમ, મનોરંજનના છેતરામણા નામે કુત્સિત સંસ્કારો ચિત્તમાં ભરવાની અહીં વાત નથી. વળી બીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy