SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૫૫ સક્યોગથી રાખવામાં આવે છે. તે પરથી દુર્ગ (કિલ્લેબંધ રાજધાની) એ એક અલગ રાજ્યાંગ તરીકે કેટલું અનિવાર્ય છે તેની પ્રતીતિ પણ થાય છે. રાજાની આવી નમૂનેદાર, તલસ્પર્શી દિનચર્યાથી રાજધાની અને સમગ્ર રાષ્ટ્ર કેવાં ધમધમતાં રહી શકે ! કેટકેટલી સાંસ્કૃતિક સરવાણીઓ ફૂટે અને વિસ્તરે ! સામન્તો પર પણ કેવો જબરો ચૉપ રહે ! આ સમગ્ર કાર્યસૂચિ ઘણું બધું સૂચવી જાય છે. સૌથી વધુ ધ્યાન ગુપ્તચરના કાર્યકલાપ પર અને મંત્રણા પર કેન્દ્રિત થાય તેવું આમાં મળતું આયોજન કેટલું બધું ઉચિત છે ! આજની I.T. (Information Technology) હોય, કે પ્રાચીન ગુપ્તચરતંત્ર; મહત્ત્વ છે માહિતી મેળવવા માટેની જબરી તત્પરતાનું અને એના આધારે સાબદું તંત્ર ગોઠવવાની તાકીદનું. વળી મળેલી માહિતીને ઉપયોગમાં લેતી રોજિંદી મંત્રણાનું આયોજન પણ ખૂબ ઉચિત છે. એમાં મધ્યાહન-સમયની મંત્રણા મંત્રીઓને રૂબરૂ મળ્યા વિના પત્ર મોકલીને કરવાની વાત પણ કાળક્ષય અને શક્તિક્ષય ઘટાડવા ઉપરાંત દરેક મંત્રી સાથે અલાયદી, ક્ષોભરહિત અંગત આપ-લેની અનુકૂળતાની દૃષ્ટિએ પણ ખૂબ અનુરૂપ લાગે છે. છઠ્ઠા સ્વૈરવિહારકાળમાં વિકલ્પ મંત્રણાને પણ અવકાશ આપ્યો છે એ પરિસ્થિતિનો તકાજા અને રાજાની અંગત રુચિ – એ બંનેની દૃષ્ટિએ મોકળાશ ઊભી કરે છે. ઠરેલ કે કાર્યનિષ્ઠ રાજાને રોજ સ્વૈરવિહારના સેવનની આવશ્યકતા ન રહે તે દૃષ્ટિએ રાજાની સ્વયંભૂ વિવેકબુદ્ધિને અવકાશ મળે તે માટે આ વિકલ્પનું આયોજન ન્યાયી લાગે છે. છતાં રાજાના સ્વૈરવિહારનું પણ મહત્ત્વ, તેના માનસિક આરોગ્યની ઉત્તમ માવજત દ્વારા તેની એકંદર સહજ કાર્યનિષ્ઠાને જાળવવાની દષ્ટિએ જરા પણ ઓછું ન કહી શકાય; સંસ્કૃત લલિતસાહિત્ય તેની સાક્ષી પૂરે છે. એ રીતે જ આ સૂચિમાં રાજકર્તવ્યમાં પ્રથમ સ્થાન ધરાવતી સુરક્ષાની કામગીરીને પણ ત્રણ વિભાગોમાં સ્થાન મળેલું છે. – દિવસના પ્રથમ વિભાગમાં અને છેલ્લા બે વિભાગોમાં. સવારના પહેલા વિભાગમાંનાં બે કામો પૈકી સંભવતઃ નગર અને જનપદ બંનેની સુરક્ષા-વ્યવસ્થા અંગે સુરક્ષાતંત્રના નિયત અધિકારીઓને રૂબરૂ બોલાવી તે વ્યવસ્થા અંગેનું બયાન મેળવવાને અને માગ્યા પ્રમાણેના જરૂરી ખુલાસાને બરાબર અવકાશ રહે છે. રાજા સાથેના દરરોજના મિલનનું કેવળ ફરજિયાતપણું પણ અધિકારીઓને અને તેના તંત્રને સાબદા રહેવાની તાકીદ કરે છે. વળી આને લીધે, સામા પક્ષે, સાચા અધિકારીને રાજા પાસેથી હૂંફ, ઉચિત પ્રશંસા અને ધનમાન ઉપરાંત કોઈ કાર્યસંબંધી પ્રાસંગિક ગૂંચના ઉકેલ મેળવવાની તક પણ મળે છે, અને તેથી કાર્ય માટેનો ભર્યોભર્યો ઉત્સાહ નિત્ય જળવાઈ રહે છે. રાજા પણ જેમ ખોટું હોય તેને પડકારે છે, તેમ સાચું કરનારને હૂંફ, પ્રેમ, નક્કર કદર અને પ્રોત્સાહન આપવાનો મહિમા પણ બરાબર જાણે છે. દિવસના સાતમા ભાગમાં, સાંજે ચારે ય પ્રકારની સેના સાથેની પ્રત્યક્ષ મુલાકાત પણ સુરક્ષાકાર્યના અને શત્રુ સામેની ઉચિત કામગીરીઓના પાયાને મજબૂત કરે છે. તે રીતે દિવસના આઠમા વિભાગમાં સેનાપતિ સાથેની મુલાકાત તો વિશેષ પુરુષાર્થ અને રાજતેજનો પ્રકર્ષ માગે તેવી વિજયસિદ્ધિની ઠરેલ વિચારણા માટે ફાળવાઈ છે તે હકીકત ખાસ ધ્યાનપાત્ર છે. રણભૂમિ કે કાર્યક્ષેત્ર પરની સિદ્ધિઓના મૂળમાં હોય છે “આ વસ્તુ તો કર્યે જ છૂટકો’ એવો દ્વિધામુક્ત, ફ્લેશ-નિરપેક્ષ સંકલ્પ અને એ સંકલ્પના સિદ્ધિપથની, તેજસ્વી ઇન્દ્રિય-મન-બુદ્ધિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy