SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કૌટિલ્ય “અર્થશાસ્ત્ર' : દાર્શનિકલ્સાંસ્કૃતિક પરીક્ષણ (૭) હાથી, ઘોડા, રથ અને પગપાળા સૈનિકો – એ ચતુરંગ (ચાર અંગોવાળા) સૈન્યનાં અંગો સાથે મુલાકાત સેનાપતિની સાથે કરવાનાં વિજય-કાર્યોની વિચારણા રાત્રિનું કાર્યવિભાજનઃ (૧) ગુપ્તચરો સાથે મુલાકાત (બેઠક) (૨) પાન-ભોજન અને સ્વાધ્યાય (૩) વાઘઘોષ સાથે શયનગૃહમાં સહશયન માણવું (૪-૫) શયન (૬) વાઘઘોષ સાથે જાગીને ચિંતન અને કાર્યવિચાર (૭) મંત્રણા માટે મંત્રીપરિષદ્ ભરવી અને ગુપ્તચરને કામો સોંપી તેમનું સંપ્રેષણ (મોકલવાની ક્રિયા) (૮) ઋત્વિક, આચાર્ય અને પુરોહિતના સેવન દ્વારા આશીર્વચન-ગ્રહણ – ચિકિત્સક, રસોડાના નિયામક અને મુહૂર્તશાસ્ત્રીની મુલાકાત - વાછરડા સાથેની ગાય અને બળદની પ્રદક્ષિણા કરીને આસ્થાનમંડપ(મુલાકાત ખંડ)માં પહોંચવું આખી દિન/રાત્રીચર્યા કેટલી સુચિંતિત, વ્યવહારુ, સમતોલ અને કાર્યસાધક છે તે તો થોડાક એકાગ્ર અવલોકનથી પણ સમજાશે. ખરેખર તો માનવજાતિ માટે જે કાંઈ અને જેટલી રાજનીતિ કે રાજસહાય જરૂરી છે તે ધર્માનુકૂળ રીતે અને માનવસંસ્કૃતિ ક્રમશઃ વિકસે તે રીતે બનાવવી હોય, તો રાજાનાં દૈનિક અંગત આચાર અને નિત્યનો રાજનૈતિક વ્યવહાર એ બંને કેવા હોય તેનો આ નમૂનો છે. આમાં એક બાજુ વ્યાપકપણે જામેલા માનવદોષો પડકારાવાથી પાતળા પડતા જાય તેવી વ્યાપક અને ઊંડી તપાસવ્યવસ્થાના સાથવાળી, આત્મબળ-આધારિત નિયંત્રણ-વ્યવસ્થા પણ છે, તો સાથેસાથે લોકોના સમાજાભિમુખ ચારિત્ર્યઘડતર સાથે તેમના આત્મગૌરવયુક્ત અભિક્રમો વધતા-. વિસ્તરતા જાય તેવી લૌકિક સ્વઉથાન અને સ્વકલ્યાણની સાધના માટેની મોકળાશની જોગવાઈ પણ છે. આટલી વિગતે આપેલું સમયપત્રક એ પણ સૂચવે છે કે વિપુલ શાંતિકાળ(શમકાળ)ને કૌટિલ્ય પ્રાધાન્ય આપી રહ્યા છે, અને એવો કાળ વિપુલ પ્રમાણમાં મળી રહે તેને રાજનૈતિક રીતે શક્ય પણ માને છે. રાજા મોટા ભાગના સમય માટે રાજધાનીમાં જ સમગ્ર રાજકીય કાર્યકલાપના અધ્યક્ષ તરીકે બિરાજતો હોય તેવી પરિસ્થિતિને પણ શક્ય માનવામાં આવી છે. પણ સાથે જ આ કાર્યસૂચિ પરથી એટલું જણાય છે કે આખા રાજ્ય પર અને પરરાજય-વ્યાપારો પર ખૂબ જ સાબદા થઈને, કોઈ પણ ગફલતને અવકાશ ન મળે તે રીતે પૂરેપૂરું ધ્યાન, વફાદાર સેવકો અને અધિકારીઓના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy