SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ઉદ્યમ)યુક્ત કાર્યને પ્રધાન ગણનારો, એટલે કે તેવા કાર્યના આગ્રહવાળો. તાત્પર્ય આમ છે : દેશ (સ્થળ) અને કાળ સદા અનુકૂળ હોય જ એવું ન બને; એ બંને યા એમાંનું કોઈ એક, કાર્ય ઉકેલવામાં રુકાવટ પણ ઊભી કરી શકે. તેમ છતાં સમર્થ રાજા પોતાના પૌરુષને જગાડી, દેશકાળની વિષમતાને ઓળંગીને કામ કરવાનો આગ્રહ, તેવી સૂઝબૂઝ અને તેવું કૌશલ ધરાવનાર હોય છે. પ્રતિકૂળતા સામે ફરિયાદ કરીને તે કાર્યતત્પરતામાં ઓટ આવવા દેતો નથી. સંકલ્પ હોય ત્યાં સિદ્ધિ હોય જ. ભાસકવિ તેમની સ પ્રતિજ્ઞાૌનધરાયળમ્ નાટ્યકૃતિમાં કહે છે : “ઉત્સાહી નરોને કશું અસાધ્ય નથી; સાચા માર્ગે આરંભેલા સર્વ યત્નો ફળે છે.!” પ્રાપ્ત પરિસ્થિતિમાં પોતાની સૂઝ અને પોતાનો સાતત્યયોગ શું કરી શકે એમાં જ રાજાનું દિલ લાગેલું હોય. (૫) શુન્ત: આનો અહીં વિશિષ્ટ અર્થ છે : ‘પ્રિય કે મધુર બોલનાર’. કાર્યો અનેકોના સાથ-સહકારથી થતાં હોય છે. તે માટે સહુ સાથે મધુર સંબંધ જાળવવો જરૂરી છે. મધુર વાણી એ માટેનો હૃદયો વચ્ચેનો મજબૂત સેતુ બની રહે છે. (૬) સ્મિતોપ્રાભિમાપી આમાં રાજાની પાવન પ્રકૃતિનું ચિત્રાત્મક મનોહર વર્ણન છે. અર્થ છે : સ્મિત સાથે ઉન્નત (ઉદાર અર્થવાળાં) વચનો સામા પ્રત્યેની અભિમુખતા (આત્મીયતા) સાથે (મિ) ઉચ્ચારનાર. આમાં સામાના હૃદયને સ્પર્શે તેવાં વાણી-સંબંધી આટલાં વૈશિષ્ટ્યો સમાયાં છે : ‘સ્મિત’ એટલે મુકુલિત (મુકુલ એટલે કે કળી; તેની જેમ સ્હેજ હોળા થયેલા) ગાલ અને દંતપંક્તિના આછેરા દર્શનવાળો મલકાટ, જે હૃદયની સ્વચ્છતા સૂચવે છે. વળી બોલ, બોલના૨-સાંભળનાર બંનેની ઉન્નતિ સાધે તેવા ઉત્કટ (પ્ર) હોય છે. વળી એ બોલ ઉચ્ચારાય છે સામાની અભિમુખ થઈને એટલે કે સામાની આંખમાં પોતાની આંખ પરોવીને અને સામાને પ્રેમપાશમાં લઈને. અહીં મુખ્ય વાત છે સાંભળનારની ચેતના સદ્બોધથી અવશ્ય ઉન્નતિ પામે તેવા સમર્પિતભાવે અને સંકોચમુક્ત હૃદયે બોલવાની. આ વિશેષણ ઝીલતાં ઋગ્વેદમાંનું પ્રસિદ્ધ ‘વાત્સૂક્ત ’(કે ‘વિદ્યાસૂત') (૨૦.૭૬) સુજ્ઞજનોને અવશ્ય સાંભરે. તેમાં ચારણીથી લોટ ચાળતા હોય'' તેવા ઋષિઓની ‘‘મિત્રો બનાવે તેવી'' અનુપમ વાણીનું વર્ણન છે. — આ આખું રાજગુણસંપત્તિનું વર્ણન વિસ્તારથી તપાસવાનો હેતુ કૌટિલ્યનું ઉચ્ચ સંસ્કૃતિદર્શન અને તેમની સ્થિર સંસ્કૃતિભક્તિ એ બંને ચીંધવાનો છે. ત્રીજા વ્યાખ્યાનમાં જ્યારે રાજનીતિનાં અનેકક્ષેત્રીય સાંસ્કૃતિક લક્ષ્યો તપાસવાનો આપણો નિર્ધાર (નિર્ણય) છે, ત્યારે એ બધાંના મૂળમાં રહેલી રાજાની ઉચ્ચ, સ્થિર સંસ્કારિતા તપાસવાનો પ્રયત્ન અહીં આપણે કર્યો છે. હવે એ સંસ્કારોમાંથી ફલિત થતી વ્યક્તિગત સંસ્કૃતિ જેને કહી શકાય, એવી રાજાની દિનચર્યા ‘અર્થશાસ્ત્ર’ના અધ્યાય ક્ર. ૬.૧ (રાનપ્રનિધિ: ‘રાજાનો કાર્યકલાપ')ના આધારે તપાસીએ. Jain Education International ૧૫૧ દિનચર્યા : અ.ક્ર. ૬.૪૬ના પ્રકરણ-શીર્ષક( રાનપ્રનિધિ: )માંનો પ્રિિધ શબ્દ ઘણા ઊંડા અર્થવાળો, સૂક્ષ્મ અર્થવાળો છે. કોઈ પણ ભાષા કે જે સુદીર્ઘ કાળપટમાં સતત નવું-નવું ચૈતન્યપોષણ પામી હોય, એના શબ્દોનાં મૂળ ઘટકો, તે ઘટકોનો અર્થ, તેમાંથી વિકસેલો આખા શબ્દનો અર્થ, એ અર્થમાં કાળબળે તે શબ્દ વાપરનારાઓની સૂઝના વિકાસ સાથે થયેલો વિકાસ, વિસ્તાર કે વિલક્ષણ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy