SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ રાષ્ટ્રના વિકાસમાં સમાન સ્ફૂર્તિ, શક્તિ અને ચુસ્તીથી જુદી-જુદી રીતે નિત્યની સૂઝથી ઉપયોગ કરી જાણના૨. આનો અર્થ એ કે રાજા આપત્તિને પણ વિકાસના અવસરમાં પલટી શકાય તેવી નિપુણ રીતે જ તેનો સામનો અને ઉકેલ કરનાર અને સામાન્ય કે શાંતિના સમયમાં પણ ભવિષ્યનાં સંકટોની નિપુણ કલ્પનાથી અને પ્રજાકીય આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક વિકાસની જબરી સૂઝ અને અણથક તમન્નાથી નવાં નવાં ભવ્યોદાત્ત કર્તવ્યોનું દર્શન કરનાર અને પોતાની સાથે સૌને પણ બધી પરિસ્થિતિમાં જુદીજુદી રીતે ઉદ્યમી રાખનાર બની રહે છે. સામાન્યતઃ અદોદળાં (ઉઘમમાં શિથિલ) રાજપુરુષો અને તેમનાં તંત્રોમાં માત્ર કટોકટી વખતે જ ગરજના માર્યા સાચો-ખોટો ઉદ્યમ કરવાનું વલણ હોય છે; શાંતિકાળમાં આળસ અને પ્રમાદને વશ થઈ સુખનું નશાની જેમ સેવન કરવાનું જ સૂઝે છે. એમાંથી જ નવી-નવી કટોકટીઓને સામેથી નોંતરું મળે છે ને ! આ વિશેષણ અત્યંત ઊંચી કાર્યકુશળતા બતાવવા સાથે જ ઊંચી અનાસક્તિ પણ સૂચવે છે. આ લક્ષણની આવી સૂક્ષ્મતા જોઈને જ તેને પ્રથમ જૂથમાં નિર્દેશ્યું નથી. (૩) રીર્ઘતૂરવર્શી – અનુક્રમે કાળના અને સ્થળના મોટા વ્યાપ સુધી જોનાર અને એ દ્વારા ઘણા આગળના કાળનું ભવિષ્ય અને ઘણા વિશાળ પ્રદેશ સાથેનું સંબંધજાળ દૃઢ બને તે માટે મથનાર. રાજા માત્ર ટૂંકા દેશ-કાળનો જ લાભ જોનાર – ‘મહાભારત' પ્રમાણે તાત્વિજ (તત્કાળનો લાભ જોના૨) – ટૂંકઘૂંજિયો નહિ, પણ સમગ્ર રાષ્ટ્રના સુદીર્ઘકાલીન હિતનું આયોજન કરવા જેટલો સ્વસ્થ, ધૈર્યવાન્ અને વિચક્ષણ હોય. ઘણી વાર ટૂંકા તાત્કાલિક લાભ સામે લાંબા ગાળે રાષ્ટ્રનું ભારે અહિત થતું હોય છે યા વેરનાં વસમાં વાવેતર થતાં હોય છે. પ્રજાકલ્યાણના પ્રતિનિધિ તરીકે રાજાને ફળ બાબત અનાસક્ત થવાનું તો ન પરવડે, પણ જે ફળ વાંક્યું હોય તે ટકાઉ અને દીર્ઘકાલજીવી હોય એ તો વ્યવહારુ રીતે પણ આવશ્યક છે. આમ ટકાઉ સ્વાર્થની સિદ્ધિની વાતમાં વ્યવહારુપણું અને અધ્યાત્મ એ બંનેનું સામસામે અર્ધે રસ્તે મિલન તો જરૂર થાય છે. ૧૫૦ (४) देशकालपुरुषकारकार्य प्रधानः પોતાની સૂક્ષ્મ વાત ચોક્કસપણે કહેવાની તાલાવેલીમાં કૌટિલ્ય અવારનવાર વાચકને ગૂંચવે તેવા વિચિત્ર ઘાટવાળો સમાસ રચી બેસે છે; એવો આ સમાસ છે. પણ જે-તે શાસ્ત્ર અંગેના પાયાના જ્ઞાનની સામાન્ય સમજ (common sense) ધરાવતો સાબદો વાચક આવા ડ્યુટીભર્યા સમાસમાંથી પણ યોગ્ય અર્થ તારવી શકે. (અહીં ‘નિરુક્ત'ના રચયિતા યાસ્કનો એવો મત સ્મરણીય છે કે કોઈ શાસ્ત્ર તેને સાવ જ ન જાણના૨-સમજનારને ન કહેવું. સ્વતોવિરોધી લાગતી ખુદ આ વાત પણ સામાન્ય સૂઝ ધરાવનાર એ રીતે સમજી શકે કે પુસ્તકના શબ્દોની પોતાની મર્યાદાને લીધે, તેમ જ ગ્રંથકારની અનેક વ્યક્તિગત કે સામાજિક મર્યાદાઓને કારણે, વાચક પાસે જે-તે શાસ્ત્ર અંગેની પૂર્વસંચિત પાયાની જાણકારી તે અંગેનાં રસ કે જિજ્ઞાસામાંથી જન્મેલી – હોય એ ઇચ્છનીય છે, જેથી એને આધારે ગ્રંથની મર્યાદાઓ છતાં તેના ત્રુટીપૂર્ણ શબ્દોમાંથી પોતે સાચો અર્થ આવી સૂઝથી તારવી શકે.) પ્રા. કંગલેએ આ સમાસના અન્ય અર્થઘટનનો અસ્વીકાર કરીને સુયોગ્ય અર્થ તારવ્યો છે. રાજા, પોતાનું કાર્ય અવશ્ય પાર પડે તે માટે કેવી નીતિને અનુસરે છે તે વાત અહીં કહી જણાય છે. અહીં હ્રાર્યપ્રધાન: એ બહુવ્રીહિ સમાસ છે અને આગલાં ત્રણ પદ ભેગાં મળીને ાર્ય પદનું એક સંકુલ વિશેષણ બને છે. એટલે સમગ્ર અર્થ આવો થશે : પ્રાપ્ત (આવી પડેલા) જે-તે દેશ અને કાળમાં પૌરુષ-(પુરુષપ્રયત્ન, Jain Education International For Personal & Private Use Only - www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy