SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ત્રીજું : જીવનધર્મી રાજનીતિની સંસ્કૃતિરક્ષકતા ૧૪૯ રાજા તરીકેનાં પાયાનાં વ્યવહારુ કર્તવ્યો બજાવવામાં ઉપયોગી લક્ષણો માત્ર ચાર વિશેષણો દ્વારા કહ્યાં છે તે ધ્યાનપાત્ર વાત છે. આ આખી ગુણગણનામાં ખૂબ વિચારપૂર્વક અને ઔચિત્યપૂર્વક કૌટિલ્ય માનવગુણોને જ પ્રાધાન્ય આપ્યું જણાય છે. કૌટિલ્યને મન આગવા વર્ણધર્મો કરતાં સર્વસામાન્ય પણ સર્વાગી એવા વિવિધ માનવગુણો જ વ્યક્તિ અને સમાજને સબળ, પરસ્પર ગાઢ-સહયોગી અને સફળ બનાવવા માટે ખૂબ મહત્ત્વના બની રહે છે; અલબત્ત, વર્ણભેદ માત્રા કાર્યભેદ પુરતા રહે છે. વળી સર્વસાધારણ માનવગુણોમાંથી જ સ્વ-સ્વ કાર્યવિશેષને અનુરૂપ આગવા કર્મગુણો સરળતાથી મેળવી શકાય એમ છે એવું પણ કૌટિલ્યનું દૃષ્ટિબિંદુ હોવાનું તારવી શકાય. એટલે અહીં રાજકાજમાં ઉપયોગી માર્મિક ચાર જ ગુણો માત્ર દાણો ચાંપવાની દૃષ્ટિથી કે નમૂનારૂપે જ આપ્યા જણાય છે; તે ગુણોની યાદી સંપૂર્ણ (exhaustive) નથી જણાતી. તે ચાર ગુણો આ પ્રમાણે છે : (૧) ટૂણ્વનાથી એટલે સૈન્યની આગેવાની કરીને જાતે પણ યુદ્ધમાં જોડાવા તૈયાર રહેનાર અને એ દ્વારા સર્વ યોદ્ધાઓના આત્મવિશ્વાસને સતત ટકાવનાર, (૨) અન્ય વ્યક્તિ કે રાજાએ પોતાના ઉપર કરેલા ઉપકાર કે અપકાર મુજબ રાજાની પીટતા(=બેધડકપણે વર્તવાની હિંમત)ને છાજે તેવો વળતો વહેવાર કરી જાણનાર. આ લક્ષણ રાજાની પરદેશનીતિને નિત્ય રચનાત્મક, વિજયશીલ ઉપરાંત સ્વાર્થસાધક પણ બનાવે છે. આમાં રાજાની ભીષણતા અને પ્રાસાદિકતા (કૃપાદૃષ્ટિ) એ બંનેનો વિવેકી સમન્વય રાજપ્રતિભાને માત્ર વિજયી જ નહિ, શોભાયુક્ત પણ બનાવે છે. (૩) નીચેનાં કંકો વિરુદ્ધ લક્ષણોની જોડીઓ)માં ક્યારે દરેક જોડીમાંના કયા વિકલ્પના આચરણનો અવસર છે તે બરાબર પારખનાર : સંધિ કે વિક્રમ (આક્રમક પગલું), ત્યાગ (જતું કરવું) કે સંયમ (મચક ન આપવી, નમતું ન જોખવું), કરાર પાળવો કે સામાની નબળાઈ જોઈ તેનો ભંગ કરવો. આમાં પણ એકંદરે રાજાની સામર્થ્યયુક્ત મધ્યસ્થતા (તટસ્થતા કે સમતા) પ્રગટ થાય છે. નીતિમત્તાના કલ્પિત ભાર નીચે દબાવાનું પણ નથી અને સામાના ગુણ પારખી, અસ્થાને કર્કશતા કે ચિત્તની સંકુચિતતા બતાવવાની ભૂલ પણ કરવાની નથી. એકંદરે પોતાનું સામર્થ્ય સદા જાળવીને નિપુણતાથી મૈત્રીઓ પણ દેશ-કાળ મુજબ ઊભી કરવાની છે. શમ અને વ્યાયામ બંનેની ક્ષમતા પ્રસંગાનુસાર દાખવવાની છે. (૪) સંવૃત: – મંત્રણાને કે મનોભાવોને કુશળતાથી ગુપ્ત રાખનાર. કરેલા રાજનૈતિક નિર્ણયો પર્ઘકાળ સિવાય સંપૂર્ણપણે ગુપ્ત રાખવાના છે. એમાં ન અંગત કે પારિવારિક સંકુચિત સ્વાર્થ આડે આવવા.ઘટે, ન ભાવુકતાને વશ થવું ઘટે. મંત્રણાની ગુપ્તતા જાળવવી અને મનોભાવોને પણ ઇંગિતમાત્રથી ય પ્રગટ ન થવા દેવાની પૂરેપૂરી સાવધાની રાખવી એ રાજકર્તવ્યોની સફળ બજવણી માટે અત્યંત જરૂરી છે. બાકીનાં આ વિશેષણો રાજાની નિત્યની સમતોલ કાર્યશેલી કે કાર્યકુશળતા બતાવનારાં છે : (૧) મૃતિ-મતિ-વર્તવાન્ – સંચિત જ્ઞાનને સ્મૃતિભંડારમાં જતનથી સાચવનાર, તેના ઉપયોગ દ્વારા “મતિ એટલે કે ઉપસ્થિત સારા-માઠા અસાધારણ પ્રસંગને અનુરૂપ તાત્કાલિક કર્તવ્યનિર્ણયક્તિ ધરાવનાર અને નિર્મીત કર્તવ્યનો અમલ કરવા માટે જરૂરી સમગ્ર બળથી સજ્જ રહેનાર. આમ આ સંકુલ વિશેષણમાં કોઈ પણ કર્તવ્યના અનુષંગે ખપમાં આવે તેવી ત્રણ લાગતીવળગતી શક્તિના સાગમટા વ્યાપારની વાત છે. (૨) ના પ્રત્યાન્વિનિયોજી – આપત્તિનો સમય હોય કે સામાન્ય (normal) સમય, તે બંનેનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005552
Book TitleKautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Original Sutra AuthorN/A
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy